________________
ચક્રવર્તી – બહાદત્ત કથા
૧૨૭
તેથી હે સુંદર ! તમે જ બ્રહ્મદર છો. બ્રહ્મદત્તે તેનો અંગીકાર કરી. પછી તેણીને રથમાં બેસાડી ચાલ્યા.
તેણીએ કહ્યું કે, અહીં મગધપુરમાં ધનાવહ નામે મારા કાકા છે. તે આપણો ઘણો સત્કાર કરશે, માટે તે તરફ ચાલો. રત્નાવતીના કહેવાથી બ્રહ્મદત્તે મંત્રીપુત્રને કહી તે બાજુ ઘોડા હંકાર્યા. બ્રહ્મદત્ત વગેરે થોડી વારમાં અટવીમાં પહોંચ્યા. ત્યાં સુકંટક અને કંટક નામના બે ચોર સેનાપતિએ બ્રહ્મદત્તને રોક્યો. કુમારે બાણોનો વરસાદ કરી તે બંને ચોરોને નસાડી મૂક્યા. ત્યારે મંત્રીપુત્રે કહ્યું કે, સ્વામી ! તમે બે ઘડી આ રથમાં સૂઈ જાઓ. બ્રહ્મદત્ત રત્નવતી સાથે ત્યાં સૂઈ ગયો. પ્રભાતે એક નદી કાંઠે આવ્યા ત્યારે મંત્રીપત્રને ન જોયો ત્યારે બ્રહ્મદત્ત વ્યાકુળ ચિત્ત થઈ ગયો. વિલાપ કરતો મૂર્ષિત થઈ ગયો. રત્નાવતીએ તેને શાંત પાડ્યો. રત્નાવતીના કહેવાથી અશ્વોને હંકાર્યા. થોડા વખતમાં મગધ દેશની ભૂમિના સીમાડાના ગામમાં આવ્યા. તે ગામનો નાયક સભા ભરીને બેઠો હતો. તે બ્રહ્મદત્તને જોતાં જ તેને પોતાને ઘેર લઈ ગયો.
ગ્રામાધિપે પૂછયું કે, તમે શોકગ્રસ્ત કેમ જણાઓ છો ? બ્રહ્મદરે કહ્યું, મારો એક મિત્ર ચોર લોકો સાથે યુદ્ધ કરતા ક્યાંક ચાલ્યો ગયો છે. ગ્રામાધિપે તેને શોધી લાવવા વચન આપ્યું. તેણે પાછા આવીને કહ્યું કે, કોઈ મનુષ્ય તો અટવીમાં ન મળ્યો. માત્ર પ્રહાર કરવાથી પડી ગયેલ એક બાણ હાથમાં આવ્યું છે. આ વાત સાંભળી બ્રહ્મદત્તને થયું કે, જરૂર વરધનુ માર્યો ગયો છે. તે શોકગ્રસ્ત થઈ ગયો. રાત્રિના ચોથા પ્રહરે ત્યાં ચોર આવ્યા. કુમારના બળથી તેઓ નાસી ગયા. બીજે દિવસે તે ગ્રામપતિને લઈને કુમાર ત્યાંથી રાજગૃહી આવ્યો. ત્યાં રત્નપતીને નગરની બહાર તાપસ આશ્રમમાં રાખી, તેણે નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં હવેલીના એક ગોખમાં તેણે બે નવયૌવના સ્ત્રીઓને જોઈ. કુમારને જોતાં જ તે સ્ત્રીઓ બોલી કે, હે ભદ્ર! તે વખતે પ્રેમીજનને છોડીને તમે ચાલ્યા ગયા તે યોગ્ય છે ? બ્રહ્મદરે પૂછયું કે, મારા પ્રેમીજન કોણ ? મેં તેનો ક્યારે ત્યાગ કર્યો? હું કોણ છું ? તમે બંને કોણ છો ? તેણી બોલી હે નાથ ! પ્રસન્ન થાઓ, અહીં પધારો, વિશ્રામ લો.
પછી તેણીએ વૃત્તાંત કહેવો શરૂ કર્યો. આ ભરતમાં વૈતાઢ્ય નામે રજતગિરિ છે. તેની દક્ષિણ શ્રેણીમાં શિવમંદિર નામે નગરમાં જ્વલનશિખ રાજા છે. તે વિદ્યાધર રાજાને વિદ્યશિખા નામે પ્રિયા છે. અમે તેની ખંડા અને વિશાખા નામની પુત્રીઓ છીએ. એક વખતે પોતાના મહેલમાં અમારા પિતા અગિશીખ નામના મિત્ર સાથે વાર્તાલાપ કરતા હતા. તેવામાં અષ્ટાપદગિરિ જતાં દેવતાઓને અમે આકાશમાં જોયા. અમે પણ તીર્થયાત્રા કરવા ચાલ્યા. અમે અષ્ટાપદગિરિ પર જિનપ્રતિમાને જોઈ. અમે ત્યાં ત્રણ પ્રદક્ષિણા કરી, વિધિવત પૂજા કરી, વંદના કરી, ત્યાંથી ચાલ્યા ત્યારે બે ચારણ શ્રમણ મુનિઓને જોયા. તેમને નમસ્કાર કરી અને ધર્મદેશના સાંભળી. દેશનાને અંતે અગ્રિશિખે પૂછયું કે, આ બંને કન્યાનો પતિ કોણ થશે ? તેઓ બોલ્યા કે, જે તેણીના ભાઈને મારી નાખશે તે આ બંનેનો પતિ થશે. તે વાત સાંભળી અમારા પિતા ગ્લાનિ પામ્યા. અમે અમારા ભાઈની રક્ષા માટે તત્પર બન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org