________________
૨૩૪
આગમ કથાનુયોગ-૨
પામ્યા. સૌધર્મકલ્પ નલિનિગુલ્મ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. પણ તે વૃત્તાંત કોઈના જાણવામાં ન આવ્યો. તેમણે દેવલોકમાં ઉત્પન્ન થતાની સાથે જ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકયો – યાવત્ – તેમણે તેમના શરીરને જોયું, સાધુઓને આગાઢ યોગમાં પ્રવેશ કરાવેલો જાણ્યો. તેમના પ્રત્યેના કરુણાભાવથી દેવે ત્યાં આવીને તે જ શરીરમાં પ્રવેશ કર્યો. પછી સાધુઓને જગાડીને કહ્યું, હે સાધુઓ ! વૈરાત્રિક કાલગ્રહણ કરો. દેવના વચનથી તે સાધુઓએ ક્રિયા કરી. તેમજ શ્રતના ઉદ્દેશ, અનુદેશ, સમુજ્ઞા પણ તેમની પાસે કરી. તે દેવે દિવ્ય પ્રભાવથી તે સાધુઓના કાલભંગ આદિ વિનનું નિવારણ કરીને જલદીથી તે સાધુઓના યોગ પૂર્ણ કરાવ્યા.
પછી જ્યારે તે દેવ પોતાનું શરીર છોડીને સ્વર્ગમાં પાછા જઈ રહ્યા હતા ત્યારે તેમણે સાધુઓને કહ્યું, હે પૂજ્ય શ્રમણો ! ક્ષમા કરજો મેં અસંયમીએ તમોને વંદનાદિક કરાવ્યા છે તમે સંયમી છો, હું તો અમુક દિવસે કાળ કરીને સ્વર્ગમાં ગયો હતો. પણ તમારા પરની અનુકંપાથી અહીં આવીને તમારા યોગ પૂર્ણ કરાવ્યા છે ઇત્યાદિ કહી તે સાધુઓને ખમાવીને સ્વર્ગે ગયા. પછી તે સાધુઓએ તેમનું શરીર પરઠવાવી દીધું. પછી તેઓને આવા પ્રકારનો વિચાર આવ્યો કે, અહો ! આ અવિરતિ દેવને આપણે ઘણાં કાળ સુધી વંદના કરી, તેઓ બધાં સંમત થયા કે, આપણે અવ્યક્ત ભાવે તેઓને વાંદ્યા. તેથી બધાં જ અવ્યક્ત ભાવો છે, માટે બીજે સ્થાને પણ શંકા રાખવી જોઈએ. કેમકે “કોણ. સંયમી છે અને કોણ અસંયમી દેવતા છે તે કોણ જાણે છે ? માટે કોઈએ કોઈને વંદના ન કરવી એ જ શ્રેયસ્કર છે. અન્યથા અસંયમીને વંદના અને મૃષાવાદ એ બે દોષ લાગે છે.
આ રીતે તેઓ અવ્યક્ત–મત વાળા નિલવ થયા. નિર્ણય કર્યો કે, જ્યાં સુધી તમને કે મને પ્રતીતિ ન થાય કે, “આ સંયત છે કે નથી ?” તમારે પણ એ પ્રમાણે જ કરવું–પ્રરૂપવું. આ જ પ્રમાણે સંયતિ કે શ્રાવકો માટે પણ અવ્યક્ત ભાવ ભાવવો. આ પ્રમાણે તેઓ અસદુભાવથી પોતાને, બીજાને અને ઉભયને વ્યર્ડ્સાહિત કરતા વિચરવા લાગ્યા. તેવા પ્રકારના ભારે કર્મના ઉદયથી તે મિથ્યા પરિણામની બુદ્ધિવાળા સાધુઓએ અવ્યક્તવાદને અંગીકાર કર્યો. પરસ્પર વંદનક્રિયાને છોડી દીધી. તે વખતે બીજા સ્થવીર સાધુઓએ તેમને અનુશાસિત કરતાં કહ્યું, જો તમારે બીજા સર્વ ઉપર સંદેહ છે, તો જેણે તમને કહ્યું કે, હું દેવ છું ત્યાં પણ તમને કેમ સંદેહ થયો નહીં કે, તે દેવ છે કે અદેવ છે?
તમારા મતે જો જ્ઞાન નિશ્ચયકારી નથી, તો તેનું અનિશ્ચયકારિત્વ પણ નિશ્ચયને આધીન જ છે. વસ્તુ વ્યસ્ત હોવા છતાં અવ્યક્તત્વ સિદ્ધ થશે. જો આ અનુમાન જ્ઞાન જ હોય તો પણ તે નિશ્ચયકારી ગણશો કે નહીં ગણો ? જો તમે અનુમાનથી નિશ્ચયકારી ગણશો તો તમારી અવ્યક્તત્વની માન્યતા મિથ્યા છે. જો તમે તે જ્ઞાનને અનિશ્ચયકારી ગણશો તો નિશ્ચયથી પ્રતિજ્ઞામાં પણ સર્વથા અનિશ્ચયકારિત્વનો અભાવ થઈ જશે, પછી તેની સાધના કઈ રીતે કરશો? જો સર્વથા તમે શ્રુતજ્ઞાનને પણ જ્ઞાનની અનિચયકારિતાથી જોશો તો પછી સ્વર્ગ–અપવર્ગની સાધના માટે તદર્થે ઉપદેશાવેલ તપ વગેરે પણ અનિશ્ચિત થશે. તો પછી કેશલંચન આદિ અનર્થક થશે અને તેની પ્રરૂપણા કરનાર તીર્થંકરની પણ નિશ્ચિતતા કઈ રીતે થશે? (ઇત્યાદિ અનેક યુક્તિ-પ્રયુક્તિથી થવીરોએ સમજાવ્યા જે ઉત્તરાધ્યયન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org