SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ વાસુદેવ ચરિત્ર ૧૪૫ અંતરમાં થયા. તેમની પૂર્વે નવ ચક્રવર્તી અને સાત વાસુદેવ થયા. ૦ નારાયણ (લક્ષ્મણ) વાસુદેવ કથાનક :- આગમોમાં આટલી જ માહિતી ઉપલબ્ધ થઈ છે. રામ, લક્ષ્મણ, રાવણની વિસ્તૃત કથા ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, ચપ્પન્ન મહાપુરુષ ચરિત્ર, પદ્મ ચરિત્ર આદિ ગ્રંથોમાં જોવી. ૦ આગમ સંદર્ભ :ઠા ૮૧૧ થી ૮૧૪;, સમ. ૩૨૩, ૩૨૪, ૩૨૮ થી ૩૪૪; આવ.નિ. ૪૦૨ થી ૪૦૫, ૪૦૮, ૪૦૯, ૪૧3; આવ.ભા. ૪૦ થી ૪3; આવ. યૂ. ૧–પૃ. ૨૨૦; આવ.નિ. ૪૧૯ થી ૪૨૧ની વૃ તિત્વો. ૫૬૬, ૫૭૭, ૬૦૨-૬૧૫; –– –– » – ૯. કૃષ્ણ વાસુદેવ પરીચય : જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં નવમાં વાસુદેવ કૃષ્ણ થયા. તેમનો જન્મ મથુરાનગરીમાં રાજા વસુદેવની રાણી દેવકીની કુક્ષિથી થયેલો. તેમનો વર્ણ નીલ હતો. ગૌતમ ગોત્રના આ વાસુદેવની ઊંચાઈ ૧૦ ધનુષુ હતી. બળદેવ, રામ કે જે ‘બળદેવ” નામે પ્રસિદ્ધ હતા. તે તેના ભાઈ હતા. કૃષ્ણ વાસુદેવના પૂર્વભવનું નામ ગંગદત્ત હતું. તે ભવે તેના ધર્માચાર્ય દ્રુમસેન હતા. ત્યાં હસ્તિનાપુરમાં માતાના નિમિત્તે તેણે નિયાણુ કરેલ. કૃષ્ણ વાસુદેવના પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ)નું નામ જરાસંઘ હતું. તેને કૃષ્ણ મારી નાંખેલ. તેઓ ૧૦૦૦ વર્ષનું આયુ પૂર્ણ કરી, મૃત્યુ પામીને ત્રીજી નરકમાં ગયા. તેઓ ભગવંત અરિષ્ટનેમિના શાસનમાં થયા. તેમની પૂર્વે ૧૧ ચક્રવર્તી થયા. તેઓ આ અવસર્પિણીના અંતિમ વાસુદેવ હતા. આગામી ચોવીસીમાં બારમાં (તેરમાં) તીર્થકર થશે. –૦- વાસુદેવ કથાનક :- આ જ વિભાગમાં બળદેવ અને પ્રતિવાસુદેવના પરીચય બાદ કૃષ્ણ વાસુદેવનું વિસ્તૃત કથાનક આપેલ છે. ૦ આગમ સંદર્ભ :ઠા. ૮૧૧ થી ૮૧૪, ૯૩૦; સમ ૧૪, ૩૨૩, ૩૨૪, ૩૨૮ થી ૩૪૪, ૩૫૭, ૩૬૩; અંત. ૨૦; આવ.નિ. ૪૦ર થી ૪૦૫, ૪૦૮, ૪૦૯, ૪૧3; આવ.ભા. ૪૦ થી ૪3; આવ.યૂ. ૧–પૃ. ૨૨૦; આવ.નિ. ૪૧૯ થી ૪ર૧ની વૃ. તિત્વો. ૪૮૫, ૨૬૬, ૬૦૦-૬૧૫, ૧૧૧૭, ૦ બળદેવ પરીચય : - બળદેવ ઉત્તમ પુરુષોમાંના એક વર્ગનું નામ છે. તેઓ વાસુદેવના મોટા ભાઈ હોય છે. વાસુદેવ–બળદેવના પિતા એક જ હોય છે પણ માતા જુદા-જુદા હોય છે. તે “બલ” નામે પણ ઓળખાય છે. તેઓ અર્ધ ભરતક્ષેત્રના સ્વામીવતું હોય છે તે આયુધોમાં હળ– મુશલ અને બાણ ધારણ કરે છે. વર્ણમાં શ્વેત હોય છે. તેમના શરીર પર ૧૦૮ ઉત્તમ લક્ષણો હોય છે. બળદેવો કદાપિ નિમ્ન, તુચ્છ, દરિદ્ર, કૃપણ, બ્રાહ્મણ આદિ કુળમાં જન્મ લેતા નથી. જ્યારે તેઓ માતાના ગર્ભમાં આવે ત્યારે તેમની માતા ચૌદ મહાસ્વપ્નોમાંના કોઈપણ ચાર મહાસ્વપ્નોને જુએ છે. જંબૂદ્વીપમાં જઘન્યથી ચાર અને ઉત્કૃષ્ટથી ૩૦ Jain tionnternational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy