________________
નિલવ – રોહગુપ્ત કથા
૨૪૯
આપ્યો અને સર્વથા નિષેધ ધારીને જળ વગેરે આપ્યું. જ્યારે નોઅપૃથ્વી માંગી ત્યારે પાષાણનો ટુકડો જ આપ્યો. કેમકે નોઆજીવની જેમ નોઅપૃથ્વીનો અર્થ પૃથ્વી જ થાય છે. આ પ્રમાણે જળ વગેરે સર્વેમાં ચાર-ચાર ભેદ ગણવા. નિશ્ચયનયના મતે તો જીવ અને અજીવ એ જ પદાર્થો છે. આવી રીતે ગુરુ ભગવંતે તેને અનેક પ્રકારે સમજાવ્યા. પણ રોગુણે તેનો દુરાગ્રહ-મિથ્યાભિનિવેશ છોડ્યો નહીં. ૦–૦ રોહગુપ્તને નિલવ જાહેર કરવા :
ત્યારે શ્રીગુણાચાર્ય બળખા નાખવાની કુંડીમાંથી ભસ્મ લઈને રોહગુપ્તમુનિના મસ્તક પર નાંખી અને ગચ્છની બહાર કર્યો. બલશ્રી રાજાએ પણ “મહાન્ એવા વર્ધમાન સ્વામીનો જય થાઓ" એ પ્રમાણે ઉચ્ચ સ્વરે બોલી નગરમાં એવી ઉદ્દઘોષણા કરાવી કે ગુરુના પ્રતિપક્ષી એવા રોહગુપ્તને જે માન્ય કરશે તે રાજનો દ્રોહી ગણાશે. તેને નિલવ જાહેર કરી ગુરુએ સંઘ બહાર કર્યા. પછી રોહગુએ પોતાની બુદ્ધિથી વૈશેષિક શાસ્ત્રની રચના કરી. એ રીતે ભગવંત મહાવીરના નિર્વાણ પછી ૫૪૪ વર્ષ પોતાના ત્રણ રાશિના નવા મતની સ્થાપના કરતો વૈશેષિક એવો તે છઠો નિભવ થયો.
૦ આગમ સંદર્ભ :ઠા. ૬૮૮, ૬૮૯ + વૃ,
ઉવ ૫૧ ની વૃ; નિસીભા પપ૯૬, ૫૬૦૨ થી પ૬૦૬, ૧૬૧૬, ૫૬૧૮, ૫૬૨૨ થી પ૬૨૪; બુહ.ભા. ૭૫૬ની , આવ.નિ. ૭૭૮ થી ૭૮૮; આવ.ભા. ૧૩૫, ૧૩૬ + , આવત્ ૧–પૃ. ૪૨૪ થી ૪૨૬; ઉત્ત.નિ ૧૬૫, ૧૭૨ થી ૧૭૪ ની વૃ;
કલ્પસૂત્ર વ્ય. ૮ની વૃત્તિ.
(૭) નિલવ ગોષ્ઠામાહિલ કથા – -૦- પરીચય :
ભગવંત મહાવીરના શાસનમાં સાતમાં નિલવ ગોષ્ઠામાહિલ થયા. તેમણે અબદ્ધિકા' નામે મત કાઢેલો હતો. આ મતની સ્થાપના તેણે દશપુર નગરીમાં કરેલી. ભગવંત મહાવીરના નિર્વાણ પછી ૫૮૪ વર્ષ ગોષ્ઠામાહિલ નામે નિલવ થયેલો. તેણે જીવનપર્યત પોતાના મતનો ત્યાગ કર્યો નહીં. જો કે તે મૂળભૂત સમ્યક્ દૃષ્ટિ હતા. પણ પછીથી તેનામાં મિથ્યાત્વનો પ્રવેશ થયેલો. ગોષ્ઠામાહિલે પ્રત્યાખ્યાન સ્વીકારેલ ન હતું. તે ન સાધુ હતા, ન ગૃહસ્થ કે ન અન્યલિંગી, તેઓ સાધુલિંગે રહેલા સાધુવતું કે સાધુરૂપ માત્ર હતા. શેષ પરીચય જમાલિ કથા મુજબ જાણવો. ૦ ગોઠામાહિલ કથા :–૦- આર્યરક્ષિત સૂરિ અને ગણની સોંપણી :
દશપુર નગરમાં તોશલીપુત્ર આચાર્યના એક શિષ્ય આર્યરક્ષિતસૂરિ હતા. તેઓ વજસ્વામી આચાર્ય પાસે કંઈક અધિક નવ પૂર્વ ભણ્યા હતા. તેણે જ્યારે જાણ્યું કે દુર્બલિકા પુષ્યમિત્ર આદિ જેવા પરમમેઘાવીને પણ નવમું પૂર્વ સ્મરણમાં રહેતું નથી. ત્યારે તેને ચિંતા થઈ. તેણે પોતાના જ્ઞાન અતિશયનો ઉપયોગ કર્યો ત્યારે જાણ્યું કે, હવે શેષ શિષ્યો મતિ–મેઘા અને ધારણા વડે પરિહીન થતાં જાય છે. તેથી આર્યરક્ષિતસૂરિએ શ્રતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org