SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રવર્તી - બહ્મદત્ત કથા ૧૨૯ રાજાએ ઉત્સવપૂર્વક પોતાની કન્યા તેને પરણાવી. બ્રહ્મદત્ત ત્યાં સુખપૂર્વક રહેવા લાગ્યો કોઈ વખતે એક વૃદ્ધ સ્ત્રીએ કુમાર પાસે આવીને કહ્યું કે, હે વત્સ ! આ નગરમાં કુબેર ભંડારી જેવો વૈશ્રમણ નામે એક શ્રેષ્ઠી રહે છે. તેને સમુદ્રની લક્ષ્મી જેવી શ્રીમતી નામે એક પુત્રી છે. તમે જ્યારથી તે કન્યાને ઉન્મત્ત હાથી પાસેથી છોડાવી છે ત્યારથી તે કન્યા તમારા માટે તડપે છે. ભોજન કરતી નથી, રમતી નથી, સૂતી નથી. માટે તેનું પાણિગ્રહણ કરો. તેની સાથે કુમાર પરણ્યો. વરધનું પણ સુબુદ્ધિ મંત્રીની કન્યા નંદાને પરણ્યો. ત્યાં રહેતા તે બંને વીર શક્તિથી પૃથ્વી પર પ્રખ્યાત થયા. કેટલાંક દિવસ પછી તેઓ વારાણસી નગરીમાં આવ્યા. બ્રહ્મદત્તને આવેલો જાણીને ત્યાંનો રાજા કટક ઉત્સવપૂર્વક તેને પોતાને ઘેર લાવ્યો. ત્યાં પોતાની કનકવતી કન્યા તથા ચતુરંગી સેના બ્રહ્મદત્તને આપી. તેને આવેલો જાણી ચંપાનગરીનો રાજા કરેણુદત્ત, ધનુમંત્રી તથા બીજા અનેક રાજાઓ ત્યાં આવ્યા. પછી બ્રહ્મદત્તે વરધનુને સેનાપતિ બનાવ્યો. પછી તેમણે કાંપિલ્ય પ્રતિ પ્રયાણ કર્યું. તે પૂર્વે તેને ચિત્રની પુત્રી વિદ્યુત્પાલા અને વિદ્યુત્પતી, ચિત્રસેનની પુત્રી ભદ્રા, પંથકની પુત્રી નાગયશ, કીર્તિસેનની પુત્રી કીર્તિમતી, હરીલની પુત્રી નાગદત્તા, યશોમતી, ચારુદત્તની પુત્રી વચ્છી, વૃષભની પુત્રી શીલા, મલયવતી, વનરાજી, સોમા, કરેણુદતા, કરેણુપદિકા, કુંજરસેના, કણેરુસેના, ઋષિવૃદ્ધિ, સ્ત્રીરત્ન કુરુમતિ આદિ અનેક કન્યાઓ સાથે લગ્ન થયા. ૦ બ્રહ્મદત્તનો ચક્રવર્તીરૂપે અભિષેક થવો : - બ્રહ્મદત્તકુમારે દીર્ઘરાજાને મૃત્યુ માર્ગ મોકલવા પ્રયાણ કર્યું. તે વખતે દીર્ઘરાજાના શંખ નામના દૂતે આવીને કટક રાજાને કહ્યું કે, દીર્ઘરાજા સાથે તમારે બાલ્ય મૈત્રી છે. તે છોડી દેવી યુક્ત નથી. તે સાંભળીને કટક રાજા બોલ્યો, હે દૂત ! પૂર્વે બ્રહ્મરાજા સહિત અમે પાંચે સહોદર જેવા મિત્ર હતા. બ્રહ્મરાજા સ્વર્ગે ગયા પછી તેનો પુત્ર બાળક હોવાથી, અમે તેના રાજ્યનું રક્ષણ કરવા દીર્ઘરાજાને રાજ્ય સોંપેલું. તેણે તે રાજ્ય પચાવી પાડ્યું. તે દીર્ઘને ધિક્કાર થાઓ. હે દૂત ! તારા દીર્ઘરાજાને જઈને કહે કે, બ્રહ્મદત્ત સૈન્ય લઈને આવે છે. માટે યુદ્ધ કર અથવા નાસી જા. એ પ્રમાણે કહીને દૂતને વિદાય કર્યો. બ્રહાદત્તકુમાર પણ અવિચ્છિન્ન પ્રયાણ કરતો કાંપિલ્ય નગરે પહોંચ્યો. સમુદ્ર જેમ હીપને ઘેરી લે તેમ તેના સૈન્ય આખી નગરીને ઘેરી લીધી. ચૂલનીને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી તેણે પૂર્ણા નામના પ્રવર્તિની પાસે દીક્ષા લીધી અને કાળક્રમે મોક્ષે ગયા. દીર્ઘરાજા સર્વ સૈન્ય સહિત બહાર નીકળ્યો. પરસ્પર તેનું અને બ્રહ્મદત્તના સૈન્યનું યુદ્ધ થયું. બ્રહ્મદત્તના સુભટોએ દીર્ઘરાજાના અગ્ર સુભટોને મારી નાખ્યા. તે જોઈને દીર્ઘ વરાહની જેમ શત્રુઓ ઉપર દોડ્રયો અને પ્રહારો કરવા લાગ્યો. તેણે બ્રહ્મદત્તનું સૈન્ય હત– પ્રહત કરી નાંખ્યું. તે સમયે બ્રહ્મદત્તના હાથમાં ચક્રરત્ન પ્રગટ થયું. તેણે ચક્ર વડે દીર્ઘરાજાનું મસ્તક પૃથ્વી પર પાડી દીધું. તે વખતે દેવોએ બ્રહ્મદત્તનો જયજયકાર કરતા કહ્યું કે, આ બારમો ચક્રવર્તી ઉત્પન્ન થયો છે. તેના મસ્તક પર પુષ્પવૃષ્ટિ કરી, પિતાની જેમ પુરજનોએ જોયેલ, બંદીજનો જેમ જયજય કરતા, ઉત્સવપૂર્વક સ્વર્ગમાં પ્રવેશ કરતો હોય તેમ કાંપિલ્યપુરમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી પોતાની પ્રથમ પરણેલી સર્વ સ્ત્રીઓને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy