SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ વાસુદેવ ચરિત્ર ૧૪૩ ઠા. ૮૧૧ થી ૮૧૪; સેમ ૧૨૮, ૩૨૩, ૩૨૪, ૩૨૮ થી ૩૪૪; આવ.નિ. ૪૦૨ થી ૪૦૫, ૪૦૮, ૪૦૯, ૪૦૯, ૪૧3; આવ.ભા. ૪૦ થી ૪3; આવ.સ્. ૧-પૃ. ૨૨૦; આવ.નિ ૪૧૯ થી ૪૨૧ની વૃ. તિલ્યો. ૪૭૭, પ૭૭, ૬૦૪, ૬૦૫, ૬૧૫; - x – ૪ – ૫. પુરુષસિંહ વાસુદેવ–પરીચય : જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં પાંચમાં વાસુદેવ પુષસિંહ થયા. તેમનો જન્મ આસપુર (અશ્વપુર)માં રાજા શીવની (પત્ની) રાણી અમૃતાની કુક્ષિથી થયેલ. તેમનો વર્ણ નીલ હતો. ગૌતમ ગોત્રના આ વાસુદેવની ઊંચાઈ ૪૫ ધનુષ્ય હતી. સુદર્શન બળદેવ તેના ભાઈ હતા. પુરુષસિંહ વાસુદેવનું પૂર્વભવનું નામ ઋષિપાલ હતું. આચાર્ય કૃષ્ણ તેના ધર્માચાર્ય હતા. તે ભવે તેણે રાજગૃહી નગરીમાં રંગમાં પરાજય નિમિત્તે નિયાણું કરેલ. પુરુષસિંહ વાસુદેવના પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ)નું નામ નિશુંભ હતું. તેને તેના જ ચક્ર વડે વાસુદેવે મારી નાંખેલ. દશ લાખ વર્ષનું આયુ પૂર્ણ કરી તેઓ (આવ.નિ. ૪૧૩, ઠાણ. ૯૩૦, સમ. ૩૪૩ પ્રમાણે) છઠી નરકમાં ઉત્પન્ન થયા. જ્યારે (સમ. ૨૧ર મુજબ) પાંચમી નરકે ઉત્પન્ન થયા. તેઓ ભગવંત ધર્મનાથના શાસનમાં થયેલા. તેમની પૂર્વે બે ચક્રવર્તી અને ચાર વાસુદેવ થયેલા. -૦- પુરુષસિંહ વાસુદેવ કથાનક :– આગમોમાં આટલી જ માહિતી ઉપલબ્ધ છે. વિશેષ કથા ત્રિષષ્ટિ શલાકા કે “ચઉપ્પન મહાપુરુષ ચરિય’થી જાણી શકાય. ૦ આગમ સંદર્ભ :ઠL ૮૧૧ થી ૮૧૪, ૯૩૦ સમ. ર૧૨, ૩ર ર, ૩ર૪, ૩ર૮ થી ૩૪૪; આવ.નિ. ૪૦૨ થી ૪૦૫, ૪૬૮, ૪૦૯, ૪૧3; આવ.ભા. ૪૦ થી ૪3; આવ.યૂ.૧–પૃ. ૨૨૦; આવ.નિ. ૪૧૯ થી ૪ર૧ની વૃ. તિલ્યો. ૪૭૮, પ૭૭, ૬૦૨ થી ૬૧૫; ૬. પુરુષપુંડરિક વાસુદેવ પરીચય : જંબૂલીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં છઠા વાસુદેવ પુરુષપુંડરિક થયા. તેમનો જન્મ ચક્રપુરમાં રાજા મહાશીવની (પત્ની) રાણી લચ્છીમતીની કુક્ષિથી થયેલો. તેમનો વર્ણ નીલ હતો. ગૌતમ ગોત્રના આ વાસુદેવની ઊંચાઈ ૨૯ ધનુષ હતી. આનંદ બળદેવ તેના ભાઈ હતા. પુરુષપુંડરિક વાસુદેવનું પૂર્વભવનું નામ પ્રિયમિત્ર હતું. તે ભવે આચાર્ય ગંગદત્ત તેમના ધર્માચાર્ય હતા. તે ભવે તેમણે કાકંદી નગરીમાં ભાર્યાના અનુરાગથી નિયાણું કરેલ. આ વાસુદેવના પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ)નું નામ બલિ હતું. તેના જ ચક્ર વડે તેની પુરુષપુંડરિકે હત્યા કરેલ. ૬૫,૦૦૦ વર્ષનું આયુ પૂર્ણ કરી તેઓ છઠી નરકે ઉત્પન્ન થયા. તેઓ ભગવંત અરનાથ અને ભ૦મલ્લિનાથના શાસનના વચ્ચેના અંતરમાં થયા. તેમની પૂર્વે બે ચક્રી પછી પાંચ વાસુદેવ પછી પાંચ ચક્રી એ રીતે સાત ચક્રી અને પાંચ વાસુદેવ થયેલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy