________________
કૃષ્ણ – બલભદ્ર – જરાસંધ
૧૫૭
૦ દેવકીનો આગમ સંદર્ભ :સમ. ૩૫૩;
અંત. ૧૩; પપ્પા ૧૯; નિસી.ભા. ર૯૪ની ચૂં. ઉત્ત. ૭૯૮; તિત્વો. ૬૦૩; ૦ નાગ પત્ની સુલસા :
એ સમયે ભજિલપુરમાં નાગ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને સુલસા નામે પત્ની હતી. તે બંને પરમ શ્રાવક હતા. અતિમુક્ત નામના ચારણલબ્ધિધારી મુનિએ તે સુલતાના સંબંધમાં આગાહી કરેલી કે, આ કન્યા નિંદ-મૃતપુત્રા થશે. તે સાંભળી સુલસાએ હરિસેગમેલી દેવની આરાધના કરી. તે દેવ સંતુષ્ટ થયો. દેવતાએ કહ્યું કે, હે કન્યા! તને તો હું પુત્ર આપી ન શકું, પણ કંસે મારવા માટે દેવકીના ગર્ભ માંગ્યા છે. તે હું તને તારા મૃત ગર્ભના પ્રસવ સમયે અર્પણ કરીશ. દેવે પોતાની શક્તિથી દેવકી અને સુલતાને એક જ સમયે રજસ્વલા કરી. તેઓ બંને સાથે જ સગર્ભા થઈ. સાથે જ બાળકને જન્મ આપ્યો. ત્યારે દેવતાએ સુલતાના મૃતગર્ભને સ્થાન દેવકીના ગર્ભને ગોઠવી દીધો. તેના મૃતગર્ભને દેવકીના પુત્રને સ્થાને મૂકી દીધો.
કંસે સુલતાના મૃતગર્ભને દેવકીના પુત્ર માની પત્થરની શિલા ઉપર દૃઢપણે અફળાવીને તેને મારી નાંખ્યાનું માનવા લાગ્યો. એ રીતે દેવકીના છ ગર્ભ સુલતાને ઘેર પુત્રની જેમ સ્તનપાન કરીને સુખે સુખે વૃદ્ધિ પામવા લાગ્યા. તેમના નામ અનુક્રમે :૧. અનીકયશ, ૨. અનંતસેન, ૩. અનિહત, ૪. વિદુ, ૫. દેવયશ, ૬. શત્રુસેન પાડ્યા. આ છ એ કુમાર કુબેર સમાન રૂપવાનું અને એક સરખા દેખાતા હતા. છેલ્લે આ છ એ પુત્રોએ અરિષ્ઠનેમિ પાસે દીક્ષા લીધેલી.
૦ સુલતાનો આગમ સંદર્ભ :** અંત, ૧૦, ૧૧, ૧3;
આવયૂ.૧–પૃ. ૩૫૭; ૦ કૃષ્ણનો જન્મ :
કોઈ વખતે ઋતુસ્નાતા દેવકીના ગર્ભમાં મહાશુક્ર દેવલોકથી ચ્યવીને ગંગદત્તનો જીવ આવ્યો તે રાત્રિએ દેવકીએ સાત મહાસ્વપ્નો જોયા. જે સાત સ્વપ્નો વાસુદેવની માતા વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે જુએ છે. તે આ પ્રમાણે :- સિંહ, સૂર્ય, અગ્નિ, હાથી, ધ્વજ, વિમાન અને પા સરોવર, દેવકીએ રત્નવત્ તે ગર્ભને ધારણ કર્યો. અનુક્રમે શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમીએ મધ્યરાત્રે દેવકીએ કૃષ્ણ (નીલ) વર્ણવાળા પુત્રને જન્મ આપ્યો. વસુદેવે પોતાના તે પુત્રનું નામ કૃષ્ણ પાડ્યું. તેનો જન્મ થતાં જ દેવતાના સાંનિધ્યથી શત્રુઓના દૃષ્ટિપાતનો નાશ થયો. તેના જન્મ વખતે દેવતાઓએ કંસના ચોકીયાતોને નિદ્રાધીન કરી દીધા. દેવકીએ વસુદેવને વિનંતી કરી કે, કંસે તમને વાણીથી બાંધી લીધા. મારા છ પુત્રોનો નાશ કર્યો. હવે આ પુત્રની માયા વડે પણ રક્ષા કરો. તમે તેને નંદના ગોકુળમાં લઈ જાઓ. ત્યાં તે મોસાળની જેમ રહીને મોટો થશે.
નેહાર્ટ વસુદેવે પહેરેગીરોને સુતેલા જોયા. ત્યાંથી પુત્રને લઈને બહાર નીકળી ગયા. તે વખતે દેવતાએ તે બાળક પર છત્ર ધારણ કર્યું, પુષ્પની વૃષ્ટિ કરી. આઠ ઉગ્ર દીવાથી માર્ગમાં ઉદ્યોત કરવા લાગ્યા. પછી શ્વેત વૃષભરૂપ લઈ તે દેવતાઓએ બીજાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org