SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ આગમ કથાનુયોગ-૨ બાળકની આંગળીમાં પહેરાવીને, પોતાના વસ્ત્રોની તથા શરીરની શુદ્ધિ કરવા માટે નજીકના સરોવરમાં ગઈ. તે સરોવરમાં પહેલા જળહતિએ તેણીને પોતાની સૂંઢ વડે પકડીને આકાશમાં ઉછાળી. તે વખતે આકાશમાર્ગે કોઈ ખેચરેન્દ્ર નંદીશ્વરતીપની યાત્રા કરવા વિમાનમાં બેસીને જઈ રહ્યો હતો. તેણે મદનરેખાને ઝાલી લીધી અને પોતાના વિમાનમાં બેસાડી ત્યારે મદનરેખાએ રૂદન કરતા–કરતા પોતાને થયેલા પુત્ર પ્રસવની અને તે પુત્રને માર્ગમાં મૂકીને આવ્યાની વાત તે વિદ્યાધર રાજાને કહી. તે સાંભળીને તેણે વિદ્યાના બળથી પુત્રનું સ્વરૂપ જાણીને કહ્યું હે ભદ્રે ! તું ચિંતા ન કર, વિપરીત શિક્ષા પામેલા અશ્વથી હરણ કરાયેલા મિથિલાનગરીના રાજા પઘરથે તારા પુત્રને લઈને પોતાની પુત્રરહિત પ્રિયાને સોપેલ છે. માટે હવે તું તે સંબંધિ વિષાદનો ત્યાગ કરી મને પતિ તરીકે અંગીકાર કર. તે સાંભળી મદનરેખા બોલી કે, હે પૂજ્ય ! પ્રથમ મને નંદીશ્વર દ્વીપની યાત્રા કરાવો, પછી હું તમારા મનોરથ પૂર્ણ કરવા પ્રયત્ન કરીશ. તે સાંભળીને વિદ્યાધરેન્દ્ર તેણીને નંદીશ્વર હીપે લઈ ગયો. ત્યાં બાવન જિનાલયોમાં જિનેશ્વરોના બિંબોને વંદના કરીને તે વિદ્યાધર તથા મદનરેખા ત્યાં રહેલા મણિચૂક રાજર્ષિ પાસે આવ્યા. આવીને તેમને વંદના કરીને બેઠા. આ સમયે પાંચમાં દેવલોકમાં ઉત્પન્ન થયેલ યુગબાહુ દેવ અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જાણીને ત્યાં આવ્યો. પ્રથમ તે દેવે મદનરેખાને વંદના કરી, પછી તેણે મુનિને વંદના કરી. તે જોઈને વિસ્મય પામેલા મણિપ્રભ વિદ્યાધરે તેને કહ્યું કે, હે મહાભાગ ! તમારા જેવા વિવેકી પુરુષે પ્રથમ આ સ્ત્રીને વંદના કરી અને પછી મુનિને વંદના કરી તેનું શું કારણ ? તમે આવું આ અયોગ્ય આચરણ કેમ કર્યું ? એમ કહીને તે યુગબાહુ દેવને તેણે ઠપકો આપ્યો. ત્યારે ચારણશ્રમણમુનિ મણિચંડરાજર્ષિએ તે દેવના પૂર્વભવનું સ્વરૂપ મણિપ્રભને કહી સંભળાવ્યું. પછી કહ્યું કે, હે વિદ્યાધર રાજા ! આ દેવ પોતાના ધર્માચાર્યનું સ્મરણ કરીને શીઘ્રતાથી અહીં આવેલ છે, આ દેવીના પ્રભાવે જ તેની દેવગતિ થયેલી છે. તેથી તેણે મુનિને છોડીને પ્રથમ આ મહાસતીને વંદન કરેલું છે. તેમાં કશું અયોગ્ય કરેલ નથી. આ પ્રમાણે સાંભળીને તે વિદ્યાધરરાજાએ યુગબાહુ દેવની ક્ષમા માંગી. ત્યાર પછી તે દેવે મદનરેખાને ઉપાડીને મિથિલાનગરીમાં મૂકી દીધી ત્યાં પોતાના પુત્રને સુખી જોઈને તે સ્વસ્થ ચિત્તવાળી થઈ, ત્યાર પછી તેણીએ વૈરાગ્ય પામીને કોઈ પ્રવર્તિની પાસે જઈને પ્રવજ્યા ગ્રહણ કરી. મદનરેખાના પુત્રનું નામ “નમિ” પાડવામાં આવેલ હતું. તે નમિકુમાર અનુક્રમે યુવાવસ્થાને પામ્યો, ત્યારે મિથિલાપતિએ તેને ૧૦૦૮ કન્યાઓ પરણાવી. પછી તે પારથ રાજાએ નમિકુમારને રાજ્યભાર સોંપી દઈને દીક્ષા ગ્રહણ કરી. અવંતિ દેશમાં સુદર્શન નગરમાં જે રાત્રિએ મણિરથ રાજાએ પોતાના નાના ભાઈ યુગબાહુને ખડ્રગ વડે મારી નાંખેલ. તે જ રાત્રિએ કૃષ્ણ સર્પના દંશથી રૌદ્ર ધ્યાન વડે મરણ પામીને રાજા મણિરથ ચોથી નરકે ગયો. ત્યાર પછી યુગબાહુ અને મદનરેખાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy