SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ગોશાલક કથા ૨૮૯ શ્રમણ ભગવંત મહાવીરનો વધ કરવાને માટે મંખલિપુત્ર ગોશાલક દ્વારા પોતાના શરીરમાંથી બહાર કાઢવામાં આવેલ તપોજન્ય તેજલેશ્યા ભગવંતને ક્ષતિ પહોંચાડવા માટે સમર્થ કે વિશેષ સમર્થ થઈ શકી નહીં. ૦ તેજલેશ્યાનો ગોશાળાના શરીરમાં પ્રવેશ : (ભગવંતને ક્ષતિ પહોંચાડવામાં અસમર્થ બનેલી તેજલેશ્યા) ગમનાગમન કરવા લાગી, પછી તે તેજલેશ્યા ભગવંતને આદક્ષિણ-પ્રદક્ષિણા કરવા લાગી, પ્રદક્ષિણા કરીને તે તેજલેશ્યા આકાશમાં ઊંચે ઉછળી અને પછી ત્યાંથી પ્રતિહત થઈને તે જ મંખલિપુત્ર ગોશાળાના શરીરને બાળતી એવી તેના શરીરની અંદર પ્રવેશ કરી ગઈ. ૦ ગોશાળા દ્વારા ભ મહાવીરના મરણકાળનું કથન : ત્યાર પછી ગોશાલક મંખલિપુત્ર દ્વારા પોતાની જ તેજોલેશ્યાથી પરાભવને પ્રાપ્ત કરીને શ્રમણ ભગવંત મહાવીરને આ પ્રમાણે કહ્યું, હે આયુષ્યમાન્ કાશ્યપ ! મારા, તપતેજથી પરાભવને પ્રાપ્ત થતો એવો તું પિત્તજ્વર યુક્ત શરીરવાળો થઈને છ માસમાં જ દાહજ્વરની પીડાથી છઘસ્થ અવસ્થામાં જ કાળ કરી જઈશ–મૃત્યુ પામીશ. ૦ ભ૦મહાવીર દ્વારા ગોશાળાના મરણ કાળનું કથન : ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે ગોશાલક મંખલિપુત્રને આ પ્રમાણે કહ્યું, હે ગોશાલક ! હું તારા તપ કે તેજથી પરાભવને પ્રાપ્ત થઈને પિત્તજ્વરથી આક્રાન્ત શરીરવાળો થઈ, દાહની પીડાથી પીડિત થઈને છ માસમાં છપસ્થ અવસ્થામાં કાળ કરીશ નહીં. પરંતુ હજી બીજા સોળ વર્ષપર્યંત ગંધહસ્તિ સમાન જિનરૂપે – તીર્થકરરૂપે વિચરીશ, પરંતુ હે ગોશાલક ! તું પોતે જ પોતાના તપ અને તેજથી પરાભવને પ્રાપ્ત થઈને આજથી સાત રાત્રિના અંતે પિત્તજ્વરથી ગ્રસ્ત શરીરવાળો થઈને દાવેદનાથી પીડાઈને છદ્મસ્થ અવસ્થામાં જ કાળ કરીશ અર્થાત્ મૃત્યુ પામીશ. ૦ શ્રાવસ્તીમાં જનપ્રવાદ : ત્યાર પછી શ્રાવસ્તી નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ અને સામાન્ય માર્ગ આદિમાં ઘણાં લોકો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા – થાવત્ - પ્રરૂપણા કરવા લાગ્યા કે, હે દેવાનુપ્રિયો ! શ્રાવસ્તી નગરીની બહાર કોષ્ઠક ચૈત્યમાં બે જિન પરસ્પર એવો સંલાપ કરે છે – તે બેમાંથી એક આ પ્રકારે કહે છે કે, તું પહેલા કાળ કરીશ અને બીજો એક એમ કહે છે કે, તું પહેલા મરી જઈશ. આ બેમાંથી ખબર પડતી નથી કે કોણ સત્યવાદી છે અને કોણ મિથ્યાવાદી ? તે લોકોમાં જે પ્રધાન–પ્રમુખ મનુષ્યજન હતા તેઓ કહેતા હતા કે, શ્રમણ ભગવંત મહાવીર સમ્યકૂવાદી–સત્યવાદી છે અને ગોશાળો મંખલિપુત્ર મિથ્યાવાદી છે. ૦ ભગવંતના કહ્યા મુજબ નિગ્રંથોનો ગોશાળાને બોધ : શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણ નિર્ચન્થોને સંબોધિત કરીને કહ્યું, હે આર્યો ! જે પ્રકારે તૃણરાશિ, કાષ્ઠરાશિ, પત્રરાશિ, ત્વચારાશિ, તુષરાશિ, ભૂસરાશિ, ગોમયરાશિ અને અવકર રાશિ અગ્નિથી નાશ, અગ્નિથી દગ્ધ અને અગ્નિથી પરિણામાન્તરને પ્રાપ્ત થતા–થતા હતતેજ, ગતતેજ, નષ્ટતેજ, ભ્રષ્ટતેજ, લુપ્તતેજ વિનષ્ટ તેજ થઈ જાય છે, એ જ પ્રમાણે રિ ૧૯]. Jain International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy