SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ આગમ કથાનુયોગ-૨ કરી. કર્મલય માટે પોતાનું સર્વ ફોરવ્યું. કુલ ૧૦,૦૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી. જેમાં ૩૫૦ વર્ષનો દીક્ષાપર્યાય પાળી, સમગ્ર શત્રુઓના માનનું મર્દન કરનારા હરિષણ રાજર્ષિએ ઘાતિકર્મોનો ક્ષય કરી અનંતજ્ઞાનાદિ પ્રાપ્ત કર્યા. અનુત્તર એવી ગતિને પ્રાપ્ત કરી. ૦ આગમ સંદર્ભ :-- સમ. ૧૬૮, ૧૭૬, ૩૧૩, ૩૧૫, ૩૧૮, ૩૨૦; આવ.મ. ૨૩૭, ૨૩૯ આવ.નિ. ૩૯૧, ૩૯૩, ૩૯૪, ૩૯૬ થી ૩૯૮, ૪૦૦, ૪૦૧, ૪૧૮, ૪૨૧; આવ . ૧૫. ૨૧૫, ૨૨૦, ૨૨૮; ઉત્ત. ૬૦૧ + વૃ ઉત્ત.ભાવ... ૩૭૪; તિલ્યો. પ૬૦; (૧૧) જય ચક્રવર્તી કથાનક :–૦- સામાન્ય પરીચય : જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીકાળમાં અગિયારમાં ચક્રવર્તી “જય” થયા. તેમની જન્મનગરી રાજગૃહ હતી. પિતાનું નામ વિજય અને માતાનું નામ વપ્રા (વપ્રકા) હતું. કાશ્યપગોત્રીય આ ચક્રવર્તીનો વર્ણ નિર્મળ સુવર્ણની પ્રભા સમાન હતો. તેમની ઊંચાઈ બાર ધનુમ્ હતી. તેઓ છ ખંડ ભારતના, ચૌદ રત્નના અને નવનિધિના સ્વામી હતા. તેમના મુખ્ય પત્ની (સ્ત્રીરત્ન)નું નામ લછિમતિ હતું. તેઓએ ત્રણ હજાર વર્ષનું પૂર્ણ આયુ ભોગવ્યું. જેમાં ૪૦૦ વર્ષનો દીક્ષા પર્યાય હતો. અંતે તેઓ મોલે પધાર્યા. ભગવંત નમિનાથ અને ભગવંત અરિષ્ટનેમિના શાસનના મધ્યમાં તેઓ થયા. –૦- કથાનક : આ ભરતક્ષેત્રમાં લક્ષ્મીના ગૃહરૂપ રાજગૃહ નામે નગર હતું. ત્યાં યશના સમુદ્ર સ્વરૂપ એવો વિજય (સમુદ્રવિજય) નામે એક રાજા હતો. પુણ્ય-લાવણ્ય અને તારુણ્યથી યુક્ત તેમજ શીલરૂપી અલંકારથી યુક્ત એવી વપ્રા નામક તેની પ્રિયા (રાણી) હતી. ચૌદ સ્વપ્નોથી સૂચિત એવો એક પુત્ર થયો. તેનું “જય" નામ રાખ્યું. તેણે રૂપ અને શરીરરૂપી લક્ષ્મીને જીતી લીધી હતી. અમૃતનું પાન કરતો હોય તેમ કાળક્રમે તે યૌવનને પામ્યો. બાર ધનુષની ઊંચાઈવાળી કાયા થઈ ૩૦૦ વર્ષનો કુમારકાળ પૂરો થતા તેમના પિતાએ તેને રાજ્યની ધુરા સોંપી દીધી. ૩૦૦ વર્ષ માંડલિક રાજાપણે વીતાવ્યા બાદ ચક્ર આદિ રત્નો ઉત્પન્ન થયા. ૧૦૦ વર્ષમાં તેણે છ ખંડ ભારતને જીતી લીધું. રમણીરત્નની માફક તેણે ચક્રવર્તીની ઋદ્ધિ-સંપત્તિને ૧૦૦ વર્ષ સુધી ભોગવી. - ત્યાર પછી ભવઉદ્વેગ થયો. સંવર્ગને પામ્યા. હજાર રાજાઓ સાથે શ્રેષ્ઠ ત્યાગી એવા જયચક્રવર્તીએ રાજ્યનો પરિત્યાગ કર્યો. જિનભાષિત સંયમનું આચરણ કરવા ગુર સમીપે જઈને તેમજ રાજ્યનિધિ પુત્રને સોંપીને પોતે દીક્ષા ગ્રહણ કરી. ૩૦૦૦ વર્ષનું પૂર્ણ આયુ ભોગવ્યું. જેમાં ૪૦૦ વર્ષના દીક્ષા પર્યાયમાં તારૂપી અગ્નિ વડે કર્મોને બાળી નાંખીને કેવળજ્ઞાન તથા મુક્તિને પ્રાપ્ત કર્યા. ૦ આગમ સંદર્ભ :સમ ૩૧૪, ૩૧૫, ૩૧૮, ૩૨૦; આવનિ. ૩૯૧, ૩૯૩, ૩૯૪, ૩૯૬ થી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy