SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ આગમ કથાનુયોગ-૨ – આ બધાં ઉપરાંત ભગવંત અરિષ્ટનેમિના અનન્ય ભક્ત અને પીતરાઈ ભાઈ રૂપે કૃષ્ણ વાસુદેવ. –૦- ભાવિ તીર્થકરત્વ :- કૃષ્ણ વાસુદેવ તો આવતી ચોવીસીમાં અમમ નામે બારમા (તેરમા) તીર્થકર થવાના જ છે. તે ઉપરાંત તેના કુટુંબીજનોમાં ભાઈ બળદેવ, માતા દેવકી, અપર માતા રોહિણી પણ આગામી ઉત્સર્પિણીમાં તીર્થકરત્વ પામશે. ૦ કૃષ્ણ વાસુદેવના અન્ય નામો : કૃષ્ણને મહારહ, કેસર, કસી, વાસુદેવ, હરિ, દશાર્ણ, દશાકુલમંડન, દશાર્ણસિંહ, વિશ્વકસેન અને હરિફલ પ્રભુ નામે પણ ઓળખાવાયા છે. ૦ કૃષ્ણની ભેરી : કૃષ્ણની પાસે ચાર પ્રકારની ભેરી હતી. ૧. કૌમુદિની, ૨. સંગ્રામિકી, ૩. દુર્ભતિકી અને ૪. અશિવોપશમની. તેમાં કૌમૃદિકી, સંગ્રામિકી અને દુર્ભુતિકી અથવા આબૂદયિકી એ ત્રણે ભેરી ગોશીષચંદનની બનેલી હતી. તેમજ દેવતાપરિગૃહીત હતી. ચોથી ભેરી – અશિવોપશમનીની ઉત્પત્તિ આ પ્રમાણે છે– ઇન્દ્ર દેવો મધ્યે કૃષ્ણ વાસુદેવની પ્રશંસા કરતા કહ્યું કે, ખરેખર ! કૃષ્ણ બીજાના ગુણ જ જુએ છે, અવગુણને ગ્રહણ કરતા નથી. નીચ યુદ્ધ કરતા નથી. ત્યારે એક દેવને તે વાતની શ્રદ્ધા ન થઈ. જ્યારે કૃષ્ણ ભ. અરિષ્ટનેમિને વંદનાર્થે જતા હતા, ત્યારે તે દેવે કાળા કુતરાનું મડદું વિકુવ્યું. જેમાંથી અત્યંત દુર્ગધ ફેલાતી હતી. તે ગંધથી સર્વ લોક વ્યથિત થતો હતો. જ્યારે તેને કૃષ્ણ જોયું ત્યારે તે બોલ્યા, અરે ! આ કાળા કુતરાના દાંત કેવા શ્વેત ચમકી રહ્યા છે ! ત્યારે દેવે વિચાર્યું કે, કૃષ્ણ ખરેખર ગુણગ્રાહી છે. પછી તે કૃષ્ણના અશ્વરત્નને લઈને દોડ્યો, મંદરા પાલકે તે જાણ્યું. તેણે કુંજન કર્યું. તે સાંભળી રાજા તથા કુમારો નીકળ્યા. તે દેવે તેઓને હત–વિહત કરી દીધા. પછી કૃષ્ણવાસુદેવ નીકળ્યા. તેણે કહ્યું કે, મારા અશ્વરત્નનું કેમ હરણ કરે છે? દેવે કહ્યું, મને યુદ્ધમાં હરાવીને તે પાછો લઈ લો. વાસુદેવે કહ્યું કે, આપણે કઈ રીતે યુદ્ધ કરી શકીએ, તું જમીન પર છે અને હું રથમાં છું. તો પહેલા રથને ગ્રહણ કર. દેવે કહ્યું કે, રથનું શું કામ છે ? તેણે અશ્વયુદ્ધ, બાહયુદ્ધ આદિ સર્વેનો નિષેધ કર્યો. આપણે અધિષ્ઠાન–નિતંબ વડે યુદ્ધ કરીએ. ત્યારે વાસુદેવે કહ્યું કે, હું મારો પરાજય સ્વીકારું છું. તું તારે અશ્વરત્ન લઈ જા. હું નીચયુદ્ધ નહીં કરું. ત્યારે દેવે ખુશ થઈને કહ્યું, હે વાસુદેવ ! તું વર (દાન) માંગ. હું તે આપીશ, વાસુદેવે કહ્યું, મને અશિવોપશમની ભેરી આપ. તે દેવે આપી. તેને છ-છ માસે વગાડાતી, તેનો અવાજ જેટલે પહોંચે ત્યાં ત્યાં ઉત્પન્ન થતા રોગાદિ ઉપશાંત થતા, છ માસ પર્યત નવા રોગો થતા નહીં. કોઈ વખતે કોઈ વણિક ત્યાં આવ્યો. તેને ઘણો જ દાહજ્વર થયેલો. તેણે ભેરી પાલકને કહ્યું, તું લાખ મુદ્રા ગ્રહણ કરી મને આ ભેરીનો એક ટુકડો આપ. ભેરીપાલકે લોભ વડે તે આપ્યો, ત્યાં ચંદનના કાષ્ઠનું થીગડું લગાવ્યું. એ રીતે બીજા–બીજા લોકોએ પણ મુદ્રા આપી તેનો ટુકડો–ટુકડો લીધો. પછી તે ભરી ચંદનના કાષ્ઠની બની ગઈ. કોઈ વખતે અશિવ ઉત્પન્ન થતા, વાસુદેવે તે ભેરી વગાડી. હજી તો તેમાં વાયુ પુરવા જતા હતા ત્યાં વાસુદેવ જાણ્યું કે, આ તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy