________________
પ્રત્યેકબુદ્ધ – નમિરાજર્ષિ કથા
૩૨૭
કે, જેમ સંધ્યાકાળે વૃક્ષનો આશરો લેવા આવેલા પક્ષી સવારે તો પાછા ઉડીને અન્યત્ર જાય જ છે તેમ આ જગમાં સર્વે કુટુંબીજનો એકઠા થાય છે, પણ પાછા સર્વે પોતપોતાની જ દિશામાં અર્થાત્ કર્માનુસાર ગતિમાં ચાલ્યા જાય છે.
નમિરાજર્ષિના અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ કહ્યું, જુઓ આ અગ્નિ છે, આ વાયુ છે, તેના વડે તમારું રાજભવન સળગી રહ્યું છે અને તમે તેના તરફ કે તમારા અંતઃપુર તરફ કેમ ધ્યાન નથી આપતા ?
દેવેન્દ્રના આ કથનને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નિમિરાજર્ષિએ આ પ્રમાણે કહ્યું, જેની પાસે પોતાનું કહી શકાય એવું કંઈ હોતું નથી, એવા અમે લોકો સુખેથી રહીએ છીએ. સુખપૂર્વક જીવીએ છીએ.
મિથિલાના બળવાથી મારું કંઈજ સળગી રહ્યું નથી. પુત્ર, પત્ની અને ગૃહવ્યાપાર (કુટુંબ પ્રવૃત્તિ)થી મુક્ત ભિક્ષને માટે કોઈ વસ્તુ પ્રિય નથી હોતી કે કોઈ વસ્તુ અપ્રિય હોતી નથી. હું બધી જ બાજુથી એકલો જ છું, આ પ્રકારે એકાંતદષ્ટા ગૃહત્યાગી મુનિને બધાં પ્રકારે સુખ જ સુખ હોય છે.
આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ કહ્યું, હે ક્ષત્રિય ! પહેલાં તમે નગરની ફરતો કોટ, ગોપુર, અટ્ટાલિકાઓ, દૂર્ગની ખાઈ અને શતદની બનાવો. પછી પ્રવૃજિત થજો. અર્થાત્ તમારા નગરની સારી રીતે રક્ષા થાય તેવી પૂરી કિલ્લેબંધી કરાવી દો, જેથી કોઈ શત્રુ તેને લુંટી કે ભાંગી ન શકે, પછી પ્રવજ્યા લેજો.
- દેવેન્દ્રના આ કથનને સાંભળીને, હેતુ અને કારણથી પ્રેરિત નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું–
શ્રદ્ધારૂપી મારું નગર છે. તેમાં તપ અને સંયમરૂપી અર્ગલા છે. તેને ક્ષમારૂપી પ્રાકાર બનાવીને મન, વચન અને કાયાની ત્રણ ગુણથી સુરક્ષિત કરેલ છે અને અજેય—મજબુત એવો પ્રાકાર-કિલ્લો મેં બનાવેલો છે. પરાક્રમ (પુરુષાર્થ) એ મારું ધનુષ્ય છે. ઇર્યાદિ સમિતિ એ મારા ધનુષ્યની પ્રત્યંચા–દોરી છે. ધૃતિ–ધીરજને મેં તેની મૂઠ બનાવેલ છે. સત્યથી મેં તેને બાંધેલ છે. તારૂપી બાણ મેં ગ્રહણ કરેલ છે. તપના બાણોથી યુક્ત ધનુષ્ય વડે હું કર્મરૂપી કવચને ભેદીને અન્તર્યુદ્ધમાં હું વિજય મેળવીશ. એ પ્રમાણે વિજેતા બનીને મુનિ સંસારથી મુક્ત થઈ જાય છે.
આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિરાજર્ષિને કહ્યું, હે ક્ષત્રિય ! પહેલા તમે પ્રાસાદ, વર્ધમાનગૃહ અને ચંદ્રશાળાઓ બનાવો પછી પ્રવજ્યા લો.
દેવેન્દ્રના આ કથનને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિ રાજર્ષિએ આ પ્રમાણે કહ્યું
આવું થશે કે નહીં થાય એવો જેને સંશય હોય છે, મારું ત્યાં કદાચ ગમન થાય તો મને કામ લાગશે એવો હેતુ હોય તે જ માર્ગમાં ઘર (પ્રાસાદ) બનાવે છે. પણ મને મારા ગમનનો નિશ્ચય હોવાથી હું તે વિષયમાં સંશયિત નથી. સમ્યગ્દર્શનાદિ વડે મુક્તિ પ્રત્યેના હેતુને કારણે મેં નિશ્ચિતપણે મારો માર્ગ જામ્યો છે. હવે જ્યારે હું સંશયિત જ નથી પછી મારે ઘર શા માટે બનાવવું જોઈએ ? તેથી જ્યાં જવાની ઇચ્છા હોય ત્યાંજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org