________________
૧૪૪
આગમ કથાનુયોગ-૨
–૦- પુરુષપુંડરિક વાસુદેવ કથાનક :– આગમોમાં આટલી જ માહિતી ઉપલબ્ધ છે. વિશેષ કથા ત્રિષષ્ટિ શલાકા, કે ઉuત્ર મહાપુરુષ થી જાણવી.
૦ આગમ સંદર્ભ :ઠા. ૮૧૧ થી ૮૧૪;
સમ. ૩૨૩, ૩૨૪, ૩ર૮ થી ૩૪૪; આવ.નિ. ૪૦૨ થી ૪૦૫, ૪૦૮, ૪૦૯, ૪૧૩;
આવ.ભા. ૪૦ થી ૪3; આવ.યૂ. ૧–પૃ. ૨૨૦; આવ નિ ૪૧૯ થી ૪૨૧ની વૃ, તિલ્યો. ૬૦૨-૬૧૫;
૭. દત્ત વાસુદેવ પરીચય :
જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં સાતમા વાસુદેવ દત્ત નામે થયા. તેમનો જન્મ વાણારસી નગરીના રાજા અગ્રિસીહની (પત્ની) રાણી શેષવતીની કુક્ષિથી થયો. તેમનો વર્ણ નીલ હતો. ગૌતમ ગોત્રના આ વાસુદેવની ઊંચાઈ (આવ.નિ.૪૦૩) ૨૬ ધનુષુ અને ધનુષુ સમ. ૧૧૧ મુજબ – ૩૫) ધનુષની હતી. નંદન બળદેવ તેના ભાઈ હતા. દત્ત વાસુદેવનું પૂર્વભવનું નામ લલિતમિત્ર હતું. તે ભવે આચાર્ય સાગર તેના ધર્માચાર્ય હતા. તે ભવમાં કૌશાંબીનગરીમાં ગોષ્ઠી નિમિત્તે તેણે નિયાણું કરેલ. દર વાસુદેવના પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ)નું નામ પ્રહ્માદ હતું. તેને તેના જ ચક્ર વડે દત્તે મારી નાંખેલ. (આવ.નિ. ૪૦૩ મુજબ) પ૬,૦૦૦ વર્ષનું, (તિર્થી. ૧૪રર–મુજબ) ૩૨,૦૦૦ વર્ષનું આયુષ્ય હતું. મૃત્યુ બાદ તે પાંચમી નરકે ઉત્પન્ન થયા. તેઓ ભગવંત અરનાથ અને ભમલિના શાસનની વચ્ચેના કાળમાં થયેલા. તેમની પૂર્વે આઠ ચક્રવર્તી અને છ વાસુદેવ થઈ ગયેલા.
-૦– દત્ત વાસુદેવ કથાનક :- આગમોમાં આટલી જ માહિતી ઉપલબ્ધ છે. વિશેષ કથા. ત્રિષષ્ટિ શલાકા કે ચપ્પન્ન મહાપુરુષ ચરિયું જાણી શકાય.
૦ આગમ સંદર્ભ :ઠા. ૮૧૧ થી ૮૧૪;
સમ ૧૧૧, ૩૨૩, ૩૨૪, ૩ર૮ થી ૩૪૪; આવા નિ ૪૦૨ થી ૪૦૫, ૪૦૮, ૪૦૯, ૪૧3;
આવ.ભા. ૪૦ થી ૪3; આવ.પૂ.૧–પૃ. ૨૨૦; આવ.નિ. ૪૧૯ થી ૪ર૧ની વ.
તિલ્યો. ૧૦૨-૬૧૫;
૮. નારાયણ વાસુદેવ પરીચય :
જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં નારાયણ નામે આઠમાં વાસુદેવ થયા. તે લક્ષ્મણ નામે ઓળખાય છે. તેમનો જન્મ અયોધ્યા. નગરીમાં (આવ નિ ૪૦૮ પ્રમાણે રાજગૃહીના) રાજા દશરથની પત્ની રાણી કેગમતીની ફરીથી થયો. (કેગમતીનું ગ્રંથાંતરમાં સુમિત્રા નામ છે) તેમનો વર્ણ નીલ હતો. કાશ્યપ ગોત્રના આ વાસુદેવની ઊંચાઈ ૧૬ ધનુષ હતી. બળદેવ પદ્મ કે જે ‘રામ' નામે પ્રસિદ્ધ થયા, તે તેના ભાઈ હતા. નારાયણ વાસુદેવનું પૂર્વભવનું નામ પુનર્વસુ હતું. તે ભવે આચાર્ય સમુદ્ર તેના ધર્માચાર્ય હતા. તે ભવે મિથિલાપુરીમાં પરદ્ધિ નિમિત્તે તેણે નિયાણું કરેલ. તેના પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ)નું નામ રાવણ હતું. તેને તેના જ ચક્ર વડે નારાયણે મારી નાંખેલ. ૧૨,૦૦૦ વર્ષનું આયુ પૂર્ણ કરીને મૃત્યુ બાદ ચોથી નરકે ગયા, તેઓ ભ૦ મુનિસુવ્રત અને ભામિ શાસનના વચ્ચેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org