________________
૨૨૪
આગમ કથાનુયોગ-૨
જય-વિજય શબ્દો વડે વધાવીને આ પ્રમાણે બોલ્યા, હે દેવાનુપ્રિય ! અમારે જે કાર્ય કરવાનું હોય તેની આજ્ઞા આપો. ત્યારે ક્ષત્રિયકુમાર જમાલિના પિતાએ તે ૧૦૦૦ તરણ સેવકોને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે સ્નાનાદિ કરી - યાવત્ – એક સમાન વેશમાં સુસજ્જ થઈને જમાલિકુમારની શિબિકાને ઉપાડો. ત્યારે તે કૌટુંબિક તરુણોએ ક્ષત્રિયકુમાર જમાલિના પિતાની આજ્ઞા શિરોધાર્ય કરીને, સ્નાનાદિ કરીને – યાવત્ – એક સમાન પોષાક ધારણ કરીને ક્ષત્રિયકુમાર જમાલિની શિબિકા ઉપાડી.
હજાર પુરુષ દ્વારા ઉપાડવા યોગ્ય તે શિબિકા પર જ્યારે જમાલિ ક્ષત્રિયકુમાર વગેરે બધા આરૂઢ થયા, ત્યારે તે શિબિકાની આગળ–આગળ સર્વ પ્રથમ આ આઠ મંગલ અનુક્રમથી ચાલ્યા – સ્વસ્તિક, શ્રીવત્સ, નન્હાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મસ્ય અને દર્પણ. તે આઠ મંગળ પછી પૂર્ણ કળશ ચાલ્યો. (ઇત્યાદિ ઉવવાઈ સૂત્રમાં કહ્યા મુજબ) - યાવત્ – ગગનતલચુંબિની વૈજયંતી ધ્વજા પણ આગળ યથાનુક્રમથી ચાલી – યાવત્ – આલોક કરતા અને જય-જયકાર શબ્દનો ઉચ્ચારણ કરતાં અનુક્રમે કુટુંબીજનો ચાલ્યા. તેની પછી ઘણાં બધાં ઉગ્રકુળના, ભોગકુળના ક્ષત્રિય ઇત્યાદિ – યાવત્ – મહાન્ પુરુષોના વર્ગથી પરિવૃત્ત થઈને ક્ષત્રિયકુમાર જમાલિના આગળ-પાછળ અને આજુબાજુ ચાલવા લાગ્યા. ત્યાર પછી જમાલિકુમારના પિતાએ ખાન આદિ કર્યું – યાવત્ – તેઓ વિભૂષિત થઈને ઉત્તમ હાથીના સ્કંધ પર આરૂઢ થયા. ઘોડા, હાથી, રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને તથા મહાસુભટોના સમુદાયથી ઘેરાયેલા – થાવત્ – ક્ષત્રિયકુમાર જમાલિની પાછળ-પાછળ ચાલવા લાગ્યા. સાથે જ તે જમાલિ ક્ષત્રિયકુમારની આગળ મોટા-મોટા અને શ્રેષ્ઠ ઘોડેશ્વાર તથા તેમની બંને બાજુમાં ઉત્તમ હાથી અને પાછળ રથ તથા રથસમૂહ ચાલતો હતો.
આ પ્રમાણે ક્ષત્રિયકુમાર જમાલિ સર્વ ઋદ્ધિ સહિત – યાવત્ – વાદ્યો સહિત ચાલ્યો. તેમની આગળ કળશ અને તાડપત્રના પંખા લઈને પુરુષો ચાલતા હતા. તેમના મસ્તક પર શ્વેત છત્ર ધારણ કરેલ હતું. તેની બંને બાજુ શ્વેત ચામર અને નાના પંખા વિંઝાઈ રહ્યા હતા. ક્ષત્રિયકુમાર જમાલિ ક્ષત્રિયકુંડગ્રામ નગરની મધ્યમાં થઈને જતા–જતા બ્રાહ્મણકુંડગ્રામની બહાર જ્યાં બહુશાલ નામનું ઉદ્યાન હતું, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા. તે તરફ ગમન કરવા લાગ્યા. જ્યારે ક્ષત્રિયકુમાર જમાલિ ક્ષત્રિયકુંડ ગ્રામ નગરના મધ્યમાં થઈને જઈ રહ્યા હતા. ત્યારે શૃંગાટક, ત્રિક, ચતુષ્ક – યાવત્ – રાજમાર્ગો પર ઘણાં બધાં ધનાર્થી, કામાર્થી ઇત્યાદિ લોકો (કોણિકની કથામાં મુજબ) ઇષ્ટ, કાંત, પ્રિય આદિ શબ્દોથી યાવત્ અભિનંદન-સ્તુતિ કરતા કહેવા લાગ્યા
હે નંદ ! ધર્મ દ્વારા તમારો જય થાઓ. હે નંદ ! તપ દ્વારા તમારો જય થાઓ. હે નંદ ! તમારું કલ્યાણ થાઓ. હે દેવ ! અખંડ ઉત્તમ જ્ઞાનદર્શન ચારિત્ર દ્વારા અવિજિત ઇન્દ્રિઓને જીતો અને વિજિત શ્રમણધર્મનું પાલન કરો. હે દેવ ! વિદનોને જીતીને સિદ્ધિમોક્ષમાં જઈને વસો. તપથી પૈર્યરૂપી કચ્છને અત્યંત દૃઢતાપૂર્વક બાંધીને રાગ-દ્વેષરૂપી મલને પરાજિત કરો. ઉત્તમ શુક્લધ્યાન દ્વારા આઠ કર્મશત્રુઓનું મર્દન કરો. હે વીર અપ્રમત્ત થઈને રૈલોક્યના રંગમંચમાં આરાધનારૂપી પતાકાને ગ્રહણ કરો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org