________________
નિલવ – તિષ્યગુપ્ત કથા
૨ ૩૩
જ આ મત છે. તમારો મત સત્ય જ હોય તો આ લાડુ, ભાત, દાળ, જળ વગેરેના છેલ્લા અવયવ થકી આપની તૃપ્તિ થવી જોઈએ. તેમજ આ એક છેલ્લો વસ્ત્રતંતુ આપને શીતથી રક્ષણ કરનારો થવો જોઈએ. જો તેમ ન માનો તો આપનો જ મત મિથ્થા સાબિત થશે. તે સાંભળીને પ્રતિબોધ પામેલા તિષ્યગુપ્ત બોલ્યા કે, હે શ્રાવક ! મને સ્વસિદ્ધાંતથી પ્રતિલાભિત કરી તેં મને સારો બોધ આપ્યો. વર્ધમાન સ્વામીના સિદ્ધાંતનો પ્રતિલાભ કરીને તેં ભગવંતના સિદ્ધાંતમાં કરેલી મારી શંકાને દૂર કરી છે. આ રીતે તિષ્યગુપ્ત સમ્યક્ બોધ પામ્યા. પછી તે શ્રાવકે ભક્તિપૂર્વક તેમને સારી રીતે પ્રતિલાભિત કર્યા અને “મિચ્છાદુક્કડ' કર્યું – પોતાની અપરાધની ક્ષમા માંગી. ગુરુ ભગવંત પાસે જઈ પોતાની મિથ્યા પ્રરૂપણા સંબંધિ આલોચના–પ્રતિક્રમણ કરીને જિનેશ્વર ભગવંતની આજ્ઞાનુસાર વિચરવા લાગ્યા. સમ્યમ્ માર્ગની પ્રતિપાલના કરી તિષ્યગુપ્ત મુનિ સ્વર્ગે ગયા.
૦ આગમ સંદર્ભ :ઠા ૬૮૮, ૬૮૯ + વૃ; ઉવ ૫૧ ની વૂ કિસી.ભા. ૫૫૬૯, પપ૯૭, પ૬૧૧,
-પ૬૧૮, ૫૬૨૨ થી પ૬૨૪; આવનિ ૭૭૮ થી ૭૮૮; આવ.ભા. ૧૨૭ + 4 આવયૂ.૧–પૃ. ૪૨૦, ઉત્ત.નિ ૧૬૫, ૧૬૮ ની વૃ ઉત્ત.ભાવ.અધ્ય૩–વૃ;
(૩) નિલવ આષાઢ કથા :- (આષાઢ શિષ્યોની કથા) -૦- પરીચય :
ભગવંત મહાવીરના શાસનમાં ત્રીજા નિલવ આષાઢ નામે આચાર્ય થયા. તેમનાથી “અવ્યક્ત' નામે મત શરૂ થયેલો. આ નિલવ મત સેવિયા (શ્વેતાંબિકા) નગરીએ ઉત્પન્ન થયેલો. ભગવંત મહાવીરને કેવળજ્ઞાનની ઉત્પત્તિ પછી ૨૧૪ વર્ષે “અવ્યક્ત” મતસિદ્ધાંત ઉદ્ભવેલો હતો. જે મતનો પછીથી તેઓએ ત્યાગ કરેલો. મૂળભૂત તેઓ સમ્યગદષ્ટિ હતા, પછી મિથ્યાત્વ પ્રવેશેલ. તેઓ નિત્ય પચ્ચકખાણ યુક્ત હતા. શેષ પરીચય જમાલિ મુજબ જાણવો. ૦ આષાઢ કથા :
તે કાળે અને તે સમયે ભગવંત મહાવીરના સિદ્ધિગમન પછી ૨૧૪ વર્ષે ત્રીજો નિહ્નવ ઉત્પન્ન થયો. (અહીં પરીચયમાં કેવળજ્ઞાન પછી ૨૧૪ વર્ષ અને કથામાં નિર્વાણ (સિદ્ધિ) ગમન પછી ૨૧૪ વર્ષ એવા ભેદ એટલે નોંધાયો છે કે, આવશ્યક નિર્યુક્તિ ૭૮૨ મુજબ આ કાળ કેવળજ્ઞાન પછીનો જણાવેલ છે. જ્યારે આવશ્યક ભાષ્ય-૧૨૯, આવશ્યક ચૂર્ણિ–૧–પૃ. ૪૨૧, ઉત્તરાધ્યયન નિર્યુક્તિ ૧૬૯ની વૃત્તિ ઇત્યાદિમાં સિદ્ધિગમન પછી ર૧૪ વર્ષે જણાવેલ છે. હવે પછી બાકીના નિધવોનો કાળ ભગવંતના સિદ્ધિગમન પછીનો જ જણાવેલ છે.)
શ્વેતાંબિકા નામે નગરી હતી, ત્યાં પોલાસ નામે ઉદ્યાન હતું. ત્યાં આર્ય આષાઢ નામના આચાર્ય કે, જે વાંચનાચાર્ય પણ હતા. તેઓ પોતાના ગચ્છ સહિત પધાર્યા. તે ગચ્છમાં આગમનું અધ્યયન કરનારા ઘણાં શિષ્યો હતા. તે શિષ્યો આગાઢ યોગમાં પ્રતિપન્ન થઈ અધ્યયન રત હતા. તે જ દિવસે કોઈ વિચિત્ર કર્મોના ઉદયથી આચાર્ય ભગવંતને રાત્રિના વિશુચિકા થઈ. વાયનો નિરઢ કરવાથી – યાવત્ – તેઓ કાલધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org