________________
૧૨૬
આગમ કથાનુયોગ-૨
આલેખન કર્યું. પછી માતાને બીજી ગુટકા આપતા તે સચેત થઈ ગયા. પછી હું માતાને મારા પિતાના મિત્ર દેવશર્માને ત્યાં લઈ ગયો.
ત્યાંથી નીકળી તમને શોધતા-શોધતા અનેક સ્થાને ભ્રમણ કરતો હું અહીં આવ્યો. મારા ભાગ્ય યોગે તમે અહીં મળી આવ્યા. આ પ્રમાણે વૃત્તાંત કહી વરધનુએ બ્રહ્મદત્તને પૂછયું કે, હે મિત્ર! હવે તમારો વૃત્તાંત જણાવો. બ્રહ્મદત્ત સર્વ વાત કર્યા પછી બંને મિત્રો વાર્તાલાપ કરતા હતા, ત્યાં કોઈએ આવીને કહ્યું કે, આ ગામમાં દીર્ઘરાજાના સુભટો આવ્યા છે. જે તમારા જેવા બંનેના –આકૃતિ બનાવી ગામના લોકોને તમારી ભાળ પૂછે છે તે સાંભળી હું અહીં આવ્યો છું. હવે તમને જેમ રૂચે તેમ કરો. ત્યારે બ્રહ્મદત્ત અને મંત્રીપુત્ર પણ તત્કાળ અરણ્યમાં નાસી ગયા. અનુક્રમે તેઓ કૌસાંબીનગરી આવ્યા. ત્યાં સાગરદત્ત શેઠ અને બુદ્ધિલના કુકડાની લડાઈ થતી હતી. હારજીત પર એક લાખ દ્રવ્યની શરત હતી. તે આ બંને કુમારે જોયું. તે બંને કુકડાનું યુદ્ધ ચાલતું હતું, તેમાં સાગરદત્તનો કુકડો જાતિવાન્ હતો. બુદ્ધિલનો કુકડો જાતિવાનું ન હતો. બ્રહ્મદ બુદ્ધિલના કુકડાના પગમાં તીક્ષ્ણ સોયો જોઈ. બુદ્ધિલને તેની જાણ થતાં તેણે બ્રહ્મદત્તને અડધું દ્રવ્ય આપવા કહ્યું, પણ બ્રહ્મદત્તે તે ન સ્વીકાર્યું. તેણે લોઢાની સોયો ખેંચી કાઢી. સાગરદત્તના કુકડાએ ક્ષણવારમાં બુદ્ધિલના કુકડાને ભગ્ન કર્યો.
વિજયથી હર્ષિત થયેલો સાગરદત્ત, બ્રહ્મદત્ત અને મંત્રીપુત્રને પોતાના રથમાં બેસાડી પોતાને ઘેર લઈ ગયો. પોતાના ઘરની જેમ તેઓ ત્યાં ઘણાં દિવસ રહ્યા. એક વખત બુદ્ધિલના દાસે વરધનુ પાસે આવી કંઈક કહ્યું. વરધનુએ કુમારને કહ્યું, બુદ્ધિલે કહ્યા પ્રમાણે અર્ધ લાખ દ્રવ્ય મોકલાવ્યું છે. એમ કહી મોતીનો હાર બતાવ્યો. તે હાર સાથે બ્રહ્મદત્તે એક લેખ જોયો. તે વખતે વત્સા નામે તાપસી પણ ત્યાં આવી. બંને કુમારોને ચોખા વડે વધાવીને તે દાસીએ વરધનુને એક તરફ લઈ જઈ સંદેશો કહ્યો. વરધનુએ બ્રહ્મદત્તને કહ્યું, તે આ લેખનો જવાબ લેવા આવી હતી, આ નગરમાં રનવતી નામે શ્રેષ્ઠી સુતા છે. તે અતીવ સુંદર છે. તેણીએ કુકડાયુદ્ધ વખતે તમને જોયા ત્યારથી કામાર્ત થયેલી છે. બ્રહ્મદત્ત જ મારું શરણ હો તેમ બોલ્યા કરે છે. તેથી મેં તેને આશ્વાસન આપી, તમારા વતી પ્રતિલેખ લખીને મોકલ્યો છે. તે સાંભળી બ્રહ્મદત્ત પણ કામથી પીડિત થઈ સુખે રહી ન શક્યો.
આ સમયમાં દીર્ઘરાજાના મોકલેલા સુભટો બ્રહ્મદત્ત અને વરધનુને શોધવા માટે આવ્યા. તેની ખબર પડતાં સાગરદત્તે તેને નિધાનની જેમ ભૂમિગૃહમાં સંતાડ્યા. પછી રાત્રિએ રથમાં બેસાડી સાગરદત્ત તેમને કેટલેક દૂર લઈ ગયો. પછી પોતે પાછો વળ્યો. બંને આગળ ચાલ્યા, ત્યાં નગરીના ઉદ્યાનમાં એક સુંદર સ્ત્રી તેના જોવામાં આવી. તેણીએ આદરથી પૂછ્યું કે, તમને આવતા આટલી વાર કેમ લાગી ? તે બંનેએ વિસ્મયથી પૂછયું કે, અમે કોણ છીએ ? તું અમને શી રીતે ઓળખે છે ? આ નગરીમાં ધનપ્રભવ નામે ધનાઢય શ્રેષ્ઠી છે. તેને આઠ પુત્રો પછી એક પુત્રી થઈ, તે હું છું. યૌવનવતી થતાં મેં વરની પ્રાપ્તિ માટે આ ઉદ્યાનમાં એક યક્ષનું આરાધન કર્યું. યક્ષે મને પ્રસન્ન થઈને કહેલું કે, બ્રહ્મદત્ત નામે ચક્રવર્તી તારો પતિ થશે. તેણે જ કહેલું કે, આ મંદિરમાં તારો મેળાપ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org