________________
૧૦૪
આગમ કથાનુયોગ-૨
આપણે સાધુની તથા તાપસની પરીક્ષા કરીએ. ત્યારે શ્રાવક એવા વૈશ્વાનર દેવે કહ્યું કે, જે અમારામાં તદ્દન નવો હોય અને તમારામાં બધાંમાં મુખ્ય હોય તેની પરીક્ષા કરીએ. તે વખતે નવો–નવો ધર્મ પામેલો પધરથ રાજા મિથિલા નગરીથી નીકળી વાસુપૂજ્ય પ્રભુની પાસે દીક્ષા લેવા ચંપાપુરી જતો હતો. વૈશ્વાનર અને ધવંતરી દેવે તેને જોયો. તેની પરીક્ષા કરવા અન્ન-પાન લાવીને મૂક્યા. પણ તે અગ્રાહ્ય જાણવાથી તેણે અંગીકાર ન કર્યા. માર્ગમાં કાંટા-કંકર બિચાવ્યા, તેનાથી તે રાજાનો કોમળ ચરણ પીડાવા લાગ્યા, તો પણ ક્ષોભિત ન થયો. પછી અનુકૂળ ઉપસગ કર્યા તો પણ રાજા ચલિત ન થયો. પણ ધર્મમાં અત્યંત સ્થિર થઈ ગયો. કોઈ કહે છે તે શ્રાવકે ભક્ત પ્રત્યાખ્યાન કરેલ. બંને દેવો સિદ્ધપુત્રરૂપે ગયા. શ્રાવકને કહ્યું કે, આ વ્રત ગ્રહણ ન કરો. હજી તમારું આયુષ્ય ઘણું છે. યુવાન છો. ભોગ ભોગવો. ત્યારે શ્રાવકે કહ્યું કે, આયુષ્ય વધુ હશે તો ધર્મ પણ વધુ કરી શકીશ. પણ તેને તે દેવો લોભિત કરી ન શક્યા.
ત્યાર પછી તેઓ જમદગ્નિ પાસે ગયા. તેઓએ દેવમાયાથી પક્ષીનું (ચકલાચકલીનું) રૂ૫ વિકુવ્યું. જમદગ્રિની વિશાળ દાઢીમાં તેમણે માળો બનાવ્યો. પછી ચકલાએ ચકલીને કહ્યું કે, હું હિમાલય પર જઈશ. ચકલી બોલી કે, તું ત્યાંથી પાછો નહીં આવે માટે તેને જવા દઈશ નહીં. ચકલાએ કહ્યું કે, હું પાછો ન આવું તો મને ગોહત્યાનું પાપ લાગે તેવા સોગંદ લઉં . ચકલી તેની વાતમાં સંમત ન થઈ. તેણે કહ્યું કે, હે પ્રિયે ! તું એવા સોગંદ લે કે, આ ઋષિના દુષ્કૃત–પાપ મને લાગે તો તને જવા દઉં. પસીના આવા વચન સાંભળી જમદગ્રિ રોષાયમાન થયો. તે બંને પક્ષીને પકડી લીધા અને કહ્યું કે, આવા દુષ્કર તપ તપતા એવા મારામાં કયું દુષ્ક–પાપ હોય. પક્ષીઓ બોલ્યા કે, તમે સંતાનરહિત છો. તમારું તપ વ્યર્થ છે કેમકે, અપત્રની ગતિ થતી નથી. જમદગ્નિ તે વાતથી શોભિત થઈ વિચારવા લાગ્યા કે, સ્ત્રી અને પુત્રરહિત મારું સઘળું તપ ફોગટ છે. તે ધવંતરી દેવ પરીક્ષામાં તાપસને નિષ્ફળ થયા જાણી શ્રાવક થઈ ગયો.
જમદગ્નિ તાપસ પણ આતાપના–તપ છોડીને મૃગકોષ્ઠક નગરે ગયો. ત્યાં જિતશત્રુ રાજા હતો, તેણે તાપસને આવેલા જાણી ઊભા થઈ અંજલિ જોડી પૂછયું, હે મહર્ષિ ! આપની શી સેવા કરું? જમદગ્નિએ કહ્યું. મને તારી એક કન્યા આપ (પરણાવ). રાજાએ કહ્યું, મારે સો પુત્રીઓ છે તેમાંથી જે જોઈએ તે હું તમને આપું. જમદગ્નિએ અંતઃપુરમાં જઈ રાજકન્યાઓને કહ્યું, તમારામાંથી કોઈ એક મારી ધર્મપત્ની થાઓ. તે સાંભળી તે કન્યાઓ બોલી, અરે જટાધારી, ભીખ માંગી જીવનાર, તને આવું બોલતા શરમ નથી આવતી. જમદગ્નિએ ક્રોધથી બધી કન્યાઓને કુબડી બનાવી દીધી. તે વખતે એક કન્યા રેણુના પુંજ સાથે આંગણમાં રમતી હતી. તેને જોઈ જમદગ્નિએ તેને રેણુકા નામથી બોલાવી, એક ફળ બતાવી કહ્યું, “આ જોઈએ છે ?” ત્યારે કન્યાએ હાથ લંબાવ્યો. જમદગ્નિએ કહ્યું, “આ મને ઇચ્છે છે" એમ કહીને તે કન્યાને ગ્રહણ કરી.
ત્યાર પછી બીજી નવ્વાણું કન્યાઓને પોતાની શાળી સમજીને પુનઃ રૂપવતી કરી દીધી. પછી રેણુકાને લઈને પોતાના આશ્રમે લાવ્યો. રાજાએ પણ તે તાપસને ગાય વગેરેની ભેટ આપી. તે કન્યાને જમદગ્નિએ ઉછેરી, મોટી કરી, તે કન્યા જ્યારે યૌવનવતી થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org