SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રવર્તી – બહ્મદત કથા ૧૨૫ અપેક્ષા કરે તેને તારે દૃષ્ટિ વડે જોવા. તેમાંથી તને જે યોગ્ય લાગે તેના સમાચાર તારે મને આપવા. પિતાના વચનથી હું તે સરોવર પર રહી સર્વે મુસાફરોને જોતી હતી. પુણ્યના ઉદયથી મેં તમને જોયા. મારા મનોરથ જાણીને મારા પિતાએ મને તમારી સાથે પરણાવી. કોઈ વખતે તે પલિપતિ કોઈ ગામ ભાંગવા માટે સૈન્ય સહિત ચાલ્યો. તેની સાથે બ્રહ્મદત્ત પણ ચાલ્યો. સરોવરને કાંઠે આવીને ઊભો. ભિલોએ ગામ લુંટવા માંડ્યું એટલામાં વરધનું આવીને કુમારના ચરણમાં પડ્યો. કુમારને વળગીને મુક્તકંઠે રડી પડ્યો. બ્રહ્મદત્ત અમૃત જેવી મધુર વાણીથી આશ્વાસન આપીને તેનો વૃત્તાંત પૂગ્યો. વરધનુએ ગગ વચનથી પોતાનો વૃત્તાંત કહેવા માંડ્યો. હે નાથ ! તમને વડના વૃક્ષ નીચે મૂકીને હું જળ લેવા ગયો. અમૃતકુંડ જેવું એક સરોવર જોયું. તમારા માટે કમળના પત્રમાં જળ લઈને હું પાછો આવતો હતો, ત્યારે યમદૂત જેવા સુભટોએ મને પકડીને પૂછ્યું કે, બ્રહ્મદત્ત ક્યાં છે? ત્યારે મેં કહ્યું કે, હું કંઈ જાણતો નથી. એટલે તેઓ મને મારવા લાગ્યા. તેથી મેં કહ્યું, બ્રહ્મદત્તને કોઈ વાઘ ખાઈ ગયો. તેઓ બોલ્યા કે, તે સ્થાન બતાવ. એટલે આમતેમ ભમતો હું આવ્યો અને મેં તમને નાસી જવાની સંજ્ઞા કરી. ત્યાર પછી કોઈ પરિવાજકે આપેલી ગુટિકા મેં તુરંત મુખમાં મૂકી દીધી. તેના પ્રભાવથી હું સંજ્ઞારહિત થઈને પડી ગયો. તેથી મને મરેલો ધારી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. તેમના ગયા પછી મેં ગુટિકા બહાર કાઢી, પછી તમને શોધતો હું કોઈ એક ગામમાં આવ્યો. ત્યાં કોઈ પરિવ્રાજક મારા જોવામાં આવ્યો. તેમને મેં પ્રણામ કર્યા. મને જોઈને તે તાપસે કહ્યું, વરધનું ! હું તારા પિતાનો મિત્ર છું. તારી સાથે ભાગેલો બ્રહ્મદત્ત ક્યાં છે? મેં કહ્યું. સારું વિશ્વ જોયું પણ તેનો પત્તો નથી. તે તાપસે કહ્યું કે, જ્યારે લાક્ષાગૃહ દગ્ધ થયું ત્યારે પ્રાત:કાળે દીર્ઘરાજાએ જોયું તો તેમાંથી બળી ગયેલ એક જ મુડદ નીકળ્યું ત્રણ મડદાં ન નીકળ્યા. સુરંગ મળી આવી, ઘોડાના પગલાંના નિશાન જોયા. એટલે તમે બંને ધનુમંત્રીની બુદ્ધિથી જ નાશી ગયા જાણી, રાજા તેના પ્રત્યે ઘણો જ ગુસ્સે થયો, પછી તમને બંનેને બાંધી લાવવા ચારે દિશામાં ઘોડેસ્વાર રવાના કર્યા ધનુમંત્રી ત્યાંથી નાસી ગયા. તમારી માતાને દીર્ઘરાજાએ નરક જેવા ચાંડાળના પાડામાં નાખ્યા. આ વૃત્તાંત સાંભળીને દુઃખારૂં થયેલો હું કાંડિલ્ય નગરે ગયો. કપટથી કાપાલિકનો વેષ લઈને ચંડાળના પાડામાં નિરંતર ફરવા લાગ્યો. તે લોકોએ મને ત્યાં ભમવાનું કારણ પૂછયું, ત્યારે મેં કહ્યું, હું માતંગી વિદ્યાનો સાધુ છું. અમારો આ કલ્પ છે. ત્યાં ભમતા ભમતા મારે ત્યાંના રક્ષક સાથે મૈત્રી થઈ ગઈ. એક દિવસે મેં તે રક્ષક પાસે મારી માતાને કહેવડાવ્યું કે, તમારા પુત્રનો મિત્ર કૌડિન્ય મહાવ્રત ધારી છે તે તમને અભિવાદન કરે છે. બીજે દિવસે હું જાતે માતાની પાસે ગયો. તેમને ગુટીકા અને બીજોરાનું ફળ આપ્યું. તે ખાવાથી મારી માતા સંજ્ઞારહિત થઈ ગયા. કોટવાળે તેમને મરેલા ધારી રાજાને કહ્યું, રાજાએ તેના શરીરના સંસ્કારને માટે કહ્યું, મેં કહ્યું, અરે રાજપુરુષો ! જો તમે આ વખતે આ સ્ત્રીને મૃતસંસ્કાર કરશો તો રાજા ઉપર મહા અનર્થ થશે. તેથી તેઓ ડરીને ચાલ્યા ગયા. મેં પુરરક્ષકને કહ્યું કે, તું સહાય આપે તો આ સુલક્ષણા સ્ત્રીને મંત્ર વડે સાધુ. પુરરક્ષક સંમત થતા, માતાને દૂર સ્મશાનમાં લઈ ગયો. ત્યાં મેં માયા વડે મંડળ આદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy