________________
આગમ કથાનુયોગ-૨
મંખલિપુત્ર ગોશાલક પણ મારો વધ કરવાને માટે શરીર થકી તેજોલેશ્યા કાઢીને હતતેજ, ગતતેજ, નષ્ટતેજ, ભ્રષ્ટતેજ, લુપ્તતેજ, વિનષ્ટ તેજવાળો થઈ ગયો છે. તેથી હવે હું આર્યો! હવે તમે તમારી ઇચ્છાનુસાર ગોશાલ મંખલિપુત્ર સાથે ધર્મચર્ચા કરો; ધાર્મિક પ્રતિસારણા કરો, ધાર્મિક પ્રત્યુપચાર વિચાર—વિવાદ કરો અને અર્થ હેતુ પ્રશ્ન-વ્યાકરણ અને કારણો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર ન આપી શકે તે પ્રકારે તેને નિરુત્તર કરો.
-
ત્યાર પછી તે શ્રમણ નિર્પ્રન્થોએ શ્રમણ ભગવંત મહાવીરની આજ્ઞા – અનુમતિને સાંભળીને, શ્રમણ ભગવંત મહાવીરને વંદન—નમસ્કાર કર્યા, વંદન—નમસ્કાર કરીને જ્યાં ગોશાલક મંખલિપુત્ર હતો, ત્યાં આવ્યા. ત્યાં આવીને ગોશાલક મંખલિપુત્રની સાથે ધાર્મિક ચર્ચા પ્રતિચોદના કરવા લાગ્યા. તથા અર્થહેતુ કારણ દ્વારા પ્રશ્નોનું વિવેચન કરવાને ઉત્તર આપવાને અયોગ્ય અર્થાત્ નિરુત્તર કરી દીધા.
ત્યારે તે ગોશાલક મંખલિપુત્ર શ્રમણ નિર્પ્રન્થો દ્વારા ધાર્મિક પ્રતિચોદના વડે પ્રતિચોદનિત, ધાર્મિક પ્રતિસારણથી પ્રતિસારિત, ધાર્મિક પ્રત્યુપચારથી પ્રત્યુપચારિત, અર્થ, હેતુ, કારણ, પ્રશ્ન, વ્યાકરણ દ્વારા નિરુત્તરિત કરાયો ત્યારે અર્થાત્ ઉત્તર ન આપી શકે તેવો કરાયો ત્યારે ક્રોધાભિભૂત, રોષાયમાન, કોપાયમાન, ચંડિકાવત્ રૌદ્ર થઈને દાંતોનો કચકચાવતો એવો થવા છતાં પણ તે શ્રમણ નિગ્રન્થોના શરીરને કંઈ પણ પીડા, ઉપદ્રવ—બાધા આદિ કંઈપણ ઉત્પન્ન કરવામાં (પહોંચાડવામાં) અથવા શ્રમણ નિર્પ્રન્થોના અંગભંગ કરવામાં સમર્થ થઈ શક્યો નહીં.
૨૯૦
૦ ગોશાળાના આજીવિક સંઘમાં ભેદ :~
ત્યાર પછી કેટલાંક આજીવિક સ્થવિરોએ શ્રમણ નિગ્રન્થો દ્વારા પ્રતિચોદનાથી પ્રતિચોદિત, ધાર્મિક પ્રતિસારણથી પ્રતિસારિત, ધાર્મિક પ્રત્યુપચારથી પ્રત્યુપચારિત અને અર્થ, હેતુ, પ્રશ્ન, વ્યાકરણ અને કારણો દ્વારા મંખલિપુત્ર ગોશાલકને નિરુત્તર કરતો એવો જોઈને તથા ગોશાલકને ક્રોધાભિભૂત, રોષાયમાન, કોપાયમાન, ચંડિકાવત્ પ્રચંડ થઈને અને દાંતોને કચકચાવતો હોવા છતાં શ્રમણ નિર્પ્રન્થોના શરીરમાં કંઈપણ પીડા, બાધા, છવિચ્છેદ ન કરતો એવો જોયો. તે જોઈને તેઓ ગોશાલક મંખલિપુત્રની નિશ્રામાંથી નીકળી ગયા અર્થાત્ આજીવિક સંઘનો ત્યાગ કર્યો. એમ કરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરે તે ત્રણ વખત આદક્ષિણ—પ્રદક્ષિણા કરી, વંદન—નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને શ્રમણ ભગવંત મહાવીરનો આશ્રય લઈને ભગવંતની નિશ્રામાં વિચરવા લાગ્યા.
જ્યારે કેટલાંક આજીવિકસ્થવિર મંખલિપુત્રગોશાળાના આશ્રયે વિચરવા લાગ્યા. ૦ ગોશાળાની વિચિત્ર પ્રવૃત્તિઓ :–
ત્યાર પછી ગોશાલક મંખલિપુત્ર જે અર્થને (કાર્યને) સિદ્ધ કરવાને માટે આવેલ હતો, તે અર્થને સિદ્ધ ન થતો જોઈને, ચારે દિશાઓમાં લાંબે સુધી દૃષ્ટિ કરતો એવો, લાંબા—લાંબા દીર્ઘ અને ગરમ નિઃશ્વાસોને છોડતો એવો પોતાની દાઢીના વાળોને ખેંચવા લાગ્યો. ગર્દનની પાછળના ભાગને વારંવાર ખંજવાળવા લાગ્યો. કમરની નીચેના ભાગ કુલ્લાને પ્રસ્ફોટિત કરવા લાગ્યો, હાથોને હલાવતો અને બંને પગોને ભૂમિ પર પટકવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org