________________
ચક્રવર્તી – બહાદત્ત કથા
૧૧૫
–૩૯૮, ૪૦૦, ૪૦૧, ૪૧૮, ૪ર૧; આવા .૧-પૃ. ૨૧૫, ૨૨૦, ૨૨૮; ઉત્ત. ૬૦૨ + વૃ;
ઉત્ત.ભાવ. ૩૭૫;
તિો . પ૬૦;
(૧૨) બ્રહ્મદત્ત ચક્રવર્તી ચરિત્ર :–૦- સામાન્ય પરીચય :
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીકાળમાં બારમા ચક્રવર્તી બ્રહ્મદત્ત થયા. તેમની જન્મનગરી કાંપિલ્ય હતી. પિતાનું નામ રાજા બ્રહ્મ અને માતાનું નામ રાણી ચૂલણી હતું. કાશ્યપ ગોત્રીય આ ચક્રવર્તીની ઊંચાઈ સાત ધનુષની હતી. વર્ણ નિર્મળ સુવર્ણની પ્રભા સદશ હતો. છ ખંડ ભારત, ચૌદ રત્ન અને નવનિધિના તેઓ સ્વામી હતા. તેમની મુખ્ય પત્ની (સ્ત્રીરત્ન)નું નામ કુરુમતિ હતું. તે સિવાય બુદ્ધિમતી, પુષ્પવતી, શ્રીકાંતા, રત્નપતી, ખંડા, વિશાખા, હરિકેશા, ગોદત્તા, કણેરુદત્તા, કણેરુપ્રતિકા, કુંજરસેના, કણેરુસેના, ઋષિબુદ્ધિ આદિ રાણીઓના પણ ઉલ્લેખ મળે છે. ૭૦૦ વર્ષનું પૂર્ણ આયુ ભોગવી, કામભોગ અને રાજ્યશ્રીનો ત્યાગ કર્યા સિવાય, ચક્રીની ઋદ્ધિ–વૈભવમાં ડૂબેલા બ્રહ્મદત્ત સાતમી નરકે ગયા. તેમનો કાળ ભગવંત અરિષ્ટનેમિના અને ભગવંત પાર્થના શાસન મધ્યે થયા. -૦- કથાનક :૦ ગોવાળનો ભવ અને સ્વર્ગગમન :
આ જંબૂલીપના ભરતક્ષેત્રમાં સાકેત નામે નગર હતું. ત્યાં જીવ–અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા ચંદ્રાવતંસક નામે રાજા હતા. તેને ધારિણી નામે પત્ની (રાણી) અને મુનિચંદ્ર નામે પુત્ર હતો. તે રાજાને કોઈ વખતે સંવેગ ઉત્પન્ન થવાથી પોતાના પુત્રનો રાજ્યાભિષેક કરી સાગરચંદ્ર ગુરુ પાસે દીક્ષા લીધી. સંયમની સુંદર પરિપાલના કરી મલકલંકને દૂર કરી અપવર્ગે પધાર્યા.
કોઈ વખતે સાગરચંદ્ર આચાર્ય ઘણાં શિષ્યથી પરિવરીને સાકેત નગરે પધાર્યા. મુનિચંદ્ર રાજા તેમના વંદનાર્થે નીકળ્યા. તેમણે આચાર્ય ભગવંતને જોઈને દર્શન કર્યા, સ્તુતિ કરી, તેમની સમીપે બેસી, આચાર્ય ભગવંત પાસેથી વિશુદ્ધ ધર્મની દેશના સાંભળી. તેને સંયમ જીવનની આચરણાની અભિલાષા પ્રગટી, ભવવિરક્ત મનવાળા થઈને, પોતાના પુત્રને રાજ્ય સોંપી મુનિચંદ્ર રાજાએ દીક્ષા ગ્રહણ કરી. ગ્રહણ–આસેવન ઉભય લક્ષણા શિક્ષા પ્રાપ્ત કરી. કોઈ વખતે સારા સાર્થની સાથે સાગરચંદ્રાચાર્યે પોતાના ગચ્છ સાથે વિહાર કર્યો. મુનિચંદ્રમુનિ પણ ગુરુ ભગવંત સાથે દેશાંતર વિચારવા લાગ્યા. નિયોગથી એકાકી થઈ કોઈ નિકટના ગામમાં ભોજન-પાન નિમિત્તે ગયા. તેઓ ભિક્ષાર્થે ગામમાં ગયા ત્યારે સાર્થ તો ચાલવા લાગ્યો. આચાર્ય ભગવંત પણ સાથે સાથે નીકળ્યા. મુનિચંદ્રમુનિને વિસ્મૃતિ થવાથી, ભોજન પાન લાવીને સાર્થની પાછળ જવા લાગ્યા પણ તેઓ માર્ગ ભૂલી ગયા. | – માર્ગથી ભ્રષ્ટ થયેલા મુનિ ચારે દિશામાં સાર્થની શોધ કરી. તેઓ અનેક સ્થાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org