________________
ચક્રવર્તી – ભરત કથા
૪૧
શોભા વધારો તથા ચંદનના ઘડામાં – યાવત્ – સુગંધિત પદાર્થોને રાખીને સમસ્ત નગરીને સુગંધની વાટિકા અથવા પિટારી સમાન કરો. આ પ્રમાણે કરીને–કરાવીને આજ્ઞાપૂર્તિ થયાની મને સૂચના આપો.
- ત્યારે તે કૌટુંબિક પુરુષો ભરતરાજાની આ આજ્ઞા સાંભળીને અતિ હર્ષિત થયા – થાવત્ – “જેવી સ્વામીની આજ્ઞાએ પ્રમાણે કહીને તે આજ્ઞાવચનોને વિનયપૂર્વક
સ્વીકારીને ભરત રાજા પાસેથી નીકળ્યા. નીકળીને વિનીતા રાજધાનીને – યાવતું – આજ્ઞાનુસાર સુશોભિત કરીને–કરાવીને રાજા ભરતને આજ્ઞાપૂર્તિ થયાની સૂચના આપી.
ત્યારપછી ભરતરાજા ખાનગૃહ તરફ ગયા. તેમાં પ્રવેશ કર્યો. કરીને મુક્તાજાળથી યુક્ત ગવાક્ષો વડે દર્શનીય અને અનેક મણિરત્નો વડે મંડિત રમણીય ભોંયતળીયાવાળા
સ્નાન મંડપમાં રખાયેલ, અનેક પ્રકારના મણિરત્નો વડે નીર્મિત, ચિત્રવિચિત્ર ચિત્રો વડે શૃંગારિત સ્નાનપીઠ પર સુખપૂર્વક બેઠા, બેસીને તે ભરતરાજાએ શુભ જળ વડે, ગંધોદકપુષ્પોદક અને શુદ્ધોદક વડે પૂર્ણ કલ્યાણકારી ઉત્તમ મજ્જનવિધિ વડે સ્નાન કર્યું. તે વખતે સેંકડો કૌતુકો કર્યા, લ્યાણકર શ્રેષ્ઠ સ્નાન કરીને પછી પસ્મલ સદશ સુકમાલ કાષાયિક ગંધ વડે સુગંધિત વસ્ત્ર ખંડથી શરીરને લુંછયું. પછી સરસ સુગંધી ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો. અખંડ મૂલ્યવાનું દૂષ્યરત્નો પહેર્યા. શુચિ–પવિત્ર માળા પહેરી તથા કુંકુમ આદિનું વિલેપન કર્યું. મણિ સુવર્ણનો બનેલ હાર, અર્ધવાર, ત્રિસરો હાર, લાંબા, લટકતા ઝુમખા, કંદોરો આદિ આભુષણ યથાસ્થાને શરીર પર ધારણ કર્યા.
- ગળામાં રૈવેયક, આંગળીઓમાં વીંટી પહેરી, મસ્તકના વાળમાં આભરણરૂપ પુષ્પ ધારણ કર્યા, વિવિધ પ્રકારના મણિ વડે ખચિત કડા, ત્રુટિત આદિ આભુષણો હાથમાં પહેર્યા. તેનાથી વધુ શોભવા લાગ્યો. કુંડલોની મનોહર કાંતિ વડે તેમનું મુખ ચમકવા લાગ્યું. મુગટના તેજથી તેનું મસ્તક દેદીપ્યમાન થઈ ગયું. હાર વડે આચ્છાદિત તેનું વક્ષસ્થળ દર્શનીય બન્યું. લાંબા, લટકતા અને સુંદર વસ્ત્ર વડે નીર્મિત ઉત્તરીય વડે તેના ખંભા શોભતા હતા. મુદ્રિકા વડે તેમની આંગળીઓ પીતવર્ણ દેખાતી હતી. અનેક ગણીઓ વડે ખચિત, મહામૂલ્યવાનું, કુશળ કારીગરો દ્વારા બનાવાયેલા, અત્યંત મજબૂત, સુંદર ઘાટવાળા, પ્રશસ્ત, સુવર્ણના વીરવલયો હાથમાં પહેર્યા.
- અધિક કેટલું વર્ણન કરીએ ? કલ્પવૃક્ષ સદશ અલંકારોથી વિભૂષિત રાજા ભરતની ઉપર કોટપુષ્પની માળાથી યુક્ત છત્ર – યાવત્ – બંને બાજુએ ચામર વિંઝાતા હતા. જેના વાળ તેમને સ્પર્શતા હતા. લોકો મંગલમય જય-જય શબ્દો બોલતા હતા. અનેક ગણનાયક, દંડનાયક – યાવત્ – દૂત, સંધિપાલ આદિથી ઘેરાયેલ તે રાજા શ્વેત વર્ણોવાળા મહામેઘના મધ્યમાં પ્રિયદર્શનવાળા ચંદ્રની માફક શોભી રહ્યો હતો. આવો તે રાજા હાથમાં સુગંધિત પુષ્પોને લઈને, ગળામાં માળા પહેરેલા એવા તે નાનગૃહમાંથી બહાર નીકળ્યા. નીકળીને જ્યાં આયુધશાળા હતી, જ્યાં ચક્રરત્ન હતું. તે તરફ જવાને પ્રવૃત્ત થયા.
- જ્યારે તે રાજા ચાલવા લાગ્યો ત્યારે અનેક ઈશ્વર, તલવર, માડંબિક યાવત્ સાર્થવાહ વગેરે ચાલવા લાગ્યા. જેમાંથી કેટલાંક હાથોમાં કમળ, કેટલાંક ઉત્પલ લઈને –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org