________________
૨૦૪
આગમ કથાનુયોગ-૨
આયુષ્યવાળા દેવો પણ આયુષ્ય પૂર્ણ થતા ચ્યવે છે. તેથી બીજા પદાર્થોની જેમ તેઓ પણ અનિત્ય છે. માટે દેવપણાની આકાંક્ષા ન રાખતા શાશ્વત એવા મોક્ષનો જ વિચાર કરવો. મોક્ષ માટે જ પ્રયત્ન કરવો. એ પ્રમાણે દેવોના અનિત્યપણાને સૂચવીને પ્રાણીઓને બોધ આપેલ છે. પણ એ વેદપદો દેવો નથી એમ જણાવતાં નથી. ૦ સંશય નષ્ટ થતા મૌર્યપુત્રની દીક્ષા :
જન્મ, જરા, મરણથી વિમુક્ત થયેલા જિનેશ્વરના વચનોથી મૌર્યપુત્રના સંશયનું નિવારણ થયું. તેને પ્રતીતિ થઈ કે, “દેવો છે તેથી તેણે પોતાના ૩૫૦ શિષ્યો સહિત ભગવંત મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી. તેઓ ભગવંત મહાવીરના શાસનમાં સાતમા ગણધર થયા. ત્યાર પછી ભગવંત પાસેથી ૩qન્ને ડું વા, વિપામે રૂ વીં, યુવે ૩ વા એ ત્રિપદીરૂપ માતૃકાન્યાસ પ્રાપ્ત કરીને દ્વાદશાંગી–ગણિપિટકની રચના કરી – યાવત્ – ભગવંતે મૌર્યપુત્ર ગણધરના મસ્તક પર દિવ્યવાસચૂર્ણનો ક્ષેપ કર્યો ઇત્યાદિ સર્વ કથન અગ્રિભૂતિ ગણધર મુજબ જાણવું. ૦ મૌર્યપુત્રને કેવળજ્ઞાન અને નિર્વાણ :
મૌર્યપુત્ર ૬૫ વર્ષ સુધી ગૃહસ્થપણામાં રહ્યા. ત્યાર પછી તેમણે દીક્ષા લીધી. ચૌદ વર્ષનો તેમનો છઘWપર્યાય રહ્યો. પછી તેઓ ૭૯ વર્ષે કેવળજ્ઞાન પામ્યા. તેમનો કેવલી પર્યાય ૧૬ વર્ષનો હતો. એ રીતે ૩૦ વર્ષનું શ્રમણપણું પાળ્યું. ૯૫ વર્ષનું પૂર્ણાયુ ભોગવ્યું. (* અહીં સમવાયાંગ સૂત્ર–૧૪૩ની ટીકામાં અભયદેવસૂરિજી જણાવે છે કે, પંડિતપુત્ર મોટો ભાઈ છે. બંનેની દીક્ષા એક જ દિવસે થયેલી છે. તો પછી મૌર્યપુત્રની ઉંમર ૬૫ વર્ષ અને પંડિતપુત્રની ૫૩ વર્ષ દેખાડે છે, તે સમજી શકાતું નથી.)
અમે પણ આવશ્યક સૂત્ર નિર્યુક્તિ ૬૫૦ થી ૬પ૬ને મેળવી જોઈ. જેમાં ઉપરોક્ત ઉમરો લખી છે. ગૃહસ્થ પર્યાય ૬૫ વર્ષ છવસ્થતા ૧૪ વર્ષ, કેવલી પર્યાય ૧૬ વર્ષ કુલઆયુ ૯૫ વર્ષ માતા બંનેની એક જ છે. મંડિતપુત્રના પિતા ધનદેવના મૃત્યુ બાદ મૌર્ય સાથે લગ્ન કર્યા પછી મૌર્યપુત્રનો જન્મ થયો છે. તો મંડિત કરતા મૌર્યપુત્ર મોટા કઈ રીતે હોઈ શકે તે સમજાતું નથી. વળી આવશ્યક ચૂર્ણિ – વૃત્તિ કે દીપિકામાં આ વિષયે કશું જણાવેલ નથી.
ગણધર મૌર્યપુત્રએ છેલ્લે રાજગૃહીમાં એક માસનું પાદપોપગમન અનશન સ્વીકાર્યું. ભગવંતના નિર્વાણ પૂર્વે જ તેઓ નિર્વાણ પામ્યા. તેઓ ૩૫૦ શિષ્યોને વાચના આપતા હતા. દ્વાદશાંગી–ચૌદ પૂર્વના ધારક હતા. સર્વલબ્ધિસંપન્ન, વજઋષભ નારાચ સંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાનથી યુક્ત હતા. નિર્વાણ પૂર્વે પોતાનો ગણ સુધર્માસ્વામીને સોંપીને શિષ્ય સંતતિ રહિત થઈ કાળધર્મ પામ્યા.
૦ આગમ સંદર્ભ :સમ. ૧૯, ૧૪૩, ૧૭૪;
આવનિ પ૯૨, પ૯૪ થી ૧૯૭, ૬૨૨ થી ૬૨૫, ૬૪૩ થી ૬૫૦, ૬૫ર થી ૬૫૫, ૬૫૭ થી ૬૫૯; નંદી. ૨૧; કલ્પ.D. ૮/ર થી ૪;
કલ્પ. ૧૨૧ ની જ
–
૪
–
૪
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org