________________
મૌર્યપુત્ર કથા
ઇન્દ્રભૂતિ વગેરે છ ની દીક્ષા થયાનું સાંભળીને સાતમા મૌર્ય નામના પંડિતે વિચાર્યું કે, જેમના ઇન્દ્રભૂતિ આદિ છ શિષ્યો થયા તે મારે પણ પૂજ્ય જ છે. માટે હું પણ ત્યાં જઉ અને મારા સંશયનું નિવારણ પ્રાપ્ત કરું. આ પ્રમાણેના સંકલ્પપૂર્વક મૌર્યપુત્ર પોતાના ૩૫૦ શિષ્યો સાથે નીકળ્યા. જિનેશ્વર ભગવંત મહાવીર પાસે આવ્યા. ભગવંતને વંદના કરી, ભગવંતની પર્યાપાસના કરતા ઊભા રહ્યા. જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા સર્વજ્ઞ—સર્વદર્શી જિનેશ્વર ભગવંત મહાવીરે મૌર્યપુત્રને તેમના નામ અને ગોત્રપૂર્વક બોલાવ્યા અને કહ્યું કે, હે મૌર્યપુત્ર ! તને એવો સંશય છે કે, “દેવો છે કે નહીં ?'' તારા ચિત્તમાં આવો સંશય પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદવાક્યોથી ઉત્પન્ન થયેલો છે. તે વેદપદો આ પ્રમાણે છે “को जानाति मायोपमान् गीर्वाणान् इन्द्र, यम, વળ, વેરાવી'' ઇત્યાદિ.
ગણધર
-
હે મૌર્યપુત્ર ! તું વેદપદોના અર્થને બરાબર જાણતો નથી. તેથી તને આવો સંશય થયો છે. પરંતુ તારા સંશયના નિવારણાર્થે હું તને તેનો યોગ્ય અર્થ જણાવું છું. જો જ્ઞાનતિ. વેદપદોનો અર્થ તું એવો કરે છે કે, ઇન્દ્રાદિ દેવો માયારૂપ છે. જેમ માયા– ઇન્દ્રજાળ ખરેખર કંઈ હોતું નથી, તેમ વાસ્તવિક રીતે દેવો પણ હોતા નથી. વળી તું યુક્તિથી પણ વિચારે છે કે, નારકીઓ તો પરતંત્ર અને દુઃખથી વિહ્વળ હોવાથી અહીં આવી શકતા નથી, તેથી તેઓને પ્રત્યક્ષ જોવાનો કોઈ ઉપાય નથી. તેથી શાસ્ત્ર વચનાનુસાર “નારકીઓ છે'' તેમ શ્રદ્ધા રાખવી જોઈએ. પણ દેવો તો સ્વતંત્ર અને પ્રભાવશાળી હોવાથી અહીં આવવાને સમર્થ છે. છતાં પણ દેવો દૃષ્ટિગોચર થતા નથી માટે દેવો હોવા જોઈએ નહીં.
૨૦૩
પરંતુ દેવોની વિદ્યમાનતા જણાવનારાં વેદપદોની પણ તને શ્રુતિ છે. “સપ યજ્ઞાયુધી યજ્ઞમાનોઽગ્નતા સ્વર્તો ઘ્ધતિ'' એટલે કે, જેને યજ્ઞરૂપ આયુધ-શસ્ત્ર છે એવો તે યજમાન જલ્દીથી સ્વર્ગલોક-દેવલોકમાં જાય છે. આ વેદપદોથી સ્પષ્ટ જણાય છે કે, દેવો છે. કેમકે જો દેવો ન હોય તો દેવલોક કયાંથી હોય ? આવી રીતે વિરુદ્ધ લાગતા વેદપદોથી તું સંશયમાં પડ્યો છે કે, “દેવ છે કે નથી ? પરંતુ હે મૌર્યપુત્ર ! આ તારો સંશય અયુક્ત છે. કેમકે સમવસરણમાં આવેલા આ દેવોને તું અને હું પ્રત્યક્ષ જોઈએ છીએ. વળી ચંદ્ર–સૂર્યાદિ જ્યોતિષ્ક દેવોના વિમાનોને સર્વ લોકો પ્રત્યક્ષ જુએ છે. જો દેવો ન હોય તો આ વિમાનો કઈ રીતે દેખાય ? દેવો સ્વચ્છંદચારી છે, કામરૂપ છે. પ્રકૃષ્ટ દિવ્ય પ્રભાવવાળા છે અને અહીં આવવાને સમર્થ છે છતાં કેમ નથી આવતા એવું તું જે વિચારે છે તેનું કારણ એ છે કે, દેવગણ હંમેશા સંગીત-નાટ્યાદિ કાર્યોમાં વ્યગ્ર હોય છે. દિવ્ય પ્રેમ, વિષયમાં આસક્તિ આદિ કારણોથી, મનુષ્યલોકની દુર્ગંધ સહન ન થવાથી, સ્ત્રીના પ્રકૃષ્ટરૂપ આદિમાં પ્રસક્ત રહેવાથી ઇત્યાદિ કારણે આવતા નથી. તો પણ તીર્થંકરોના કલ્યાણક આદિમાં, ભકિતથી, પૂર્વભવની પ્રીતિથી કે પૂર્વભવના દ્વેષથી વગેરે કારણોથી દેવતાઓ આવતા જ હોય છે.
વેદપદોમાં દેવોને જે માયા સદશ કહ્યા છે, તે દેવોનું અનિત્યપણું સૂચવે છે. મોટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org