SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ આગમ કથાનુયોગ-૨ સ્થાયિ ઘર બનાવવું જોઈએ અર્થાત્ મુક્તિપદ-સિદ્ધિગતિમાં જવાનું મારે સુનિશ્ચિત્ છે, તો પછી મારી પ્રવૃત્તિ પણ તે તરફની જ હોય. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્ર એ નમિરાજર્ષિને કહ્યું કે, હે ક્ષત્રિય ! પહેલા તમે લુંટારા, પ્રાણઘાતક ડાકુઓ, ગાંઠ ભેદનારાઓ અને ચોરીથી નગરની રક્ષા કરો, પછી પ્રવજ્યા પંથે જજો. દેવેન્દ્રના આ કથનને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નિમિરાજર્ષિએ કહ્યું આ લોકમાં મનુષ્યો દ્વારા અનેક વખત મિથ્યાદંડનો પ્રયોગ કરાય છે. અપરાધ ન કરનારા નિર્દોષ પકડાય જાય છે અને ખરો અપરાધી છૂટી જાય છે – આ જગમાં અનેક વખત નિરપરાધી જીવોને પણ અજ્ઞાન, અહંકાર આદિ હેતુથી અપરાધીની જેમ ખોટો દંડ અપાય છે અને દેશ ત્યાગ કે બંધનાદિથી સજા થાય છે. તેથી તું જે કહે છે કે, નગરનું ક્ષેમ–કલ્યાણ કરીને જવું તે વ્યર્થ છે કેમકે અજ્ઞાનતાથી - તે પ્રકારના પરિજ્ઞાનના અભાવે નિરપરાધીને પણ દંડ થતો હોય તો તેની રક્ષા કરવાનું જ્ઞાન અશક્ય છે. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિરાજર્ષિને આ પ્રમાણે કહ્યું, હે ક્ષત્રિય ! જે રાજા હજી પણ તમને ગમે છે, પહેલા તેને તમારા વશમાં કરી, પછી પ્રવજ્યા પંથે જજો. દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિ રાજર્ષિએ આ પ્રમાણે કહ્યું જે દુર્જય સંગ્રામમાં દશ લાખ યોદ્ધાઓને જીતે છે, તેની અપેક્ષાએ, જે એક પોતે પોતાને જીતે છે, તેનો વિજય એ જ પરમ વિજય છે. બહારના યુદ્ધો કરવાથી બીજું શું મળવાનું છે ? યુદ્ધ તો સ્વયં પોતાની સાથે જ કરવું જોઈએ. – પોતાના વડે પોતાને જીતીને જ સાચું સુખ પ્રાપ્ત થઈ શકે – પાંચ ઇન્દ્રિય, ક્રોધ, માન, માયા અને લોભ – એ જ વાસ્તવમાં દર્જેય છે અર્થાત્ કષ્ટ કરીને જીતી શકાય તેવા છે. એક સ્વયં પોતાને જીતી લેવાથી, બીજું બધું તો જીતાય જ જાય છે. – કેમકે પોતાની જે દુરાચાર પ્રવૃત્તિઓ છે, તેને જીતવાથી બીજું બધું તો જીતાઈ જ ગયેલ છે. જો લાખો યોદ્ધાઓને યુદ્ધમાં પરાજિત કરવામાં આવે તો પણ તે વિજય એ ખરેખર તો બીજાનો જ પરાજય છે. તેના કરતા આત્માનો અર્થાત્ પોતાનો પરાજય કરવો અતિ દુર્જય–મુશ્કેલ છે. જો આત્માને જીતી લેવાય તો એકાંતે આત્યંતિક એવું મુક્તિરૂપ સુખ પ્રાપ્ત થઈ શકે છે. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ કહ્યું કે, હે ક્ષત્રિય ! તમે વિપુલ યજ્ઞ કરાવીને, શ્રમણ અને બ્રાહ્મણોને ભોજન કરાવીને, દાન દઈને, ભોગ ભોગવીને અને પોતે પણ યજ્ઞ કરીને પછી પ્રવજ્યા પંથે ગમન કરજો. દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું – જે મનુષ્ય પ્રતિમાસ દશ લાખ ગાયોનું દાન કરે છે, તેના કરતા પણ સંયમ જ કલ્યાણકારી છે, પછી ભલે તે મનુષ્ય કોઈને કંઈ પણ દાન ન કરે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy