SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ કૃષ્ણ – બલભદ્ર ૧૭૩ (તિર્થોદ્દગાલિતમાં નામ ભેદ – બીજા વાસુદેવ નંદમિત્રને બદલે નંદિમિત્ર જણાવેલા છે. ત્રીજા દીર્ઘબાહુને બદલે સુંદરબાહુ કહ્યા છે. એ જ રીતે બળદેવમાં પણ પહેલાનું નામ જયંતને બદલે જયંતિ છે, બીજાનું વિજયને બદલે અજિત છે. અચલ બલદેવ–વિભિષણ વાસુદેવ : અવર વિદેહમાં અલિલાવતી નામક વિજયમાં વીતશોકા નામની નગરી હતી. ત્યાં જિતશત્રુ નામે રાજા હતો, તેને મનોહરી અને કેકયી નામે બે રાણીઓ હતી. તેમને અનુક્રમે અચલ અને વિભિષણ પુત્ર હતા. મનોહરી અચલ બલદેવની માતા હતા. કેકયી વિભિષણ, વાસુદેવની માતા હતા. તે બંને અર્ધ વિજયના સ્વામી હતા. મનોહરી માતાએ જિતશત્રના મૃત્યુ પછી કોઈ વખતે અચલને કહ્યું કે, મેં ભર્તા (પતિ) અને પુત્ર બંનેની લક્ષ્મી ભોગવી. હવે હું પરલોકના હિતને માટે દીક્ષા લઈશ. અચલ સ્નેહને કારણે તેને રજા આપતો નથી. આગ્રહ કર્યો ત્યારે કહ્યું કે, હે માતા ! જો સ્વર્ગમાં જાઓ તો મને પ્રતિબોધ કરજો. તેણી અગિયાર અંગ ભણ્યા, તીવ્ર વૈરાગ્યથી લાંતક કલ્પમાં ઇન્દ્ર થયા. વિભિષણ વાસુદેવ મૃત્યુ પામ્યા ત્યારે નેહવશ અચલ તે વાતને સ્વીકારતો ન હતો. તે સમયે પુત્રસ્નેહથી લાંતકેન્દ્ર થયેલ માતાનો જીવ નીચે આવીને અચલ બળદેવને પ્રતિબોધ કરે છે. અચલ પણ કામભોગથી નિવર્તીને દીક્ષા લે છે. ત્યાર પછી લલિતાંગ દેવ થાય છે. (ભગવંત ઋષભ અને શ્રેયાંસના પૂર્વભવ અંતર્ગત્ કથા પ્રસંગ છે.) આગમ સંદર્ભ :આવરૃ.૧–પૃ. ૧૭૬, ૧૭૭; આવ.મ.વૃ.પૂ. ૨૨૫; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy