________________
૨૭૨
આગમ કથાનુયોગ-૨
સંભવ જ ન હોય. પછી મનુષ્યના માંસનો સંભવ જ ક્યાંથી રહેશે ? તે આહાર માટે નીકળ્યો. તે નગરીમાં પિતૃદત્ત ગાથાપતિની શ્રીભદ્રા પત્ની નિંદુ હતી. તેને મૃત બાળક જન્મતા હોવાથી કોઈ નિમિત્તકે કહેલું કે તમે કોઈ તપસ્વીને બાળકનું માંસ રાંધીને ખીર બનાવીને આપો તો સ્થિર પ્રજા થશે. તેણીએ તેમ કરીને, ગોપાલક ભિક્ષાર્થે આવ્યો ત્યારે ખીરને મધુ-બૃત સહિત આપી. ગોશાળાને થયું કે આમાં માંસ કયાંથી હશે ? ત્યારે ખુશ થઈને આહાર કર્યો. આવીને બોલ્યો કે, તમારું નિમિત્ત જ્ઞાન ક્યાં ગયું, મેં તો ખીર ખાધી. ત્યારે તેને કહ્યું કે, તું વમન કરીને જોઈ લે. તેણે વમન કર્યું ત્યારે તેમાં માંસ અને ટુકડા નીકળ્યા. (ઇત્યાદિ વૃત્તાંત ભ૦ મહાવીર કથાથી જાણવો) યાવત્ પિતૃદત્તનું ઘર બળી ગયું.
ત્યારપછી (ભ૦મહાવીર) હું હરિદ્રાક નામના ગામે ગયો. ત્યાં પ્રતિપાધ્યાને રહ્યો – યાવત્ – તે સાથે લોકોએ રાત્રિના શીતકાળે અગ્નિ પ્રગટાવ્યો. વહેલી સવારે સાર્થિકો ગયા, ત્યારે તેમણે અગ્નિને શાંત ન કર્યો. તે બળતો–બળતો (ભગવંત) મારી પાસે આવ્યો. તેનો પરિતાપ લાગવા માંડ્યો. ગોશાળા બોલ્યો કે, ભગવંત ! ભાગો, આ અગ્રિ આવી રહ્યો છે. મારા પગ બળવા લાગ્યા. ગોશાળો નાસી ગયો. ત્યાંથી (ભગવંત) હું બંગલા ગામે ગયો. વાસુદેવગૃહે પ્રતિમાધ્યાને રહ્યો. ત્યાં ગોશાળો પણ રહ્યો. ત્યાં બાળકો રમી રહ્યા હતા. તેણે કાંદપિક ચેષ્ટા શરૂ કરી. આંખોનો વિકાર કરી, મુખનો વિકાર કરી તે બાળકોને બીવડાવવા લાગ્યો. ત્યારે બાળકો ભાગવા લાગ્યા. પડતા–પડતા તેમના ઘુંટણો ભાંગ્યા. પછી તેના માતા-પિતાએ આવીને ગોશાળાને માર્યો. પછી બોલ્યા કે, આ દેવાર્યનો દાસ લાગે છે. એક સ્થાને રહેતો નથી. પછી ગોશાળાએ ફરિયાદ કરી કે હું માર ખાઉ છું અને તમે બચાવતા નથી. ત્યારે તેને કહ્યું કે, તું એક સ્થાને સરખો નહીં રહેતો અવશ્ય માર ખાતો રહીશ.
પછી (ભગવંત) હું આવર્તા નામક ગામે ગયો ત્યાં પણ બળદેવગૃહે પ્રતિમાધ્યાને રહ્યો. ત્યાં ગોશાળાએ વાંદરા જેવું મુખ કરીને બાળકોને ભય પમાડ્યો. ત્યાં પણ તેને લોકોએ માર્યો. તે બાળકો રોતા–રોતા માબાપ પાસે ગયા અને વાત કરી. તેઓએ પણ આવીને ગોશાળાને માર્યો. તેને પિશાચ જાણી છોડી દીધો – યાવત્ – બળદેવ (યક્ષ) પ્રગટ થઈ ભગવંતને છોડાવ્યા. ત્યાંથી (ભગવંત) હું ચોરાક સંનિવેશ ગયો. ત્યાં ગોષ્ઠિક ભોજન તૈયાર થતું હતું. ત્યાં ભગવંત પ્રતિમા ધ્યાને રહ્યા. ગોશાળો બોલ્યો કે, ચાલો અહીં ફરીએ – ચાવત – ગોશાળો વારંવાર ત્યાં જોવા લાગ્યો. તેઓએ માન્યું કે, આ ચોર લાગે છે. તેથી તેને પકડીને ખૂબ જ માર્યો. (ભગવંત) હું પ્રચ્છન્નપણે રહ્યો. ત્યારે ગોશાળો બોલ્યો કે, જો મારા ધર્માચાર્યનું તપ તેજ હોય તો આ મંડપ બળી જાઓ. નિકટ રહેલા વ્યંતર દેવે તે બાળી નાંખ્યો.
ત્યાંથી (ભગવંત) હું કલંબુકા સંનિવેશ ગયો. ત્યાં કાલહતિ ચોરે અમને બાંધી દીધા – યાવત્ – મેઘ નામના ભાઈએ અમને છોડાવ્યા. ત્યાંથી હું લાઢ દેશમાં ગયો. ત્યાં ઘણાં કર્મોની નિર્જરા કરી પછી ત્યાંથી નીકળવું એમ વિચાર્યું. ઇત્યાદિ કથાનક ભ૦ મહાવીર કથામાં આપેલ છે. કદલી સમાગમ ગામે મારે ઉપવાસ હતો. ગોશાળો ત્યાં ગયો. ત્યાં દહીંભાત ખાધાં. ત્યાં પણ તેની ઉપર ગરમ ભાત ફેંકાયા, તે દાઝતો પાછો આવ્યો. ત્યાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org