SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ આગમ કથાનુયોગ-૨ આવશ્યક નિર્યુક્તિકાર જણાવે છે કે, અગ્રિભૂતિ ગણધર શિષ્યરહિતપણે નિર્વાણ પામ્યા. કેમકે ગણધર સુધર્માસ્વામીનું આયુષ્ય વધારે હોવાથી, અગ્નિભૂતિ ગણધરે પોતાનો શિષ્ય પરિવાર છેલ્લે તેમને સોંપી દીધેલ હતો. ૦ આગમ સંદર્ભ :સમ. ૧૯, ૧૨૫, ૧૫ર; ભગ. ૧૫ર થી ૧૫૬; આવ.નિ. ૧૯૨, થી પ૯૭, ૬૦૦ થી ૬૦૫, ૬૪૩, ૬૪૬ થી ૬૫૦, ૬૫૨ થી ૬૫૯; નંદી. ૨૦; કલ્પસૂત્ર ૧ર૧ની વૃ. ૮/ર થી ૪ –– ૪ – – ૩. ગણધર વાયુભૂતિ કથા :-૦– પરીચય : ભગવંતના ત્રીજા ગણધર વાયુભૂતિ થયા. તેમનો જન્મ મગધદેશના ગોમ્બર ગામમાં થયેલો. તેમના પિતાનું નામ વસુભૂતિ અને માતાનું નામ પૃથ્વી હતું. તે ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિના ભાઈ હતા. સ્વાતિ નક્ષત્રવાળા આ ગણધર ગૌતમ ગોત્રમાં ઉત્પન્ન થયેલા. બ્રાહમણ કુળના હતા. સાત હાથ ઊંચા હતા. પ૦૦ શિષ્યોના અધ્યાપક હતા. ઉન્નત કુળ અને વિશાળ વંશવાળા હતા. તેઓ મધ્યમ પાપાપુરીમાં સોમીલ નામના ધનાઢય બ્રાહ્મણે આયોજિત કરેલા એક યજ્ઞમાં શિષ્ય પરિવાર સહિત આવેલા હતા. વાયુભૂતિને સંશય હતો કે, “શરીર એ જ જીવ છે કે શરીરથી ભિન્ન જીવ છે ?" પોતાના સર્વજ્ઞપણાના અભિયાનની ક્ષતિના ભયથી પોતાનો સંદેહ અન્ય વિદ્વાન્ બ્રાહ્મણને પૂછીને સમાધાન પ્રાપ્ત કરતા ન હતા. ૦ વાયુભૂતિનું આગમન અને ભગવંત દ્વારા સંશય નિવારણ : આ રીતે ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિને દીક્ષિત થયેલા સાંભળી વાયુભૂતિએ વિચાર્યું કે, હું પણ તે જિનેશ્વર સમીપે જાઉ–અભિમાનનો ત્યાગ કરીને, જેમના ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ શિષ્ય થયા, તે મારે પણ પૂજ્ય જ છે. હવે હું તે સર્વજ્ઞ પાસે જઈને ભગવંતને વંદન કરીશ. વંદીને તેમની પર્યુપાસના કરીશ. એ પ્રમાણે સંકલ્પ કરીને વાયુભૂતિ પોતાના સંશયના નિવારણ અર્થે પ૦૦ શિષ્યો સાથે ભગવંત સમીપે ગયા. ભગવંતની અભિવંદના કરી, તેમની સન્મુખ ઊભા રહ્યા. તે વખતે જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા સર્વજ્ઞ– સર્વદર્શી જિનેશ્વર મહાવીરસ્વામીએ તેને નામ અને ગોત્રથી બોલાવી વાયુભૂતિના હૃદયગત સંકલ્પને જણાવ્યો. કેમકે વાયુભૂતિ ક્ષોભથી પોતાનો સંશય જણાવવા અસમર્થ હતો. હે વાયુભૂતિ ! તને એવો સંશય છે કે, “આ શરીર છે એ જ જીવ છે કે શરીરથી ભિન્ન જીવ છે.” આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદવાક્યોથી ઉત્પન્ન થયો છે. વિજ્ઞાનધન एवतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवऽनु विनश्यति, न प्रेत्यसंज्ञाऽस्ति" હે વાયુભૂતિ ! તું વેદ પદોનો અર્થ બરાબર જાણતો નથી. તેથી તારા સંશયના નિવારણાર્થે હું તને યોગ્ય અર્થ જણાવું છું. તું એવું માને છે કે, શરીરથી ભિન્ન એવો આત્મા નથી, પણ શરીર એ જ આત્મા (જીવ) છે, કેમકે વેદપદોનો અર્થ તું આ પ્રમાણે કરે છે – વિજ્ઞાન ન વ એટલે વિજ્ઞાનોનો સમુદાય જ. પૃથ્વી વગેરે પાંચ ભૂતોમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy