________________
૧૨૪
આગમ કથાનુયોગ-૨
નહીં, તેથી વિદ્યાસાધનાને માટે એક વંશજાલિકાની પાછળ ધુમ્રપાન કરતો ઉર્ધ્વ પગે રહેલો છે. તેને આજે વિદ્યા સિદ્ધ થવાની છે. વિદ્યા સિદ્ધ થયા પછી શક્તિમાનું થયેલો તે મને પરણવા પ્રયત્ન કરશે. તે સાંભળી કુમારે પોતે તેનો વધ કર્યાનો વૃત્તાંત કહ્યો. ત્યારે તેણી બોલી, બહુ સારું કર્યું. તે કન્યા અતિ હર્ષિત થઈ. કેમકે તેને પ્રિયના મિલાપ અને અપ્રિયનો વિચ્છેદ થયો. પછી પરસ્પર અનુરક્ત તે બંનેએ ત્યાં ગાંધર્વ વિવાહ કર્યો. વિવિધ પ્રકારે કામક્રીડા કરતા તેઓની રાત્રિ ક્ષણની જેમ પસાર થઈ ગઈ
- પ્રાતઃકાળે વિદ્યાધરીઓના શબ્દ બ્રહ્મદત્તના સાંભળવામાં આવ્યા. બ્રહ્મદરે પુષ્પવતીને પૂછયું કે, આ કોનો શબ્દ છે ? પુષ્પવતીએ કહ્યું, હે પ્રિય ! તમારા શત્રુ નાટ્યોન્મત્ત વિદ્યાધરને ખંડા અને વિશાખા નામે બે બહેનો છે. તે વિદ્યાધર કન્યાઓનો આ શબ્દ છે. તેમના ભાઈ માટે વિવાહની સામગ્રી લઈને અહીં આવે છે. હે સ્વામી ! તમે ક્ષણવાર દૂર ખસી જાઓ. એટલે હું તમારા ગુણોનું કીર્તન કરીને તમારી ઉપરના રાગ વિરાગનો ભાવ જાણી લઉં. જો તેમને તમારા પર રાગ થશે, તો હું તમને લાલ ધ્વજા બતાવીશ અને વિરાગ થશે તો સફેદ ધજા બતાવીશ. જો લાલ ધ્વજા બતાવું તો અહીં આવવું. સફેદ ધજા બતાવું તો બીજી તરફ ચાલ્યા જવું. બ્રહ્મદરે કહ્યું, તમે ડરો નહીં પછી બ્રહ્મદત્ત પુષ્પવતીના કહેવા પ્રમાણે અન્યત્ર ચાલ્યો ગયો. પછી તેણીએ શ્વેત ધજા ફરકાવતા બ્રહ્મદત્ત દૂર ચાલ્યો ગયો.
ત્યાંથી ચાલતા તે દુર્ગમ વનને પાર કરીને, સંધ્યાકાળે એક સરોવરની પાસે આવ્યો. ત્યાં સ્નાન કરી, અમૃતના જેવા જળનું પાન કર્યું. ત્યાંથી તે વાયવ્ય દિશાના કિનારે આવ્યો. ત્યાં સાક્ષાત્ વનકન્યા જેવી કન્યાને જોઈ. બ્રહાદત્તને થયું કે, આજે મારો જન્મ સફળ થયો. તેના દર્શનરૂપ અમૃત રસને તે કુમાર પીવા લાગ્યો. તો પણ મરૂભૂમિનો મુસાફર જેમ ગ્રીષ્મમાં પાણી પીતા પણ તૃપ્તિ ન પામે તેમ તે કુમારને તૃપ્તિ ન થઈ. તે કન્યા પણ તેને જોતી કટાક્ષાદિ દૃષ્ટિ ફેંકવા લાગી. દાસીને તે કન્યાએ કંઈ સૂચના આપી. કુમાર પણ બીજી તરફ ચાલ્યો. ત્યાં એક દાસીએ આવીને વસ્ત્ર, તાંબુલ, આભુષણાદિ કુમારને આપ્યા અને કહ્યું, આપને તેણીના પિતાના મંત્રીને ઘેર આવવા કહ્યું છે.
પછી બ્રહ્મદત્ત તે દાસી સાથે મંત્રીને ઘેર ગયા. મંત્રી પણ તેને જોઈને ઊભો થઈ સામે આવ્યો. ત્યારે દાસીએ કહ્યું, હે મંત્રીરાજ ! શ્રીકાંતા રાજપુત્રીએ આમને મોકલ્યા છે. દાસીના ગયા પછી મંત્રીએ બ્રહ્મદત્તની ઘણી સેવા કરી. રાત્રિ નિર્ગમન થયા પછી મંત્રી તેને રાજકુળમાં લઈ ગયા. રાજાએ બાળસૂર્યની જેમ તેની અધ્યદિકથી પૂજા કરી. પછી વંશ કુળાદિક પૂછયા વિના રાજાએ પોતાની પુત્રી પરણાવી. કુમાર પણ ઘણો ખુશ થયો. કોઈ વખતે બ્રહ્મદરે એકાંતમાં ક્રીડા કરતા તે રાજકુમારીને પૂછયું. મારા કુળથી અજાણ અને હું એકલો છું તે જાણવા છતા તારા પિતાએ તેને મારી સાથે કેમ પરણાવી ? ત્યારે શ્રીકાંતા બોલી, મારા પિતા વસંતપુરના રાજા શબરસેનના પુત્ર છે. તેમને ગોત્રીઓએ રાજ્યવિહોણા કરી દીધા છે. તેઓ આ પલ્લીમાં રહ્યા છે. તેમણે અહીં ભિલોને વશ કર્યા છે. ગામઆદિને લુંટીને પણ તેઓ પરિવારનું પોષણ કરી રહ્યા છે. ચાર પુત્રો પછી તેમને હું પુત્રીરૂપે જન્મી. હું યૌવનવતી થઈ એટલે મારા પિતાએ કહ્યું, જે સર્વે રાજા તારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org