SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૨ ગજપુરમાં) થયો. રાજા વિશ્વસેન તેમના પિતા હતા અને માતાનું નામ “અચિરા’ હતું. કાશ્યપ ગોત્રીય આ ચક્રવર્તી (ભગવંત)નો વર્ણ નિર્મળ સુવર્ણ સદ્દેશ હતો. તેમની ઊંચાઈ ચાલીશ ધનુની હતી. તેઓ છ ખંડરૂપ ભરતક્ષેત્રના, ચૌદરત્નના અને નવનિધિના સ્વામી હતા. તેમના મુખ્ય પત્ની (સ્ત્રીરત્ન)નું નામ વિજયા હતું. તેમનું પૂર્ણ આયુ એક લાખ વર્ષનું હતું. તેઓ ચક્રવર્તીપણાની લક્ષ્મીનો ત્યાગ કરી પ્રવ્રજ્યા ગ્રહણ કરી, તીર્થંકર પદ પામ્યા. કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, તીર્થ સ્થાપના કરી, અનેક જીવોના તારક બનીને નિર્વાણ પામ્યા. ૧૦૨ -૦- કથાનક ચક્રવર્તી શાંતિના કથાનક માટે વિભાગ−૧-અધ્યયન—૧માં સોળમાં ભગવંત શાંતિનાથનું કથાનક જોવું. મહાન્ ઋદ્ધિ સંપન્ન અને લોકમાં શાંતિ કરનારા શાંતિનાથ ચક્રવર્તીએ ભારતવર્ષ ક્ષેત્રનો ત્યાગ કરી, તીર્થંકર પદવી પામી અનુત્તર ગતિ પ્રાપ્ત કરી. ૦ આગમ સંદર્ભ :-- —ભ૰શાંતિનાથના કથાનકને અંતે આપેલ આગમ સંદર્ભો પ્રમાણે જાણવું. (૬) કુંથુ ચક્રવર્તી કથાનક ઃ-૦- સામાન્ય પરીચય : × X જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં કુંથુ નામે છટ્ઠા ચક્રવર્તી થયા. તેઓ આ ચોવીસીના સત્તરમાં તીર્થંકર પણ હતા. તેમનો જન્મ હસ્તિનાપુર (અપરનામ—ગજપુર)માં થયો. તેમના પિતાનું નામ રાજા “શૂર’” હતું અને માતાનું નામ “સિરિ’(શ્રી) હતું. કાશ્યપ ગોત્રીય આ ચક્રવર્તી (ભગવંત)નો વર્ણ નિર્મળ સુવર્ણ સદેશ હતો. તેમની ઊંચાઈ પાત્રીશ ધનુની હતી. તેઓ છ ખંડરૂપ ભરતક્ષેત્રના, ચૌદ રત્નના અને નવનિધિના સ્વામી હતા. તેમના મુખ્યપત્ની (સ્રીરત્ન)નું નામ કૃષ્ણશ્રી હતું. તેમનું પૂર્ણ આયુ ૯૫,૦૦૦ વર્ષનું હતું. તેઓ ચક્રવર્તીપણાની લક્ષ્મીનો ત્યાગ કરી પ્રવ્રજ્યા ગ્રહણ કરી તીર્થંકર પદ પામ્યા. કેવળજ્ઞાન પામી, તીર્થ સ્થાપના કરી, અનેક જીવોને તારીને નિર્વાણ પામ્યા. Jain Education International —૦ કથાનક : ચક્રવર્તી કુંથુના કથાનક માટે **વિભાગ-૧- અઘ્યયન-૧-માં સત્તરમાં ભગવંત કુંથુનાથનું કથાનક જોવું. ઇક્ષ્વાકુ કુળના રાજાઓમાં શ્રેષ્ઠ નરેશ્વર, વિખ્યાતકીર્તિ, ધૃતિમાન કુંથુનાથે અનુત્તર ગતિ પ્રાપ્ત કરી. ૦ આગમ સંદર્ભ : – ભ૰કુંથુનાથના કથાનકને અંતે આપેલ આગમ સંદર્ભ પ્રમાણે જાણવું. -X-X For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy