________________
ગણધર – ગૌતમ કથા
૧૭૯
- - - -
- - -
-
- -
નાના
જણાવો જોઈએ. જો કે પરમાણુઓ પણ જોવા કે સ્પર્શ આદિ અનુભવથી જણાતા ન હોવાથી અપ્રત્યક્ષ છે, છતાં ઘટ વગેરે કાર્યરૂપે પરિણમેલા તેઓ પ્રત્યક્ષ જણાય છે. પણ આત્મા તો તેવા કાર્યરૂપે પરિણમેલો પણ પ્રત્યક્ષ જણાતો નથી. અનુમાન પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, કેમકે અનુમાન પ્રત્યક્ષપૂર્વક પ્રવર્તે છે. જેણે પહેલાં ધૂમાડા અને અગ્રિનો સંબંધ ચૂલા આદિ સ્થાને જોયેલ હોય, તે માણસ પર્વત પર ધૂમાડો નીકળતો જોઈ, પહેલાં પ્રત્યક્ષથી જાણેલા ધૂમાડા અને અગ્રિનો સંબંધને યાદ કરે છે કે,
જ્યાં જ્યાં ધૂમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ જોવા મળેલ હતો, આ પર્વત પર ધૂમાડો દેખાય છે માટે ત્યાં અગ્નિ હોવો જોઈએ.
આવી રીતે પ્રત્યક્ષપૂર્વક અનુમાન થાય છે, આત્માની સાથે તો કોઈનો પણ સંબંધ પ્રત્યક્ષ જણાતો નથી. તો પછી આત્માની સિદ્ધિ અનુમાનથી કઈ રીતે થઈ શકે ? આગમ પ્રમાણથી પણ આત્માનો નિશ્ચય થઈ શકતો નથી, કેમકે કોઈ શાસ્ત્ર જણાવે છે કે, આત્મા છે, અને કોઈ જણાવે છે કે, આત્મા નથી. આ રીતે પરસ્પર વિરુદ્ધ જણાવતા શાસ્ત્રોમાં સાચું કુયું અને જૂઠું કર્યું? ઉપમા પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, કેમકે ઉપમા પ્રમાણ તો નિકટના પદાર્થમાં સાદૃશ્ય બુદ્ધિ ઉત્પન્ન કરે છે. જેમ જંગલમાં ગયેલો માણસ ત્યાં રોઝ નામના જંગલી પશુને જોઈને તે માણસને સાદૃશ્ય બુદ્ધિ થાય છે કે, જેવી ગાય હોય તેવો આ પશુ છે પણ જગમાં આત્મા જેવો તો કોઈ પદાર્થ નથી, તો ઉપમા પ્રમાણથી પણ આત્મા કોના જેવો માનવો ? આવી રીતે પ્રત્યક્ષ કે અનુમાન કે આગમ કે ઉપમા એવા કોઈપણ પ્રમાણથી આત્મા(જીવ)ની સિદ્ધિ થઈ શકતી નથી. તેથી આત્મા(જીવ) નથી એવું માનવું જોઈએ.
– વળી ઘી, દૂધ વગેરે ઉત્તમ પદાર્થો વાપરી શરીર પુષ્ટ બન્યું હોય, તો તેમાંથી સતેજ જ્ઞાન ઉત્પન્ન થાય છે એમ અનુભવીએ છીએ. માટે એમ માનવું જોઈએ કે, શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોમાંથી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાન એ ભૂતોનો ધર્મ છે, આત્માનો ધર્મ નથી. તેથી આત્મા (જીવ) નામનો કોઈ પદાર્થ નથી. આ પ્રમાણે છે ઇન્દ્રભૂતિ ! તું માને છે કે, “વિજ્ઞાન ઘન” ઇત્યાદિ વેદપદોથી તથા પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, તેથી આત્મા નામનો પદાર્થ નથી. પણ વળી આત્મા છે' એવું જણાવનારા બીજા વેદવાક્યો જોઈ—જાણી તું સંશયમાં પડ્યો છે કે, “આત્મા(જીવ) છે કે નથી ? પરંતુ હે ગૌતમ ઇન્દ્રભૂતિ ! તારો આ સંશય અયુક્ત છે કેમકે – વિજ્ઞાનઘન પુર્વ મૂખ્ય: સમુWાય તીજોવાઈનું વિનશ્યતિ, ન પ્રેયસંજ્ઞાતિ'' એ વેદવાક્યોનો અર્થ તું સમજ્યો નથી, તેથી એ વાક્યનો અર્થ તું જે ઉપર મુજબ કરે છે તેવો તેનો અર્થ નથી.
– પણ એ વાક્યનો અર્થ આ પ્રમાણે છે – વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન અર્થાત્ જ્ઞાનદર્શનનો ઉપયોગ. તે વિજ્ઞાનના સમુદાયરૂપ જ આત્મા જ્ઞેયપણે પ્રાપ્ત થયેલા આ પૃથ્વી વગેરે ભૂતો થકી અથવા ઘડો–વસ્ત્ર આદિ પર્યાયો થકી “આ પૃથ્વી છે, આ ઘડો છે, આ વસ્ત્ર છે' આદિ પ્રકારે તે–તે ભૂતોના ઉપયોગરૂપે ઉત્પન્ન થાય છે. અર્થાત્ આત્મામાં જ આવા પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે ઘડો–વસ્ત્ર આદિનો શેયપણે અભાવ થયા પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org