________________
ગણધર – મેતાર્ય કથા
૨૦૯
૧૦. ગણધર મેતાર્ય કથા :–૦- પરીચય :
ભગવંતના દશમાં ગણધર મેતાર્ય થયા. તેમનો જન્મ તંગીયા નગરીમાં થયો. તેના માતા-પિતાનું નામ વરુણદેવા અને દત્ત હતું. અશ્વિની નક્ષત્રવાળા આ ગણધરનું ગોત્ર કૌડિન્ય હતું. તેઓ બ્રાહ્મણ કુળમાં જન્મેલા. સાત હાથની ઊંચાઈ હતી. ૩૦૦ શિષ્યોના અધ્યાપક હતા. ઉન્નત કુળ અને વિશાળ વંશવાળા હતા. તેઓ મધ્યમ પાપાનગરીમાં સોમીલ નામના ધનાઢ્ય બ્રાહ્મણ દ્વારા આયોજિત યજ્ઞમાં પોતાના શિષ્ય પરિવાર સહિત પધારેલા. મેતાર્યના મનમાં એવો સંશય હતો કે, “પરલોક છે કે નહીં ?” પોતાના સર્વજ્ઞપણાના અભિમાનની ક્ષતિના ભયથી તે બીજા વિદ્વાન્ બ્રાહ્મણને પૂછીને પોતાના સંશયનું નિવારણ કરતા ન હતા. ૦ મેતાર્યનું આગમન અને ભગવંત દ્વારા સંશય નિવારણ :
- ઇન્દ્રભૂતિ આદિ નવને દીક્ષિત થયાનું જાણીને મેતાર્ય નામક દશમા પંડિત વિચાર્યું કે જેમના ઇન્દ્રભૂતિ વગેરે નવે પંડિતો શિષ્ય થયા તે મારે પણ પૂજ્ય જ છે. માટે હું પણ તેમની પાસે જઉં અને મારો સંશય દૂર કરું. આ પ્રમાણે સંકલ્પ કરી મેતાર્ય પોતાના ૩૦૦ શિષ્યો સાથે નીકળ્યા. જિનેશ્વર ભગવંત મહાવીર પાસે આવ્યા. ત્યાં ભગવંતને વંદના કરી, તેમની પર્યાપાસના કરતા ઊભા રહ્યા. ત્યારે જન્મ, જરા, મરણથી વિપ્રમુક્ત થયેલા સર્વજ્ઞ–સર્વદર્શી જિનેશ્વર ભગવંત મહાવીરે તેને નામ અને ગોત્રપૂર્વક બોલાવતા કહ્યું કે, હે મેતાર્ય ! તમે ભલે આવ્યા. તેમને સંશય છે કે, “પરલોક છે કે નહીં ?" તારા ચિત્તમાં આવો સંશય પરસ્પર વિરુદ્ધ દેખાતા વેદવાક્યોથી ઉત્પન્ન થયો છે. તે વેદપદો આ પ્રમાણે છે – “વિજ્ઞાનધન પર્વતેખ્યો પૂM: સમુWાય તાજેTSનું विनश्यति, न प्रेत्यसंज्ञाऽस्ति ।
હે મેતાર્ય ! તું વેદપદોના અર્થને બરાબર જાણતો નથી, તેથી તને આવો સંશય થયો છે. તેથી તારા સંશયના નિવારણાર્થે હું તને એ વેદપદોનો યોગ્ય અર્થ જણાવું છું. તું ઉક્ત વેદપદોથી એવું સમજે છે કે, વિજ્ઞાન એટલે વિજ્ઞાનનો સમુદાય જ આ પૃથ્વી વગેરે પાંચ ભૂતોમાંથી ઉત્પન્ન થઈને, પાછો તે પાંચ ભૂતોમાં જ લય પામે છે. તેથી પરલોકની સંજ્ઞા નથી અર્થાત્ પાંચ ભૂતોમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે અને જ્યારે પાંચ ભૂતો વિનાશ પામે છે ત્યારે તે ચૈતન્ય પણ જળમાં પરપોટાની જેમ તે ભૂતોમાં લય પામે છે. આવી રીતે ચૈતન્ય એ ભૂતોનો ધર્મ છે અને ભૂતો નષ્ટ થતાં તે ચૈતન્ય પણ વિનાશ પામે છે તેથી બીજી ગતિમાં જવા રૂપ પરલોક નથી.
પરંતુ બીજા વેદપદોની પણ તને શ્રુતિ છે. સ્વામીશિહોત્ર કુહતુ અર્થાત્ સ્વર્ગની ઇચ્છાવાળો અગ્નિહોત્ર હોમ કરે તથા નારો વૈ પ નીયતે : શુદ્રાન્નમશ્રાતિ – જે બ્રાહ્મણો શુદ્રનું અન્ન ખાય છે તે નારકી થાય છે ઇત્યાદિ વેદપદોથી પરલોકની વિદ્યમાનતા જણાય છે કેમકે જો પરલોક ન હોય તો કોઈ સ્વર્ગ કે નરકમાં જાય કઈ રીતે? આવી રીતે પરસ્પર વિરુદ્ધ દેખાતા વેદવાક્યોથી તું સંશયમાં પડ્યો છે કે, “પરલોક છે કે નથી ?" પરંતુ હે મેતાર્ય ! તારો આ સંશય અયુક્ત છે. કેમકે –
International
For Private & Personal Use Only
www.jainelibrary.org