________________
૧૨૨
આગમ કથાનુયોગ-૨
ત્યાર પછી ચુલીની દેવીએ આજ્ઞા કરેલા તેમના વિશ્વાસુ સેવકોએ લાક્ષાગૃહને આગ લગાડી, દીર્ઘરાજા અને ચુલનીના અપયશની જેમ તેના ધૂમાડો ચારે તરફ ફેલાવા લાગ્યો.
જ્વાળાઓના સમૂહથી બધું જ સળગવા લાગ્યું. બ્રહ્મદત્તકુમારે સંભ્રાન્ત થઈ મંત્રીપુત્રને પૂછયું કે, આ શું થયું ? તેણે ચુલનીનું સર્વ દુશેષ્ટિત કહી સંભળાવ્યું. પછી કહ્યું કે, તમારા રક્ષણને માટે મારા પિતાએ એક સુરંગ તૈયાર કરાવી છે. ત્યાંના ગુપ્ત દ્વારમાં પ્રવેશી પગની પાનીના પ્રહારથી હારને ખોલી નાખ્યું. વરધનુએ કહ્યું કે, આ બધું રહસ્ય મારા પિતાએ તારા સસરાને કહેલ છે. તેણે પણ દાસીને જ મોકલી છે. પછી બ્રહ્મદત્ત પોતાના મિત્રની સાથે સુરંગમાં ચાલ્યો. સુરંગના અંતે મંત્રીએ બે અશ્વો તૈયાર રાખેલા હતા. તેના પર સવાર થઈ પચાશ યોજન ઝડપથી પસાર કર્યા. પણ એક શ્વાસે દોડ્યા હોવાથી બને અશ્વો મૃત્યુ પામ્યા. પછી પગે ચાલતા તે બંને કોષ્ટક ગામે પહોંચ્યા. –૦- બ્રહાદત્તનું ભ્રમણ અને કન્યાઓ સાથે લગ્ન :
– ત્યારે બ્રહાદત્તે મંત્રીપુત્રને કહ્યું કે, મને હવે ભુખની પીડા ઘણી થાય છે. મંત્રીપુત્રે તેને કહ્યું કે, ક્ષણવાર વિરામ કરો. પછી કંઈક વિચારી મંત્રીપુત્રે ગામમાંથી વાણંદને બોલાવ્યો. બંનેએ મસ્તકનું મુંડન કરાવી માત્ર ચોટલી રાખી. પછી પવિત્ર એવા કાષાય વસ્ત્ર ધારણ કર્યા. બંનેએ ગળામાં બ્રહ્મસૂત્ર ધારણ કર્યા. બ્રહ્મદત્તના વક્ષ:સ્થળમાં શ્રીવત્સનું લાંછન હતું. તેને મંત્રીપુત્રે વસ્ત્ર વડે ઢાંકી દીધું. એ રીતે વેશાંતર કરી બંને કોઈ બીજા ગામમાં ગયા. ત્યાં કોઈ બ્રાહ્મણે આદરપૂર્વક તેમને ભોજન કરાવ્યું. પછી તે બ્રાહ્મણની સ્ત્રીએ તેને ચોખા વડે વધાવ્યો. બે શ્વેત વસ્ત્ર અને અપ્સરા જેવી કન્યા આગળ ધરી. ત્યારે વરધનુએ કહ્યું કે, કસાઈ આગળ ગાયની જેમ આ પરાક્રમ કે કળામાં અજ્ઞાતજનના ગળામાં આ કન્યા કેમ બાંધે છે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે, આ બંધુમતી નામે મારી ગુણવતી કન્યા છે. નિમિત્તકે મને કહેલું કે, આનો પતિ ચક્રવર્તી થશે. વળી તેણે જ કહેલું કે, વસ્ત્રથી જેણે પોતાનું શ્રીવત્સ લાંછન ઢાંકેલું હોય એવો જે પુરુષ તારે ઘેર ભોજન કરવા આવે તેને તારે કન્યા આપવી. પછી તે બંધુમતી સાથે બ્રહ્મદત્તનો વિવાહ થયો. તે રાત્રિ બંધુમતીની સાથે રહી તેને આશ્વાસન આપી બીજે દિવસે કુમાર મિત્ર સાથે ત્યાંથી અન્યત્ર ચાલ્યો.
પ્રાતઃકાળે તેઓ એક ગામે પહોંચ્યા. ત્યાં સાંભળ્યું કે, દીર્ઘરાજાએ બ્રહ્મદત્તના બધા માર્ગો રંધી દીધા છે. તે સાંભળીને પ્રાણની રક્ષા માટે ઉન્માર્ગે ચાલતા તેઓ એક મહાટવીમાં આવી પહોંચ્યા. ત્યાં બ્રહ્મદત્તને તરસ લાગી. મંત્રીપુત્ર તેને એક વડના વૃક્ષ નીચે મૂકી પાણી લેવા ગયો. ત્યાં દીર્ઘરાજાના સૈનિકોએ વરધનુને ઓળખીને પકડી લીધો. તેણે સંજ્ઞાથી બ્રહ્મદત્તને પલાયન થવા જણાવી દીધું. કુમાર તુરંત ત્યાંથી રવાના થઈ ગયો. બ્રહ્મદત્ત વેગથી એક અટવીમાંથી બીજી અટવીમાં જતો રહ્યો. ત્યાં વિરસ ફળ ખાઈને બે દિવસ વીતાવ્યા. ત્રીજે દિવસે એક તાપસ તેના જોવામાં આવ્યો. તે ઘણો હર્ષિત થયો. તેણે તાપસને પૂછયું કે, તમારો આશ્રમ ક્યાં છે ? તે તાપસ તેને આશ્રમમાં લઈ ગયો. આશ્રમના કુળપતિએ તેને કહ્યું કે, વત્સ તમારી આકૃતિ અત્યંત મનોહર જણાય છે. તમારું અહીં આગમન કેમ થયું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org