________________
કૃષ્ણ – બલભદ્ર
૧૭૧
i Bગા
ચંદનકાષ્ઠનો ભંગાર બની ગઈ છે પછી અઠ્ઠમ તપ કરી ફરી દેવની આરાધના કરીને ભરીને મૂળ સ્વરૂપે પ્રાપ્ત કરી. ૦ કૃષ્ણ વાસુદેવનું મૃત્યુ અને ગતિ :
ભગવંત અરિષ્ટનેમિએ કરેલ ભાવિકથન મુજબ કૈપાયન કે જે મરીને અગ્રિકુમાર દેવ થયેલા, તેણે પૂર્વનું વૈર સંભારી દ્વારકા નગરીને અગ્રિથી ભસ્મ કરી, કૃષ્ણ અને રામને તેણે આપેલા વચન પ્રમાણે જવા દીધા. વસુદેવ, દેવકી, રોહિણીએ અરહંત અરિષ્ટનેમિનું શરણું લઈ, ચાર આહારનું પચ્ચકખાણ કર્યું. ચાર શરણા અંગીકાર કર્યા. એકત્વાદિ ભાવના ભાવી, નમસ્કાર મંત્રનું ધ્યાન કર્યું. ત્રણે મૃત્યુ પામીને સ્વર્ગે ગયા. કૃષ્ણ અને રામ ત્યાંથી નીકળ્યા. તેઓએ પાંડુ મથુરા તરફ પ્રયાણ કર્યું. માર્ગે ચાલતા તેઓ હસ્તિકલ્પ નગર પાસે આવ્યા. સુધાની પીડા રામ બળદેવને જણાવી. રામ ત્યાંથી આહારની શોધમાં નીકળ્યા. પછી કૃષ્ણને તૃષા લાગતા પાણીની શોધમાં ગયા.
કૃષ્ણ વાસુદેવ કૌશાંબ વનમાં વૃક્ષની છાયામાં આશરો લીધો. પીતાંબર ઓઢીને સુતા ક્ષણવારમાં નિદ્રાધીન થઈ ગયા. તે વખતે કૃષ્ણના એક મોટા ભાઈ જરાકુમાર કે જે ભગવંતની અગમ વાણીથી દ્વારકાથી નીકળી ગયેલા, તેના હાથે કૃષ્ણ વાસુદેવનું મૃત્યુ ન થાય તે માટે વનમાં ભ્રમણ કરતા હતા, તેને પીતાંબર ઓઢેલા કૃષ્ણને જોઈને થયું કે, દૂર કોઈક મૃગ લાગે છે. તેણે બાણ છોડ્યું. તેના પ્રહારથી કૃષ્ણ વાસુદેવ મરણ પામ્યા. ૧૦૦૦ વર્ષનું પૂર્ણાયુ ભોગવી મરીને ત્રીજી નરકે ઉત્પન્ન થયા. ૦ રામ બળદેવની દીક્ષા અને ગતિ :--
કૃષ્ણના મૃત્યુથી રામ શોકમગ્ન થયા. તે માનવા તૈયાર નથી કે તેનો ભાઈ મૃત્યુ પામ્યો છે. તેના મૃતકને ખભે લઈને ફર્યા કરે છે. સિદ્ધાર્થ જે દેવ થયેલો તેણે અવધિજ્ઞાનથી આ વાત જાણી, તે રામ બળદેવને બોધ આપવા આવ્યા. વિવિધ પ્રયુક્તિઓ વડે તેણે રામ બળદેવને પ્રતિબોધિત કર્યા. કૃષ્ણના મૃતકનો અગ્નિ સંસ્કાર કરી, તે દીક્ષા લેવા તત્પર થયા. અરહંત અરિષ્ટનેમિએ તેમનો આ ભાવ જાણી એક વિદ્યાધર મુનિને સત્વરે મોકલ્યા. રામે તેમની પાસે દીક્ષા લીધી. તીવ્રતપ કરવા લાગ્યા. સિદ્ધાર્થદેવ તેમનો રક્ષક બનીને રહ્યો. કાળધર્મ પામીને રામ બળદેવ પાંચમાં દેવલોકે ઉત્પન્ન થયા. પછીના ભવે તેઓ તીર્થકરત્વ પામી નિર્વાણ પામશે.
૦ આગમ સંદર્ભ :-- આય.મૂ. ૬૩, ૨૦૭ની વૃ;
આયા.. ૮૬; સૂય. ૧૬૫, ૩૭૩; સૂય.ચૂ.પ્ર. ૩૪૦;
ઠા. ૭૩૮, ૮૧૨, ૮૧૩, ૮૭૧, ૯૩૦, ૯૬૮; ઠા. ૩૬૦, ૭૩૮, ૮૭૧, ૯૮૨ની વૃ. સમ ૧૪, ૨૫, ૩ર૧ થી ૩૪૫, ૩૨૩, ૩૫૭, ૩૬૨; ભગ. પર૦, ૬૭૮;
- નાયા. ૧૭, ૬૩ થી ૬૫, ૧૬૯ થી ૧૭૮; તે અંત. ૩, ૫, ૧૦, ૧૩, ૧૪, ૧૬, ૧૭, ૧૯ થી ૨૨; પપ્પા. ૧૯, ૨૦ + વૃ.
વહિ. 3; ભા. ૬૯, ૧૩૭; ગચ્છા. ૮૪ની વૃ. મરણ. ૪૩૩, ૪૯૭; નિસી.ભા. ૧૪૧, ૨૯૪ ૨૩૪૩ની ચૂ. બુ.ભા. ૩૫૬, ૧૭૨, ૫૦૨૩, પર૫પની વૃ. વવ.ભા. ૧૧૮૭ + વૃ. આવ.નિ. ૭૧, ૭૨, ૭૫, ૩૬૮, ૪૦ર થી ૪૧૬, ૪રર,
– ૫૭૦, ૮૩૫, ૮૩૬, ૧૧૬૮, ૧૧૮૬, ૧૩૦૫;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org