________________
૩૩૨
આગમ કથાનુયોગ-૨
પણ તે બંને ઘોડાઓ વિપરીત શિક્ષા પામેલા હતા. તે ઘોડાની ગતિ પરીક્ષા કરવા માટે તે બેમાંના એક ઘોડા પર ચડીને રાજા સિંહરથ ક્રીડા કરવા નીકળ્યો. તે વિપરિત શિક્ષા પામેલો ઘોડો નદીના પૂરની જેમ દોડતો–દોડતો બાર યોજન દૂર નીકળી ગયો અને એક મહાઅરણ્યમાં રાજાને લાવીને મૂકી દીધો. રાજા તે અશ્વની લગામ ખેંચી ખેંચીને થાકી ગયો હતો. તેથી તેણે લગામ છોડી દીધી જેવી લગામ મૂકી કે અશ્વ ઊભો રહી ગયો.
ત્યારપછી રાજાએ નીચે ઉતરીને અશ્વને વૃક્ષ સાથે બાંધી દીધો, પોતે ફળ–આદિથી પોતાની સુધાનું નિવારણ કર્યું. રાત્રિવાસ કરવા માટે રાજા પાસેના પર્વત પર ચડ્યો. ત્યાં એક સાત માળનો પ્રાસાદ જોઈને રાજાએ તેમાં પ્રવેશ કર્યો. તે મહેલમાં એક મૃગ સરખા નેત્રવાળી કન્યા જોવામાં આવી. તે કન્યા રાજાને જોઈને તુરંત જ ઊભી થઈ, તેણે રાજાને આસન આપ્યું. પછી સિંહસેન રાજાએ તેને પૂછયું કે, હે સુભગ ! તું કોણ છે ? અને અહીં એકલી કેમ રહે છે ? તેણી બોલી કે, પ્રથમ તમે મને ગાંધર્વ વિવાહથી પરણો પછી હું તમને મારું સર્વ વૃત્તાંત જણાવીશ.
તે સાંભળીને રાજાએ તેની સાથે ગાંધર્વ વિવાહ કર્યો. પછી તે સ્ત્રી પોતાનું વૃત્તાંત કહેવા લાગી. આ ભરતક્ષેત્રમાં ક્ષિતિપુર નામે નગર છે. ત્યાં જિતશત્રુ નામે રાજા રહે છે. તેણે એકદા ચિત્રશાળા કરવા માટે ચિત્રકારોને બોલાવ્યા. બોલાવીને આજ્ઞા કરીને કે તમે આ શહેરમાં તમારાં જેટલા ઘર હોય તેટલા વિભાગ કરીને આ સભા ચિતરો, ચિતારાઓ તે પ્રમાણે ભાગ પાડ્યા. પછી તે સભા ચિતરવા લાગ્યા.
તે ચિત્રકારોની સભામાં એક વૃદ્ધ ચિત્રકાર હતો, તેને કોઈ સહાયભૂત થતું ન હતું. માત્ર કનક મંજરી નામે તેને પુત્રી હતી, તે હંમેશાં પિતાને માટે ત્યાં ભોજન લઈને આવતી. તે વૃદ્ધ ચિત્રકારને એવી ટેવ હતી કે, જ્યારે ભોજન આવે ત્યારે શૌચ માટે બહાર જાય. એક વખત કનકમંજરી ભોજન લઈને રાજમાર્ગેથી આવતી હતી, તે વખતે રાજા ઘોડા પર સવાર થઈને ઘોડો દોડાવતો ત્યાંથી નીકળ્યો. તેને જોઈને ભયભીત થયેલી કનકમંજરી દોડીને સભામંડપમાં આવી.
તે સમયે રાજા પણ ચિત્રસભા જોવા માટે ત્યાં આવ્યો. તે ચિત્ર જોતો હતો ત્યારે ભીંત ઉપર ચિત્રિત થયેલું એક મોરનું પીછું તેણે જોયું. તે જોઈને તેણે હાથ લંબાવ્યો, તે મોરપીંછુ લેવા માટે એકદમ પોતાનો હાથ ત્યાં લઈ ગયો. તે ચિત્ર માત્ર હોવાથી મોરનું પીંછુ તો હાથમાં ન આવ્યું, પણ રાજાની આંગળીનો નખ ભાંગી ગયો, તેથી રાજા લજ્જિત થઈ ગયો. તે દૃશ્ય જોઈને કનકમંજરી વિલાસપૂર્વક હાસ્ય કરીને બોલી કે, હવે માંચો (ખાટલી) ચારે પાયાથી પૂર્ણ થઈ ગયો. તે સાંભળીને રાજાએ આગ્રહ કર્યો કે, હે કન્યા ! તું મને જણાવ કે, માંચો કઈ રીતે પૂર્ણ થઈ ગયો ?
ત્યારે તેણી બોલી કે, આજે જ્યારે હું મારા વૃદ્ધ ચિત્રકાર પિતા માટે ભોજન લઈને આવતી હતી, ત્યારે રાજમાર્ગ મેં કોઈ માણસને ઘોડો દોડાવતો જોયો, તે પહેલો મૂર્ખ. તેને મૂર્નાઈરૂપી માંચાનો પહેલો પાયો સમજવો. કેમકે રાજમાર્ગ બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધો વગેરેના જવા-આવવાથી સાંકડો થયેલો હોય છે, તેથી ડાહ્યા પુરુષો ત્યાં ત્વરાથી અશ્વ દોડાવતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org