SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ગોશાલક કથા ૨૯૯ દાડમ્પરને કારણે ભગવંતને લોહીખંડઝાડા થયેલા છે ઇત્યાદિ વર્ણન પૂર્વવત્. – યાવતું - તેઓએ માલુકા કચ્છમાં પ્રવેશ કરેલ છે – યાવત્ – તેઓ સિસકતા એવા રૂદન કરી રહ્યા છે. તેથી હે આર્યો ! તમે જાઓ અને સિંહ અણગારને બોલાવીને અહીં લાવો. તત્પશ્ચાત્ તે શ્રમણ નિર્ગળ્યોએ ભગવંત મહાવીરની આ આજ્ઞાને સાંભળીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને તેઓ શ્રમણ ભગવંતની પાસેથી અને શાલકોષ્ઠક ચૈત્યથી નીકળ્યા. નીકળીને જ્યાં માલુકાકચ્છ હતો, જ્યાં સિંહ અણગાર (રૂદન કરી રહ્યા) હતા. ત્યાં પહોંચ્યા. પહોંચીને સિંહ અણગારને આ પ્રમાણે કહ્યું, હે સિંહ ! તમને ધર્માચાર્ય (ધર્મઉપદેશક શ્રમણ ભગવંત મહાવીર) બોલાવી રહ્યા છે. તદનન્તર શ્રમણ નિર્ચન્થોની સાથે સિંહ અણગાર માલુકા કચ્છથી નીકળ્યા, નીકળીને જ્યાં શાલકોપ્ટક ચૈત્ય હતું, તેમાં જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન રહેલા હતા, ત્યાં આવ્યા, ત્યાં આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને ભગવંતથી અતિ દૂર નહીં તેમ અતિ નીકટ નહીં એવા યથાયોગ્ય સ્થાને ઊભા રહીને પર્યાપાસના કરવા લાગ્યા. શ્રમણ ભગવંત મહાવીર સિંહ અણગારને કહ્યું, ધ્યાનાંતરિકામાં વર્તતા એવા તમને આ પ્રકારનો વિચાર આવેલો કે, મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ ભગવંત મહાવીરના શરીરમાં અત્યંત વિકટ અને પીડાકારી રોગાંતક ઉત્પન્ન થયેલ છે – યાવત્ – તું અત્યંત રૂદન કરવા લાગ્યો. તે સિંહ ! શું એ વાત સત્ય છે ? હાં ભગવન્! એ સત્ય છે. હે સિંહ ! ગોશાલક મંખલિપુત્રના તપ અને તેજથી પરાભૂત થઈને હું છ માસના અંતે પિત્તજ્વરથી પરાક્રાન્ત શરીરવાળો થઈને દાહની વેદનાથી છવ્વસ્થ અવસ્થામાં ખરેખર એ પ્રમાણે કાળ કરવાનો નથી. હું બીજા સાડા પંદર વર્ષ પર્યત ગંધહસ્તીની સમાન જિનપણામાં હું વિચરીશ. તેથી હે સિંહ ! તું મેંઢિક ગ્રામમનગરમાં રેવતી ગાથા પત્નીના ઘેર જા. ત્યાં રેવતી ગાથાપત્નીએ મારા નિમિત્તે કોળાના બે ફળોનો પાક સંસ્કારિત કરીને તૈયાર કરેલો છે, મારે તેનું કોઈ પ્રયોજન નથી અર્થાત્ મારે તે કલ્પતા નથી. પરંતુ તેને ત્યાં માર્જર નામની વાયુને શાંત કરનાર વનસ્પતિજન્ય બિજોરા પાક જે કાલે તૈયાર કરેલ છે, તેને લઈ આવ તે મારા માટે ઉપયુક્ત છે અર્થાત મને કપ્ય છે. ૦ સિંહ મુનિ દ્વારા રેવતી શ્રાવિકાને ત્યાંથી ઔષધ લાવવું : ત્યાર પછી સિંહ અણગાર શ્રમણ ભગવંત મહાવીરના એ કથનને સાંભળ્યું, ત્યારે તે સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયા – યાવત્ – આનંદિત હૃદયવાળા થઈને શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કર્યા બાદ અત્વરિત, અચપળ અને અસંભ્રાન્ત થઈને મુખવસ્ત્રિકાનું પડિલેહણ કર્યું, પડિલેહણ કરીને પાત્ર–વસ્ત્રાદિની પડિલેહણા કરી. પડિલેહણ કરીને પાત્ર આદિનું પ્રમાર્જન કર્યું. પ્રમાર્જના કરીને પાત્રાને હાથમાં લીધા, લઈને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને શ્રમણ ભગવંત મહાવીર પાસેથી તથા શાલ કોષ્ઠક ચૈત્યથી નીકળ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy