SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધર – અગ્નિભૂતિ કથા ૧૯૧ છે તે કર્મ છે. એ રીતે અમૂર્ત એવા આત્માને વિશિષ્ટ પરિણામથી મૂર્ત એવા કર્મ પુદ્ગલોનો સંબંધ અવિરુદ્ધ છે. અર્થાત્ કર્મ છે. કર્મનું શુભાશુભપણું “પુષ્યઃ પુન પાપ: પાનિ કર્મ એ શ્રુતિ વચન પ્રામાણ્યથી પણ સિદ્ધ જ છે. ૦ સંશય નષ્ટ થતાં અગ્નિભૂતિની દીક્ષા : આ પ્રમાણે જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા જિનેશ્વર મહાવીરે અગ્નિભૂતિ ગૌતમના સંશયનું નિવારણ કર્યું, ત્યારે અગ્નિભૂતિનો કર્મવિષયક સંશય નષ્ટ થયો. “કર્મ છે તે વાતની પ્રતીતિ થતાં અગ્નિભૂતિ ગૌતમે પોતાના ૫૦૦ શિષ્યો સહિત તે જ વખતે ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. તેઓ ભગવંતના બીજા ગણધર થયા. ત્યાર પછી ભગવંત પાસેથી ઉપૂરૂ વા, વિરે રૂ વા ધુરૂ વા. એ ત્રિપદીરૂપ માતૃકાન્યાસ પ્રાપ્ત કર્યો અર્થાત્ દરેક પદાર્થો ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને દ્રવ્યરૂપે નિત્ય રહે છે. ત્રિપદીનું સ્વરૂપ પામીને અગ્રિભૂતિ ગણધરે વિશિષ્ટ ક્ષયોપશમ તથા બીજ બુદ્ધિ સમ્યકત્વથી દ્વાદશાંગી (ગણિપિટક)ની રચના કરી. તે સમયે ભગવંત તેની અનુજ્ઞા કરે છે. ત્યાં શક્રેન્દ્ર દિવ્ય વાસચૂર્ણનો ભરેલો વજય દિવ્ય થાળ લઈને ભગવંત પાસે ઊભા રહે છે. ત્યાર પછી ભગવંત રત્નમય સિંહાસન થકી ઉઠીને વાસચૂર્ણની સંપૂર્ણ મુઠી ભરે છે. તે વખતે ગણધર ભગવંત કિંચિત્ નમે છે. દેવો વાજિંત્રના ધ્વનિ–ગાન આદિ બંધ કરી મૌન રહે છે. પછી ભગવંત બોલે છે, અગ્નિભૂતિને દ્રવ્ય, ગુણ–પર્યાય વડે તીર્થની આજ્ઞા આપું છું. એમ કહી અગ્નિભૂતિના મસ્તક પર વાયચૂર્ણ નાખ્યું. ત્યારે દેવોએ તેમના પર ચૂર્ણ, પુષ્પ, સુગંધી પદાર્થની વૃષ્ટિ કરી. ૦ પ્રશ્નકર્તા અગ્નિભૂતિ : ભગવંત મહાવીરને ગૌતમ અગ્નિભૂતિ અણગારે વંદન–નમસ્કારપૂર્વક અસુરકુમારેન્દ્ર અસુરરાજ ચમર તથા તેના સામાનિક દેવ, લોકપાલ આદિ સંબંધે તથા નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ધરણની ઋદ્ધિ, વિક્ર્વણા વિષયક યાવત્ સ્વનિતકુમાર પર્ય, સમસ્ત વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવો વિષયક પ્રશ્નો કરેલ. દેવેન્દ્ર દેવરાજ શક્રની ઋદ્ધિ વિકુવા શક્તિ વિષયક પ્રશ્નો કરેલ. તિષ્યક અણગાર અંગે પ્રશ્નો કરેલ. તેમણે વાયુભૂતિને અસુરેન્દ્ર અસુરરાજ ચમર આદિ સંબંધે કરેલ પ્રશ્નોના ભગવંતે આપેલા ઉત્તરની સમગ્ર વક્તવ્યતા કહેલી ભગવંતે અગ્નિભૂતિને પણ “ગૌતમ' સંબોધન કરેલ છે. ૦ ગણધર અગ્નિભૂતિને કેવળજ્ઞાન અને નિર્વાણ : અગ્રિભૂતિ ગૌતમ (આવશ્યક નિર્યુક્તિ-૬૫૦ મુજબ) ૪૬ વર્ષ અને (સમવાય-૧૨૫ મુજબ) ૪૭ વર્ષ ગૃહસ્થપણે રહ્યા. પછી સંયમ અંગીકાર કર્યો. છવસ્થ રૂપે ૧૨ વર્ષ પૂર્ણ કર્યા બાદ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પછી ૧૬ વર્ષ કેવલી સ્વરૂપે રહ્યા. એ રીતે ૨૮ વર્ષનો શ્રમણ પર્યાય પાળ્યો. તેમનું પૂર્ણાયુષ્ય ૭૪ વર્ષનું હતું. તેઓ ૫૦૦ શિષ્યોને વાચના આપતા હતા. દ્વાદશાંગી અને ચૌદપૂર્વના ધારક હતા. સર્વલબ્ધિ સંપન્ન, વિજઋષભનારાચ સંઘયણ અને સમચતુરઢ સંસ્થાનથી યુક્ત હતા. આ બીજા ગણધર અગ્નિભૂતિ ગૌતમે છેલ્લે એક માસનું પાદપોપગમન અનશન સ્વીકાર્યું. તેઓ રાજગૃહી નગરીમાં નિર્વાણ પામ્યા. તેઓ ભગવંત મહાવીરના નિર્વાણ પૂર્વે જ નિર્વાણ પામેલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy