________________
૩૨૦
ઉત્ત.મૂ. ૬૦૫; ઉત્તચૂ.પૃ. ૧૭૮;
Jain Education International
આગમ કથાનુયોગ-૨
ઉત્ત.મૂ. ૬૦૪ ની ; નંદી. ૮૭ની વૃ;
ઉત્ત.નિ. ૨૬૪ થી ૨૬૬, ૨૭૦, ૨૭૧ + ; ઉત્તઅધ્ય.—ભાવ.વૃ;
X---- *
૨. પ્રત્યેક બુદ્ધ – દ્વિમુખ કથા ઃ
-
(ચાર પ્રત્યેક બુદ્ધો એક જ સાથે સ્વર્ગમાંથી વ્યવ્યા, સમકાળે જ પ્રવ્રુજિત થયા, કેવળજ્ઞાન ઉત્પત્તિ પણ સમકાળે થઈ, મોક્ષે પણ સમકાળે જ ગયા – કલિંગમાં કરકુંડૂ, પાંચાલમાં દુર્મુખ, વિદેહમાં નમિ રાજા અને ગાંધારમાં નગતિ – તેમાંના બીજા પ્રત્યેક બુદ્ધ કે જેમને ઇન્દ્રધ્વજ જોવાથી બોધ થયો તેમનું કથાનક−)
પાંચાલ દેશના કાંપિલ્યપુર નગરમાં દુર્મુખ નામનો રાજા હતો. જેનું મૂળ નામ તો જવ (યવ) રાજા હતું. તે હરિવંશના હતો. તેને ગુણમાળા નામે રાણી હતી. એક વખત સભામાં બેઠેલા રાજાએ દેશાંતરથી આવેલા દૂતને પૂછ્યું કે, હે દૂત ! જે બીજા રાજ્યમાં કંઈ વિશેષ હોય તેવું મારા રાજ્યમાં શું નથી ? ત્યારે દૂતે તેમને જણાવ્યું કે, આપના રાજ્યમાં એક ચિત્રસભા નથી. તે સાંભળીને રાજાએ ચિત્રકારોને તથા સુતારોને બોલાવીને કહ્યું કે, એક ચિત્રસભા સત્વરે તૈયાર કરો. તેઓએ રાજાની આજ્ઞાથી શુભ સમયે ખાતમુહૂર્ત કરીને પાયો ખોદવાનો આરંભ કર્યો. ખોદતાં ખોદતાં પાંચમે દિવસે પૃથ્વીના તળમાંથી કાંતિ વડે અત્યંત દેદીપ્યમાન એવો એક મુગટ પ્રગટ થયો. તે રત્નમય મુગટ જોઈને હર્ષ પામેલા રાજાએ સર્વ કારીગરોને વસ્ત્રાદિકની પહેરામણી કરી ખુશ કર્યા.
અનુક્રમે કારીગરોએ સુશોભિત પુતળીઓ વગેરેથી શોભાયમાન એવી દેવસભા સટ્ટશ ચિત્રસભા તૈયાર કરી. પછી કોઈ શુભ દિવસે રાજા પેલો દિવ્ય મુગટ ધારણ કરીને તે નવી સભામાં બેઠો. તે વખતે નવરત્નવાળા હારના પ્રભાવથી જેમ રાવણના દશ મસ્તક દેખાતા હતા, તેમ તે મુગટના પ્રભાવથી રાજાના મુખ બે દેખાવા લાગ્યા, તેથી લોકમાં તે રાજાનું દ્વિમુખ એવું નામ પ્રસિદ્ધ થયું. તે રાજાને સાત પુત્રો થયા, પણ એકે પુત્રી થઈ નહીં. તેથી તેણે કોઈ યક્ષની આરાધના કરીને તેણે એક પુત્રી માંગી, તે યક્ષની આરાધનાના પ્રભાવે તેને મદનમંજરી નામની ઍક ગુણવાન અને રૂપવાન પુત્રી થઈ.
એક વખત ઉજ્જયિનીના રાજાએ દૂતના મુખેથી સાંભળ્યું કે, કાંપિયપુરના રાજાને મુગટના પ્રભાવથી બે મુખ દેખાય છે. તે સાંભળીને લોભથી ચંડપ્રદ્યોત રાજાએ તે મુગટને માટે એક ચતુર દૂતને તેની પાસે મોકલ્યો. તે દૂત દ્વિમુખ રાજા પાસે આવ્યો. આવીને તેણે રાજાને નમસ્કાર કર્યા. પછી કહ્યું કે, તમારા મસ્તક પર રહેલા મુગટરત્નને અમારા રાજા ચંઽપ્રદ્યોત ઇચ્છે છે આપ સત્વરે તે મુગટ આપો, નહીં તો યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાઓ. તે સાંભળીને દ્વિમુખ રાજાએ તે દૂતને આ પ્રમાણે કહ્યું
જો તારો રાજા ચંડપ્રદ્યોત મને ચાર વસ્તુઓ આપે તો હું આ મુગટ તેમને આપવા તૈયાર છું. તે ચાર વસ્તુઓ આ પ્રમાણે છે :– ૧. અનલગિરિ નામનો ગંધહસ્તી, ૨. અગ્નિભીરુ રથ, ૩. શિવા નામની પદ્મિની રાણી અને ૪. લોહજંઘ નામનો દૂત. આ સર્વ વાત દૂતે જઈને રાજા ચંડપ્રદ્યોતને કરી. તે સાંભળીને રાજા ચંડપ્રદ્યોત ક્રોધથી અભિભૂત, કોપાયમાન, રોષાયમાન્ ચંડિકાવત્ રૂદ્ર થઈ ગયો. તેણે તુરંત જ યુદ્ધના પ્રયાણ માટે ભેરી વગડાવી અને કોપાગ્નિથી પ્રજ્વલિત પ્રદ્યોત રાજા સૈન્યસહિત પાંચાલ દેશ તરફ ચાલ્યો.
For Private & Personal Use Only
www.jainelibrary.org