SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધર – અપિત કથા ૨૦૫ ૮. ગણધર અકંપિત કથા :–૦- પરીચય : ભગવંતના આઠમાં ગણધર અકંપિત થયા. તેનો જન્મ મહિલા ગામે થયો હતો. તેમના પિતાનું નામ દેવ અને માતાનું નામ જયંતી હતું. ઉત્તરાષાઢા વાળા આ ગણધરનું ગોત્ર ગૌતમ હતું. તેઓ બ્રાહ્મણ કુળમાં જન્મેલા. તેમની કાયા સાત હાથની હતી. તેઓ ૩૦૦ શિષ્યોના અધ્યાપક હતા. ઉન્નત્ત કુળ અને વિશાળ વંશવાળા હતા. તેઓ મધ્યમ પાપાનગરીમાં સોમીલ નામના ધનાઢય બ્રાહ્મણે આયોજિત કરેલા યજ્ઞમાં પોતાના શિષ્યો સહિત પધારેલા હતા. અકંપિતના મનમાં સંશય હતો કે, “નારકી છે કે નહીં.” પોતાના સર્વજ્ઞપણાના અભિમાનની ક્ષતિના ભયથી બીજા વિદ્વાન્ બ્રાહ્મણને પૂછીને પોતાના સંશયનું નિવારણ કરતા ન હતા. ૦ અકંપિતનું આગમન અને ભગવંત દ્વારા સંશય નિવારણ : ઇન્દ્રભૂતિ આદિ સાતને દીક્ષિત થયાનું સાંભળી અકંપિત નામક આઠમા પંડિત વિચાર્યું કે, જેમના ઇન્દ્રભૂતિ આદિ સાત શિષ્યો થયા તેઓ મારે પણ પૂજ્ય જ છે. માટે હું પણ ત્યાં જઉં અને મારા સંશયનું નિવારણ કર્યું. આ પ્રમાણેના સંકલ્પપૂર્વક અકંપિત પોતાના ૩૦૦ શિષ્યો સહિત નીકળ્યા. જિનેશ્વર ભગવંત મહાવીર પાસે આવ્યા. ભગવંતને વંદના કરી ભગવંતની પર્યાપાસના કરતા ત્યાં ઊભા રહ્યા. જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા, સર્વજ્ઞ–સર્વદર્શી જિનેશ્વર ભગવંત મહાવીરે તેને નામ અને ગોત્રપૂર્વક બોલાવતા કહ્યું કે, હે અકંપિત તમે ભલે આવ્યા. તેમને સંશય છે કે, “નારકી છે કે નહીં ?" તારા ચિત્તમાં આવો સંશય પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદવાકયોથી ઉત્પન્ન થયેલો છે. તે વેદપદો આ પ્રમાણે છે – ન વૈ પૈત્ર નવે નારા: સંન્તિ” આદિ. હે અકંપિત ! તું વેદપદોના અર્થને બરાબર જાણતો નથી. તેથી તને આવો સંશય થયેલો છે. પરંતુ તારા સંશયના નિવારણાર્થે હું તને તેનો યોગ્ય અર્થ જણાવું છું. “ હું વૈ પ્રેત્ય નર નારા: ક્ષત્તિ એ વેદપદોનો અર્થ તું એવો કરે છે કે, પ્રત્યેક અર્થાતુ નરકમાં નારકો નથી. અર્થાત્ કોઈપણ પ્રાણી મરીને પરભવમાં નારકી થતા નથી. વળી તું માને છે કે, દેવો તો ચંદ્ર-સૂર્ય આદિ પ્રત્યક્ષ જણાય છે. વળી મનુષ્યો કોઈ દેવની માનતા માને છે, તો કેટલાકને તે માનેલી માન્યતાનું ફળ પણ મળતું દેખાય છે. આ પ્રમાણે તે માનતાનું ફળ જોઈને અનુમાનથી પણ જણાય છે કે, દેવો છે. પણ નારકી તો પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણથી પણ જણાતા નથી, તેથી નારકી નથી. પરંતુ બીજા વેદપદોની શ્રુતિ પણ તું જાણે છે – “નાર વૈ ણ ઝાયતે : શુદામશ્રાતિ એટલે જે બ્રાહ્મણ શુદ્રનું અન્ન ખાય છે તે નારકી થાય છે. એ વેદપદોથી નારકીની વિદ્યમાનતા જણાય છે. કેમકે જો નારકી ન હોય તો “શુકનું અન્ન ખાનારો બ્રાહ્મણ નારકી થાય" એવું કઈ રીતે કહેવાય. આવી રીતે પરસ્પર વિરુદ્ધ લાગતા વેદપદોથી સંશયમાં પડેલો છે કે નારકી છે કે નથી ? પરંતુ હે અકંપિત ! આ તારો સંશય અયુક્ત છે. કેમકે વૈ નર નારા: મિ એ વેદપદોનો અર્થ તું સમજ્યો નથી. તેઓનો અર્થ આ પ્રમાણે છે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy