________________
૧૫૬
આગમ કથાનુયોગ-૨
રહ્યા હતા. તેવામાં કોઈ દેવતાએ આવીને તેને કહ્યું કે, હે વસુદેવ ! રુધિર રાજાની કન્યા રોહિણીને હું તને સ્વયંવરમાં આપું છું. માટે તારે ત્યાં જઈને પટપ્સ વગાડવો. પછી વસુદેવ અરિષ્ટપુરમાં રોહિણીના સ્વયંવર મંડપમાં ગયા. ત્યાં જરાસંધ વગેરે રાજાઓ આવીને બેઠા હતા. તે વખતે અતિ સૌંદર્યવતી રોહિણી મંડપમાં આવી. તેને કોઈ રાજા રુચ્યો નહીં. તે વખતે વાસુદેવ બીજો વેષ લઈને વાજિંત્રો વગાડનારાની વચ્ચે બેસી પટડ વગાડવા લાગ્યા. પટલમાંથી નીકળતા શબ્દોથી રોહિણીએ તેના સામે જોયું. જોતાવેંત જ તે રોમાંચિત થઈને તેણે વાસુદેવના કંઠમા માળા આરોપી દીધી. એ રીતે અરિષ્ટપુરના રાજા રુધિરની પુત્રી અને રાજકુમાર હિરણ્યનાભની બહેનના રોહિણી સાથે લગ્ન થયા. તેણે પોતાનું પરાક્રમ બતાવી મૂળરૂપે પ્રગટ કર્યું. પછી જરાસંધાદિ રાજાઓ પાછા ગયા.
રાજલલિતનો જીવ સુંદર ચારિત્ર પાલન કરી મહાશુક્ર કલ્પ દેવતા થયેલ. તે ત્યાંથી ચવીને કાળક્રમે રોહિણીના ઉદરમાં ઉત્પન્ન થયો. તે સમયે અવશેષ રાત્રિએ તેણે બળદેવના જન્મને સૂચવનારા હાથી, સમુદ્ર, સિંહ અને ચંદ્ર એ ચાર સ્વપ્નો જોયા. પૂર્ણ સમયે રોહિણીએ ચંદ્ર જેવા ગૌર વર્ણના પુત્રને જન્મ આપ્યો. સમુદ્રવિજય આદિએ તેનો જન્મોત્સવ કર્યો. વસુદેવે તેનું રામ નામ પાડ્યું. તે બળભદ્ર નામે પ્રખ્યાત થયા. અનુક્રમે રામ મોટો થયો. તેણે ગુરુજનની પાસેથી સર્વકળાઓ ગ્રહણ કરી. સર્વ શાસ્ત્રો ભણ્યો.
૦ રોહિણીનો આગમ સંદર્ભ :સમ. ૩૨૬; પપ્પા. ૧૯, ૨૦, પહા. ૨૦ની વ. ઉત્ત. ૭૯૮;
ઉત્ત.ભાવ.. તિલ્યો. ૬૦૪; ૦ દેવકી સાથે વસુદેવના લગ્ન :
કોઈ વખતે કંસે સ્નેહથી વસુદેવને મથુરા આવવા કહ્યું. દશાર્ણ પતિ સમુદ્રવિજયની આજ્ઞાથી તે મથુરા ગયા. ત્યાં કંસે વસુદેવને કહ્યું કે, મૃત્તિકાવતી નામે મોટી નગરી છે.
ત્યાં દેવકનામે રાજા છે તે મારા કાકા છે. તેને દેવકન્યા જેવી દેવકી નામે પુત્રી છે. તેને તમે પરણો. દશમાં દશાર્ણ વસુદેવે તે વાત સ્વીકારી. વસુદેવ અને કંસ અનુક્રમે મૃત્તિકાવતી નગરી પહોંચ્યા. દેવકી માટે માંગણી કરી. દેવકે તેની રાણી દેવીને પૂછ્યું. પછી શુભ દિવસે વસુદેવ સાથે દેવકીનો વિવાહ થયો. દેવકે વસુદેવને સુવર્ણાદિ પુષ્કળ ભટણું ધર્યું અને દશ ગોકુળના પતિ નંદને કોટિ ગાય સાથે પણ આપ્યો. પછી વસુદેવ, કંસ અને નંદ સાથે મથુરા આવ્યા.
તે વખતે કંસના અનુજ બંધુ જેણે પૂર્વે ચારિત્ર ગ્રહણ કરેલ, તે અતિમુક્ત મુનિ તપશ્ચર્યાથી કૃશ થયેલા, તે પારણાને માટે કંસના ઘેર આવ્યા. તે વખતે કંસની પત્ની જીવયશાએ મુનિની ઘણી કદર્થનાપૂર્વક અનુકૂળ ઉપસર્ગ કર્યા. તે વખતે જ્ઞાની મુનિએ કહ્યું કે, જેના નિમિત્તે આ ઉત્સવ થાય છે. તેનો સાતમો ગર્ભ તારા પતિ કંસ અને તારા પિતા જરાસંધનો હણનાર થશે. કંસે જ્યારે તે વાત જાણી એટલે વસુદેવ પાસેથી વચન લઈને કપટથી દેવકીના સાતે ગર્ભ તેનો સોંપી દેવા કબૂલ કરાવ્યું. દેવકીએ પણ મૂળ વાત નહીં જાણતી હોવાથી તે વાત સ્વીકારી લીધી. વસુદેવને પછીથી તે વાતની જાણ થઈ, પણ પોતે સત્યવચની હોવાથી મનમાં ઘણો પસ્તાવો કરતો રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org