________________
ગણધર – ગૌતમ કથા
૧૮૧
શરીરીને થાય છે, અને તે જ આત્મા છે.
– વળી જેના ગુણ પ્રત્યક્ષ હોય તે ગણી પણ પ્રત્યક્ષ જ મનાય છે. સ્મરણ, ઇચ્છા, સંશય વગેરે ગુણો પ્રત્યેકને પોતાના અનુભવથી પ્રત્યક્ષ સિદ્ધ છે. તેથી તે ગુણોના આધારરૂપ ગુણીને પણ પ્રત્યક્ષ સિદ્ધ જ માનવો જોઈએ. તે સ્મરણ ઇચ્છા, સંશય વગેરે ગુણોનો આધાર શરીર તો ન જ કહેવાય, કેમકે જેવા ગુણ હોય તેવો જ તેઓનો ગુણી હોય. તે ગુણો અમૂર્ત અને ચૈતન્યરૂપ છે, શરીર તો મૂર્ત અને જડરૂપ છે. આવી રીતે અમૂર્ત અને ચૈતન્યરૂપ ગુણોનો આધાર મૂર્ત અને જડરૂપ શરીર કઈ રીતે સંભવે? તેથી મૂર્ત અને જડરૂપ એવા તે ગુણોનો આધાર–ગુણી અમૂર્ત અને ચૈતન્યરૂપ એવો આત્મા જ સ્વીકારવો જોઈએ.
અનુમાન પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થઈ શકે છે. તે આ પ્રમાણે :- જે ભોગ્ય હોય તેનો ભોક્તા અવશ્ય હોય છે. જેમ ભોજન, વસ્ત્ર વગેરે ભોગ્ય છે, તો તેનો ભોક્તા મનુષ્ય છે. તે રીતે શરીર પણ ભોગ્ય છે, તેનો ભોક્તા શરીરી હોવો જોઈએ અને તે આત્મા જ છે. આગમ પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થઈ શકે છે. વેદમાં જ કહ્યું છે કે તે વૈ યમત્મિ જ્ઞાનમય: તે આ આત્મા જ્ઞાનમય છે. તેમજ – રુમ તાન યા તિ છાત્રવં યો વેત્તિ રસ નવ:” આ વેદ વાક્યથી પણ આત્મા છે તેમ સિદ્ધ થાય છે.
વળી તું જે માને છે કે, ઘી, દૂધ વગેરે ઉત્તમ પદાર્થો વાપરી પુષ્ટ બનેલા શરીરનું ચૈતન્ય સતેજ અનુભવાતું હોવાથી, ભૂતોના સમુદાયરૂપ શરીરમાંથી તે ચૈતન્ય ઉત્પન્ન થાય છે." આ પણ તારું માનવું અયોગ્ય છે. કારણ કે તે વખતે પુષ્ટ થયેલું શરીર ચૈતન્યનું સહાયક બને છે. પણ શરીર માત્ર સહાયક થવાથી તે શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ માની શકાય નહીં. જેમ અગ્નિ વડે સુવર્ણમાં કાવ્યતા (પીગળવાપણું) થાય છે. તે દ્રાવણ થવામાં અગ્નિ સહાયકારી છે, પણ તેથી એમ તો ન જ કહેવાય કે અગ્નિમાંથી કાવ્યતા ઉત્પન્ન થઈ, દ્રવતા તો સુવર્ણમાંથી ઉત્પન્ન થાય છે. તેથી તે દ્રવતા એ સુવર્ણનો ધર્મ છે. તેમ ચૈતન્ય સતેજ થવામાં પુરું શરીર સહાયકારી થયું હોય, તેથી એવું ન જ કહેવાય કે, શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થયું. ચૈતન્ય તો આત્મા થકી જ ઉત્પન્ન થાય છે. તેથી તે આત્માનો ધર્મ છે.
તદુપરાંત ઘણાં માણસોનું શરીર પુષ્ટ હોય છતાં તેમનું જ્ઞાન થોડું હોય છે અને ઘણાં કૃશ શરીરવાળાનું જ્ઞાન–વિશાળ હોય છે. તેથી પુષ્ટ શરીરવાળાને ઘણું જ્ઞાન હોય એવો નિયમ ક્યાં રહ્યો ? જ્યારે એવો નિયમ ન રહે ત્યારે શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એવું પણ કેમ મનાય ? તેમજ શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થતું હોય તો મૃત્યુ પછી પણ શરીર તો છે. તો તે મૃતકને ચૈતન્ય કેમ થતું નથી ?
- જેમ સફેદ તાંતણાથી બનેલા વસ્ત્રને લાલ રંગથી રંગીએ, તે વખતે તે તાંતણા પણ લાલ રંગના થઈ જાય છે. તેથી માનો છો કે લાલ તાંતણા થકી વસ્ત્ર બન્યું. પણ શરીર અને ચૈતન્યમાં તે અનુમાન થઈ શકે નહીં. કેમકે ગાંડા થઈ ગયેલા માણસનું ચૈતન્ય વિકાર પામેલું હોય છે. છતાં તેનું શરીર તો પ્રથમના જેવું જ હોય છે. ગાંડાના શરીરમાં કંઈ વિકૃત્તિ દેખાતી નથી. તો પછી શરીરમાંથી જ ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ કેવી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org