________________
નિલવ – રોહગુપ્ત કથા
૨૪૭
કેમકે ગરોળીની પૂંછડી વગેરે જીવના દેશ ભાગને નોજીવ કહીએ તો તેમાં શો દોષ છે ?
સૂત્રમાં ધર્માસ્તિકાય વગેરેના દશ પ્રકાર કહ્યા છે, તેમાં તે ધર્માસ્તિકાયના પ્રદેશને પૃથગૂ વસ્તુપણું કહેલું જ છે, નહીં તો દશ પ્રકારો થાય જ નહીં. તે જ પ્રમાણે ગરોળીની પૂંછડી અને મનુષ્યના છેડાયેલા હાથ વગેરે અવયવો તે છેદાયેલા હોવાથી જીવથી ભિન્ન છે, અને તે અવયવો ફરાયમાન થાય છે, તેથી તે અજીવથી પણ ભિન્ન છે. માટે અવશ્ય તે અવયવો જુદી જ વસ્તુ છે એમ સિદ્ધ થાય છે માટે તે નોજીવ છે. તે સર્વે સાંભળીને ગુર તેને સાથે લઈને રાજસભામાં ગયા. ત્યાં સત્ય માર્ગની પ્રરૂપણા કરીને શિષ્ય કરેલા પ્રશ્નોનું આગમ અનુસાર નિવારણ કર્યું કે, સૂત્રમાં જીવ અને અજીવ એ જ રાશિ કહેલાં છે, વળી ધર્માસ્તિકાય વગેરેના પ્રદેશ તે ધર્માસ્તિકાયાદિકથી કંઈ જુદા નથી. તેવી જ રીતે પૂચ્છ આદિ પણ ગરોળી વગેરે જીવોથી અભિન્ન છે. તે જીવ સંબંધિ હોવાથી જીવ જ છે.
તે વિશે ભગવતીજી સૂત્રમાં કહ્યું છે કે, હે ભગવંત ! કાચબો કે કાચબાની શ્રેણી, ગરોળી કે ગરોળીની શ્રેણી, વૃષભ કે વૃષભની શ્રેણી, મનુષ્ય કે મનુષ્યની શ્રેણી, પાડો કે પાડાની શ્રેણી, તેના બે ખંડ, ત્રણ ખંડ યાવત્ સંખ્યાતા ખંડ છેદીને કરવામાં આવે તો તેના આંતરામાં જીવપ્રદેશ પ્રગટપણે છે ? ભગવંતે કહ્યું, હે ગૌતમ ! પ્રગટપણે છે. હે ભગવંત! કોઈ પુરુષ તે આંતરામાં રહેલ જીવ પ્રદેશને હાથ વડે, પગ વડે, કાષ્ઠ વડે, તીર્ણ શસ્ત્ર વડે છેદતો એવો અથવા અગ્નિકાય વડે બાળતો એવો તેને કાંઈ અલ્પ બાધા કે વિશેષ બાધા ઉપજાવી શકે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી.
ફરી રોહગુપ્તમુનિએ પ્રશ્ન કર્યો કે, ગરોળીના દેહ અને પૂંછડીની વચમાં પણ જીવના પ્રદેશો રહેલા છે, એમ સૂત્રમાં કહ્યું છે, તો તે વચમાં રહેલા જીવના પ્રદેશો કેમ જણાતા નથી ? આચાર્ય ભગવંતે જણાવ્યું કે, જીવપ્રદેશો અરૂપી હોવાથી દેખાતા નથી. જેમ દીવાના કિરણો પૃથ્વી, ભીંત કે કોઈ પાત્ર વગેરે મૂર્તિમાન વસ્તુ ઉપર પડેલા હોય તો તે જોવામાં આવે છે, પણ કેવળ આકાશમાં ફેલાયેલા હોય તો તે ગ્રહી શકાતા નથી. તે જ પ્રમાણે વચમાં રહેલા જીવપ્રદેશો જણાતા નથી. બોલવું, શ્વાસ લેવો, દોડવું, વળગવું, ઝૂરવું વગેરે ક્રિયાઓ દેહને વિશે જણાય છે, પણ વચમાં જણાતી નથી, માટે સૂક્ષ્મ કામણ દેહથી યુક્ત છતાં પણ તે જીવપ્રદેશો દારિક દેહ વિનાના હોવાથી જણાતા નથી.
અથવા હે રોહગુપ્ત ! તું જેને જીવ કહે છે, તેના પ્રદેશો જીવથી ભિન્ન છે કે અભિન્ન છે ? જો તું ભિન્ન છે એમ કહે તો જીવની સાથે ફરીથી તેનો સંગમ કઈ રીતે થાય ? કેમકે ભિન્ન પ્રદેશ બીજે સ્થાને પણ પરમાણુની જેમ મળી જાય છે અને તે પ્રદેશોનો બીજા જીવ સાથે સંગમ થવાથી તે બંને જીવોનો કર્મનો સંકર થયો. તેથી બંને જીવના સુખદુઃખાદિક પણ મળી જવા જોઈએ, પણ તેવું થતું નથી. માટે તે ભિન્ન છે તેવું કહી શકાતું નથી. હવે તે પ્રદેશો “જીવથી અભિન્ન છે' એમ તું કહે તો, તે પ્રદેશના જીવના અંતર્ગત્ છે એમ કહેવું જોઈએ. માટે બે જ રાશિ સિદ્ધ થશે, ત્રણ રાશિ સિદ્ધ નહીં.
ત્યારે રોહગુપ્તમુનિએ કહ્યું, તે પ્રદેશ અભિન્ન છે તો પણ સ્થાનનો ભેદ થયો, માટે તેને નોજીવ કહેવો પડે. જેમ આકાશમાં એક છતાં સ્થાનભેદથી ઘડામાં રહેલું આકાશ ઘટાકાશ' અને ઘરમાં રહેલું આકાશ “ગૃહકાશ” કહેવાય છે. તેમ સ્થાનભેદથી નોજીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org