SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ આગમ કથાનુયોગ-૨ વચનો વડે “સર્વ વસ્તુ આત્મા જ છે” એમ જાણી “કર્મ નથી' તેમ તું માને છે. વળી હે અગ્નિભૂતિ ! તું માને છે કે ઉપરોક્ત વેદપદોનો અર્થ યુક્તિથી પણ યોગ્ય લાગે છે. પ્રત્યક્ષ, અનુમાન, આગમ પ્રમાણથી પણ તને તે યોગ્ય લાગે છે. કેમકે તું માને છે કે, આત્મા અમૂર્ત છે, જેને મૂર્ત એવા કર્મ વડે અનુગ્રહ અને ઉપઘાત એટલે કે, લાભ અને હાની કઈ રીતે સંભવે ? જેમ અમૂર્ત એવા આકાશને મૂર્ત એવા ચંદન વડે વિલેપન થતું નથી. તેમ શસ્ત્રથી ખંડન પણ થતું નથી. તેમ અમૂર્ત એવા આત્માને કર્મથી અનુગ્રહ કે ઉપઘાત કેમ થઈ શકે ? માટે કર્મ નામનો પદાર્થ નથી. પણ વળી કર્મની સત્તા જણાવનારા બીજા વેદપદો જોઈને તું સંશયમાં પડ્યો છે કે કર્મ છે કે નથી ? પરંતુ હે અગ્નિભૂતિ ! તારો આ સંશય અયુક્ત છે કારણ કે, “ગુરુપ વેઢ #િ સર્વ થર્ મૂતં યદ્ય માધ્યમ્ આદિ વેદપદોનો અર્થ તું સમજ્યો નથી. તું એ વેદપદોનો અર્થ છે ઉપર મુજબ કરે છે, તેવો તેનો અર્થ નથી. તેનો અર્થ આ પ્રમાણે છે – “આ પ્રત્યક્ષ જણાતું ચેતન–અચેતન સ્વરૂપ જે ભૂતકાળમાં થયેલું છે અને ભવિષ્યકાળમાં થવાનું છે, તે સર્વ આત્મા જ છે.” આ વેદપદોમાં આત્માની સ્તુતિ કરે છે, પણ આત્માની સ્તુતિ કરવાથી “કર્મ નથી' એમ સમજવાનું નથી. તે જાત્યાદિ મદનો ત્યાગ અને અદ્વૈત ભાવનાનું પ્રતિપાદક છે, કર્મ સત્તાનું પ્રતિષેધક નહીં. વેદ વાક્યો ત્રણ પ્રકારના હોય છે – વિધિદર્શક, અનુવાદદર્શક અને સ્તુતિસ્વરૂપ. જેમકે – “સ્વર્ગની ઇચ્છાવાળો અગ્નિહોત્ર હોમ કરે" આ વિધિવાક્ય છે. “બાર મહિનાનું એક વરસ થાય.” આ અનુવાદ વાક્ય છે. કેટલાંક વેદવાક્યો સ્તુતિવાક્યો હોય છે. જેમકે – જલમાં વિષ્ણુ છે, સ્થળમાં વિષ્ણુ છે, પર્વતના શિખર પર વિષ્ણુ છે, સર્વ ભૂતમય વિષ્ણુ છે તેથી સમગ્ર જગત્ વિષ્ણમય છે. આ વેદપદ વિષ્ણુનો મહિમા દર્શાવે છે. બીજી વસ્તુનો અભાવ નહીં જેવી રીતે આ વાકયથી આખા જગતને વિષ્ણમય કહેવા છતાં, વિષ્ણુ સિવાયની બીજી વસ્તુઓનો અભાવ સમજવાનો નથી. તેમ “જે થયું અને જે થશે તે સર્વ આત્મા જ છે' એ વેદપદ આત્માનો મહિમા જણાવે છે. તેથી આત્મા સિવાય કર્મ નથી એવું સમજવાનું નથી. વળી તું માને છે કે, અમૂર્ત એવા આત્માને મૂર્ત એવા કર્મ વડે અનુગ્રહ અને ઉપઘાત કેમ સંભવે ? તારી એ માન્યતા પણ યોગ્ય નથી. કેમકે જ્ઞાન અમૂર્ત છે, તેને મૂર્ત એવા બ્રાહ્મી વગેરે ઔષધો વડે તથા ઘી, દૂધ વગેરે ઉત્તમ પદાર્થો વડે અનુગ્રહ થતો દેખાય છે. વળી મદિરા આદિ પદાર્થો વડે જ્ઞાનને ઉપઘાત થતો દેખાય છે. માટે અમૂર્તને પણ મૂર્ત વડે અનુગ્રહ અને ઉપઘાત સંભવે છે. એમ માનવું જોઈએ. વળી જો કર્મ ન હોય તો એક સુખી, બીજો દાખી, એક શેઠ – બીજો નોકર, ઇત્યાદિ પ્રકારે પ્રત્યક્ષ દેખાતી જગની વિચિત્ર સ્થિતિ કઈ રીતે સંભવે છે ? ઉચ્ચનીચના રાજા અને રંક જેવા જે ભેદો જોવામાં આવે છે, તેનું કાંઈ પણ કારણ હોવું જોઈએ અને તે કારણ એ જ શુભ–અશુભ કર્મ છે. વળી જે-જે ક્રિયા કરાય છે. તેનું ફળ અવશ્ય મળવું જોઈએ. દાન આદિ શુભ ક્રિયાઓ છે અને હિંસા આદિ અશુભ ક્રિયાઓ છે. તે શુભ–અશુભ ક્રિયાનું કાંઈ પણ ફળ અવશ્ય મળવું જોઈએ. તે ફળ એ જ શુભાશુભ કર્મ. તેથી કર્મ દ્વિતીય છે અને પુરુષ તેનો કર્તા છે. અર્થાત્ આત્મા કર્યા છે, તેના વડે જે કરાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy