________________
૨૪૮
આગમ કથાનુયોગ-૨
કહેવામાં શું બાધ છે ? ત્યારે શ્રીગુપ્ત આચાર્યએ કહ્યું- જો એમ કહીશ તો “નોઅજીવ' નામનો ચોથો રાશિ પણ તારે અંગીકાર કરવો પડશે. કેમકે આકાશાદિ અજીવ છે, તેના પણ પ્રદેશો સંભવે છે, તેથી તે પ્રદેશોને સ્થાનભેદની વિવલાથી “નોઅજીવ' કહેવા પડશે અને તેમ કહેવાથી ચાર રાશિ થશે. પરંતુ જેમ લક્ષણના સમાનપણાથી નોજીવ જીવથી ભિન્ન નથી તેમજ સમાન લક્ષણ હોવાથી નોઅજીવ પણ જીવથી ભિન્ન નથી.
આ પ્રમાણે શ્રીગુપ્ત આચાર્ય અને રોગમુનિને યાદ કરતા છ માસ વ્યતીત થયા. ત્યારે બલશ્રી રાજાએ આચાર્ય મહારાજને કહ્યું કે, હવે આ વાદ સમાપ્ત કરો, કેમકે હંમેશાં આની વ્યગ્રતાથી મારા રાજકાર્યો સીદાય છે ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, આટલા દિવસ સુધી મેં આ શિષ્યને માત્ર ક્રીડા કરાવી છે. પણ હવે પ્રાતઃકાળે તેનો હું અવશ્ય નિગ્રહ કરીશ. પછી બીજે દિવસે શ્રીગુપ્તાચાર્યે રાજાને કહ્યું કે, આ દુનિયામાં જેટલી વસ્તુ છે તે સર્વે કૃત્રિકાપણમાં મળે છે, તે તમે તથા સર્વ લોકો જાણે છે. માટે આપણે ત્યાં જઈએ અને નોજીવની માંગણી કરીએ. પછી ગુરુ ભગવંત સર્વપરિવાર તથા રોહગુપ્તને લઈને કૃત્રિકાપણ ગયા. ત્યાં કૃત્રિકાપણના અધિષ્ઠિત વ્યંતર દેવ પાસે જીવ, અજીવ અને નોજીવની માંગણી કરી, જ્યારે જીવની માંગણી કરી ત્યારે તેણે મેના-પોપટ આદિ આપ્યા. જ્યારે અજીવની માંગણી કરી ત્યારે તેણે પત્થરના ટુકડા આદિ આપ્યા. જ્યારે નોજીવની માંગણી કરી ત્યારે પહેલા કહ્યું કે, “નોજીવ" નથી. ફરી માંગ્યુ તો પત્થર વગેરેના ખંડ જ આપ્યા. કેમકે “નો' શબ્દ નકાર વાચી છે અર્થાત્ અજીવ અને નોજીવમાં કોઈ ભેદ નથી. છેવટે “નોઅજીવ' માંગ્યો તો ફરી તે દેવે મેના-પોપટ આપ્યા. કેમકે નો– અજીવ નો અર્થ તેણે કર્યો જે અજીવ નથી તે અર્થાત્ જીવ એ રીતે જીવ અને અજીવ સિવાય તેણે કંઈ આપ્યું નહીં. એ રીતે બે જ રાશિ સિદ્ધ થઈ.
– આ રીતે ત્રીજી રાશિ સિદ્ધ થઈ શકી નહીં, પછી આચાર્ય ભગવંતે રોહગુપ્તમુનિને સમજાવ્યું કે, હવે તું તારો કદાગ્રહ છોડી દે. જો કદાચ જગત્માં નો જીવ વસ્તુ જૂદી હોત તો દેવતા કેમ ન આપત ? એ રીતે ૧૪૪ પ્રશ્નો કરીને રાજાની સમક્ષ ગુરુએ તેનો નિગ્રહ કર્યો, તે આ પ્રમાણે – અહીં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એ છ મૂળ પદાર્થોની ભેદ કલ્પના કરી, તેમાં પાંચ મહાભૂત-કાળ, દિશા, આત્મા અને મન એ નવ પ્રકારના દ્રવ્ય કર્યા. રૂપ, રસ, સંખ્યા, બુદ્ધિ, તેષ વગેરે સત્તર ભેદ ગુણના કર્યા. ઉલ્લેપણ, અપેક્ષપણ, આકુંચન, પ્રસારણ અને ગમન એ પાંચ ભેદ ક્રિયાના (કર્મના) કર્યા. ત્રણ પ્રકાર સામાન્યના કર્યા અને એક–એક ભેદ વિશેષનો તથા સમવાયનો ગ્રહણ કર્યો. તે સર્વે મળીને (૯ + ૧૭ + પ + ૩ + ૧ + ૧) છત્રીશ ભેદ થયા. તે સર્વના પ્રકૃતિ, અકાર (અલ્પનિષેધ), નોકાર (સર્વથા નિષેધ) અને ઉભય નિષેધ એમ ચાર ચાર પ્રકાર કર્યા. એટલે (૩૬ ૪ ૪) ૧૪૪ ભેદ થયા.
પછી કૃત્રિકાપણ દેવ પાસે જઈને પૃથ્વી માંગી, ત્યારે તેણે પાષાણ આપ્યો, કારણ કે પ્રકૃત્તિથી–મૂળથી તે શુદ્ધ પૃથ્વી જ છે. અપૃથ્વી માંગી ત્યારે તેણે જળ વગેરે આપ્યું. કેમકે અપૃથ્વી એટલે પૃથ્વી સિવાયનું. નોપૃથ્વી માંગી ત્યારે “નો" શબ્દના થોડો નિષેધ અને સર્વથા નિષેધ એવા બંને અર્થ કરીને પહેલા થોડો નિષેધ ધારીને પાષાણનો ટુકડો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org