________________
નિહ્નવ જમાલિ કથા
-
ગણાય છે. કેમકે સાધુ લિંગને ધારણ કરેલા હોય છે. ભિક્ષાટન આદિ ક્રિયા સાધુવત્ જ કરતા હોય છે. જમાલી નિહવ બીજા નિહવની તુલનાએ પરસ્પર બે દોષવાળા હતા. એક તો તે બહુરત મતવાળા હતા તે દોષ અને બીજું તે જીવપ્રદેશિક આદિ મતવાળા ન હતા. તેમનું આ મિથ્યાદૃષ્ટિપણું જન્મ, જરા, મરણ, ગર્ભવાસરૂપ સંસારનું મૂળ હતું૦ જમાલિ કથા ઃ
૨૧૫
-૦- ગૃહસ્થવાસ : બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરથી પશ્ચિમદિશામાં ક્ષત્રિયકુંડગ્રામ નામક નગર હતું. તે ક્ષત્રિયકુંડગ્રામ (કુંડપુર)નામક નગરમાં ભગવંત મહાવીરની બેન સુદર્શનાને જમાલિ નામનો પુત્ર હતો. તેના લગ્ન શ્રમણ ભગવંત મહાવીરની પુત્રી પ્રિયદર્શના સાથે થયેલા હતા. જમાલિ—પ્રિયદર્શના સાથે વિષયસુખ ભોગવતો પોતાના કાળ પસાર કરી રહ્યો હતો. તે જમાલિ ક્ષત્રિયકુમાર ઋદ્ધિમાન દીપ્ત યાવત્ અપરિભૂત હતો. જ્યાં મૃદંગ વાદ્યનો સ્પષ્ટ ધ્વનિ થઈ રહ્યો હતો, બત્રીશ પ્રકારના નાટકોના અભિનય અને નૃત્ય થઈ રહ્યા હતા, અનેક પ્રકારની સુંદર તરુણિઓ દ્વારા સંપ્રયુક્ત નૃત્ય અને ગુણગાન વારંવાર કરાઈ રહ્યા હતા, તેની પ્રશંસાથી ભવન ગુંજાયમાન થઈ રહ્યું હતું. ખુશીઓ મનાવાઈ રહી હતી. એવા પોતાના ઉંચા—શ્રેષ્ઠ પ્રાસાદ–ભવનમાં પ્રાવૃ, વર્ષા, શરદ, હેમંત, વસંત અને ગ્રીષ્મ એ છ ઋતુઓમાં પોતાના વૈભવ અનુસાર આનંદ મનાવતો, સમય વીતાવતો, મનુષ્ય સંબંધિ પાંચ પ્રકારના ઇષ્ટ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધવાળા કામભોગોનો અનુભવ કરતો રહેતો હતો. –૦– ભગવંત મહાવીરનું આગમન :–
-
કોઈ દિવસે ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરમાં શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર યાવત્ મહાપથ પર ઘણાં લોકોનો કોલાહલ થઈ રહ્યો હતો. (ઇત્યાદિ વર્ણન ઉવવાઈસૂત્ર અનુસાર જાણવું) – યાવત્ - ઘણાં લોકો પરસ્પર એકબીજાને કહી રહ્યા હતા – હે દેવાનુપ્રિયો ! આદિકર યાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી શ્રમણ ભગવંત મહાવીર આ બ્રાહ્મકુંડ નામના નગરની બહાર બહુશાલ નામના ઉદ્યાનમાં યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને યાવત્ – વિચરી રહ્યા છે. તેથી હે દેવાનુપ્રિયો ! તથારૂપ અરિહંત ભગવંતના નામ ગોત્રના શ્રવણ માત્રથી મહાન્ ફળ પ્રાપ્ત થાય છે. (ઇત્યાદિ વર્ણન ઉવવાઈ સૂત્રાનુસાર જાણવું) – યાવત્ – તે જનસમૂહ ત્રણ પ્રકારની પર્વપાસના કરી રહ્યો છે.
તે વખતે ઘણાં મનુષ્યોના શબ્દ અને તેઓનું પરસ્પર મિલન સાંભળીને અને જોઈને તે ક્ષત્રિયકુમાર જમાલિના મનમાં એવો વિચાર – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, શું આજે ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં ઇન્દ્ર મહોત્સવ છે ? અથવા સ્કંદ ઉત્સવ છે ? અથવા મુકુંદ મહોત્સવ છે ? કે પછી નાગનો—યક્ષનો અથવા ભૂત મહોત્સવ છે ? શું કોઈ કુવો, સરોવર, નદી કે દ્રહનો ઉત્સવ છે ? અથવા શું કોઈ પર્વત, વૃક્ષ, ચૈત્ય કે સ્તૂપનો ઉત્સવ છે ? જે નિમિત્તે આ ઘણાં બધા ઉગ્ર, ભોગ, રાજન્ય, ઇક્ષ્વાકુ, જ્ઞાત, કૌરવ્ય, ક્ષત્રિયપુત્ર, ભટ, ભટપુત્ર, સેનાપતિ, સેનાપતિપુત્ર, પ્રશાસ્તા, પ્રશાસ્તા પુત્ર, લિચ્છવી, લિચ્છવી પુત્ર, બ્રાહ્મણ, બ્રાહ્મણ પુત્ર, ઇભ્ય ઇત્યાદિ – યાવત્ – સાર્થવાહ પ્રમુખ, સ્નાન આદિ કરીને – યાવત્ – બહાર નીકળી રહ્યા છે ? આ પ્રમાણે વિચારીને તેણે કંચુકી પુરુષને બોલાવ્યા અને તેને પૂછયું, હે દેવાનુપ્રિયો ! શું આજે ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં ઇન્દ્ર આદિ કોઈ ઉત્સવ
F
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org