SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ બલભદ્ર જરાસંધ એકમેકનો વિયોગ સહન કરી શકતા ન હતા. કૃષ્ણ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ ગોપાંગનાઓનાં ચિત્તમાં વસવા લાગ્યા. ગોપાંગનાઓ તેમના પ્રતિ સતત આકર્ષિત રહેવા લાગી. કૃષ્ણ નાચતા ત્યારે રામ હસ્તતાલ દેતા રહેતા. આ પ્રમાણે ક્રીડા કરતા રામ અને કૃષ્ણને અગિયાર વર્ષ વીતી ગયા. ૦ કંસનો વધ : કૃષ્ણ -- ――――― કંસ કોણ ? ભોજવૃષ્ણિએ દીક્ષા લીધી. મથુરામાં ઉગ્રસેન રાજા થયા. તેને ધારિણી નામે પટ્ટરાણી હતી. એક વખતે ઉગ્રસેન રાજાએ માર્ગમાં બેઠેલા કોઈ માસોપવાસી તાપસને તેણે જોયો. તે તાપસને એવો અભિગ્રહ હતો કે, પારણે પહેલા ઘરમાંથી ભિક્ષા મળે તો જ લેવી. ત્યાં ન મળે તો બીજે ઘેરથી ભિક્ષા ન લેવી. ઉગ્રસેન રાજા તેને પારણાનું નિયંત્રણ કરીને પોતાને ઘેર ગયા. તાપસમુનિ તેની પાછળ ગયા. ઘેર જઈને રાજા તે વાત ભૂલીયા. તાપસને ભિક્ષા ન મળવાથી પારણું કર્યા સિવાય જ પોતાને સ્થાને પાછા ફર્યા. ફરી તેણે માસોપવાસ શરૂ કર્યા. અન્યદા રાજા ફરી તે સ્થાન તરફ આવ્યા. તાપસને જોતાં જ પૂર્વે નિમંત્રણ કરેલ તે વાત યાદ આવી. રાજાએ ત્યાં જઈ ક્ષમાયાચના કરી. ફરી પાછું પારણા માટે પધારવા નિમંત્રણ આપ્યું. બીજી વખત પણ રાજા ભૂલી ગયા. તાપસ પારણું કર્યા વિના જ પાછા ફર્યા. ફરી પાછું રાજાએ ત્યાં જઈ ક્ષમા માંગી. ફરી નિમંત્રણ આપ્યું. ફરી ભૂલી ગયા. તાપસને ત્રીજી વખતે સખત ક્રોધ ચઢયો. તેણે નિયાણું કર્યું કે, આ તપના પ્રભાવ વડે હું ભવાંતરમાં આ રાજાનો વધ કરનાર થઉં. પછી અનશન કરી તે તાપસ મૃત્યુ પામ્યો. તે તાપસ મરીને ઉગ્રસેનની પત્ની ધારિણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. તે ગર્ભના પ્રભાવે ધારિણીને પતિનું માંસ ખાવાની ઇચ્છા થઈ. અતિ કષ્ટ કરીને તેણીએ તે વાત ઉગ્રસેનને કરી. મંત્રીઓએ કપટપૂર્વક ધારિણીનો દોહદ-ઇચ્છાની પૂર્તિ કરી, જ્યારે તેને તે બાળક જન્મ્યો ત્યારે માતાને અનિષ્ટ લાગતા તે બાળકને કાંસાની પેટીમાં મૂકી દીધો. પછી પેટીમાં રાજાની તથા પોતાના નામની અંકિત બે મુદ્રા મૂકી દીધી. તથા એક પટ્ટક લખીને મૂક્યો. પેટીને યમુના નદીમાં વહાવી દીધી અને રાજાને કહ્યું કે, તે પુત્ર તો જન્મતાં જ મૃત્યુ પામ્યો. તે પેટી તણાતી–તણાતી શૌર્યપુરના દ્વારે પહોંચી. સુભદ્ર નામે કોઈ રસવણિકના હાથમાં તે પેટી આવી. તેણે બાળકને લઈને પોતાની પત્ની ઇંદુને સોંપ્યો. તે દંપતીએ તેનું કંસ નામ રાખ્યું. કાળક્રમે તે બાળક મોટો થવા લાગ્યો. તે કલહપ્રિય હતો. બધાં બાળકોને મારતો– કૂટતો રહેતો. જ્યારે તે દશ વર્ષનો થયો ત્યારે તેઓએ કંસને વસુદેવની સેવા કરવા સોંપ્યો. વસુદેવ પાસે રહી તે બધી કળા શીખ્યો. એમ કરતા તે યૌવન વયને પ્રાપ્ત થયો. તેણે સિંહરથ રાજાનું સૈન્ય ભાંગી નાંખીને સિંહરથને પકડી લીધો. તે પરાક્રમને કારણે જરાસંધ પ્રતિશત્રુએ પોતાની પુત્રી જીવયશા કંસને પરણાવી. તે વખતે કંસને પણ પોતે ઉગ્રસેનનો પુત્ર છે તેની જાણ થતાં, તેણે પિતા પરત્વેના રોષથી મથુરા નગરીની માંગણી કરી. જરાસંઘે તે નગરી પણ આપી. પછી કંસ જરાસંધના સૈન્યને લઈને મથુરા આવ્યો. પોતાના પિતા ઉગ્રસેનને બાંધીને કેદમાં નાંખ્યા. કંસ મથુરાનો રાજા થયો. Jain Education International ૧૫૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy