SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ આગમ કથાનુયોગ-૨ બળદેવ હોય છે. ભારત અને ઐરાવત ક્ષેત્રમાં પ્રત્યેક ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં નવ નવ બળદેવો હંમેશાં થાય છે. તેઓ દુષમ-સુષમ કાળમાં જ થાય છે. તેઓ પૂર્વભવમાં કદાપી કોઈ નિયાણું કરતા નથી. તેઓ મૃત્યુ બાદ નિયમા ઉર્ધ્વગામી હોય છે અર્થાત્ તેઓ મોક્ષમાં કે સ્વર્ગમાં જ જાય છે. તેઓ લીલા વસ્ત્રો પહેરે છે. તેઓ “રામ” નામે પણ ઓળખાય છે. અપરિમિત બળવાળા હોય છે. ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં નવ બળદેવ થયા. તે આ પ્રમાણે :– ૧. અચલ, ૨. વિજય, 3. ભદ્ર, ૪. સુપ્રભ, ૫. સુદર્શન, ૬. આનંદ, ૭, નંદન, ૮. પદ્મ(રામ) અને રામ(બળદેવ). ૦ બળદેવ પરીચયના આગમ સંદર્ભ :ઠા. ૮૯; સમ ૩ર૩, ૩ર૮, ૩૪૪, ૩૪૫; ભગ. ૨૪૩, પર૦, ૬૭૮; પપ્પા. ૧૯ + વૃ. જંબૂ ૪૯, ૫૩, ૩૬૦; નિસી.ભા. ૪૨૯૩ની ચૂત આવ.નિ. ૭૦, ૭૫, ૪૦૨, ૪૦૪, ૪૧૪, ૪૧૫; આવભ. ૪૧; આવ. પૂ.૧–પૃ. ૨૧૫; તિલ્યો. પ૬૭, ૬૦૪; કલ્પ. ૧૭, ૧૮; ૧. અચલ બળદેવ પરીચય : જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં અચલ નામે પહેલા બળદેવ થયા. તેમનો જન્મ પોતનપુરના રાજા પ્રજાપતિની પત્ની રાણી ભદ્રાની કુક્ષિથી થયો. તેમનો વર્ણ ગૌર હતો. ગૌતમ ગોત્રના આ બળદેવની ઊંચાઈ ૮૦ ધનુષ હતી. તેઓ વાસુદેવ ત્રિપૃષ્ઠના ભાઈ હતા. તેમનું પૂર્વભવનું નામ વિશ્વગંદી હતું. આયુષ્ય ૮૫ લાખ વર્ષ હતું. ત્રિપૃષ્ઠ વાસુદેવના મૃત્યુબાદ કેટલાંક કાળે દીક્ષા લઈ. છેલ્લે કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. તેઓ ભગવંત શ્રેયાંસના શાસનમાં થયેલા. (તીર્થોધ્યાલિતમાં અચલનો ક્રમ બીજો કહ્યો છે) -૦- અચલ બળદેવ કથા :- ત્રિપૃષ્ઠ વાસુદેવ પ્રમાણે જાણવી. ૦ આગમ સંદર્ભ :-- ઠા. ૮૧૧ થી ૮૧3; સમ. ૧૫૯, ૩૨૩, ૩ર૬, ૩૨૮, ૩૩૨, ૩૪૫; આવ.નિ. ૪૦૨, ૪૦૪, ૪૦૬, ૪૦૮, ૪૧૦ થી ૪૧૨, ૪૧૪, ૪૧૫; આવ.ભા. ૪૦, ૪૧; આવ. ચૂ.૧-પૃ. ૨૨૦, ૨૩૨; આવ.નિ. ૪૧૯, ૪ર૦ + વૃ. આવ.મ.વૃ.પૃ. ૨૩૭, ૨૪૦, ૨૪૯; તિલ્યો. પ૭૭, ૫૮૦, ૬૦૨, ૬૦૬, ૬૧૬; – ૪ – ૪ – ૨. વિજય બળદેવ પરીચય : જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં વિજય નામે બીજા બળદેવ થયા. તેમનો જન્મ બારાવતીમાં બ્રહ્મરાજાની પત્ની રાણી સુભદ્રાની કુક્ષિથી થયો. તેમનો વર્ણ ગૌર હતો. ગૌતમ ગોત્રના આ બળદેવની ઊંચાઈ ૭૦ ધનુષ હતી. તેઓ વાસુદેવ દ્વિપૃષ્ઠના ભાઈ હતા. તેમનું પૂર્વભવનું નામ સુબંધુ હતું. હિપૃષ્ઠ વાસુદેવના મૃત્યુ બાદ અમરકીર્તિ, મહાયશસ્વી વિજય રાજાએ ગુણ સમૃદ્ધ રાજ્યનો ત્યાગ કરી દીક્ષા લીધી. (આવશ્યક નિયુક્તિ ૪૦૬ મુજબ) ૭૫ લાખ વર્ષનું પૂર્ણ આયુ ભોગવીને (સમવાય-૧૫૧-મુજબ) ૭૩ લાખ વર્ષનું પૂર્ણ આયુ ભોગવીને તેઓ સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અન્તકૃત્ થઈને, બધાં દુઃખોનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy