________________
આગમ કથાનુયોગ-૨
ઇન્દ્રભૂતિના હવાઈ તરંગો ઉડી ગયા. તે ચિંતામાં પડી ગયો. હવે મારે મારી કીર્તિનું રક્ષણ કઈ રીતે કરવું ? હું અહીં ન આવ્યો હોત તો જ સારું હતું. મેં વગર વિચાર્યું સાહસ કર્યું. હું આ તેજસ્વી મહાજ્ઞાની આગળ કઈ રીતે બોલી શકીશ ? કદાચ ભાગ્યોદયથી અહીં મારો જય થાય તો હું ત્રણે જગતમાં પંડિત શિરોમણિ કહેવાઈશ.
૧૭૮
ઇન્દ્રભૂતિનું આગમન અને ભગવંત દ્વારા સંશયનિવારણ :~
આ પ્રમાણે ચિંતવતા ઇન્દ્રભૂતિને, જન્મ-વૃદ્ધાવસ્થા અને મરણથી વિપ્રમુખ્ત થયેલા સર્વજ્ઞ—સર્વદર્શી જિનેશ્વર પ્રભુ મહાવીરે તેમને નામ અને ગોત્રપૂર્વક કહ્યું, હે ઇન્દ્રભૂતિ ગૌતમ ! તું અહીં ભલે આવ્યો. આ પ્રમાણે પોતાનું નામ અને ગોત્ર સાંભળીને ઇન્દ્રભૂતિ વિચારવા લાગ્યો કે, અરે ! આ તો મારું નામ પણ જાણે છે અથવા તો હું વિશ્વવિખ્યાત છું. મને કોણ નથી ઓળખતું. પણ જો મારા હૃદયમાં રહેલા સંશયને તે કહી આપે તો તે મારે માટે આશ્ચર્યકારી ગણાય. આ પ્રમાણે ચિંતવતા ઇન્દ્રભૂતિને અત્યંત ગંભીર ધ્વનિથી પ્રભુ મહાવીરે પૂછ્યું કે, હે “ઇન્દ્રભૂતિ ! તને એવો સંશય છે કે, આત્મા છે કે નહીં ?'' તમે વેદપદોના અર્થને બરાબર જાણતા નથી. તેથી આ સંશય થયો છે. આ સંશય તને પરસ્પર વિરુદ્ધ દેખાતા વેદવાક્યોથી થયો છે. તે વેદપદો આ પ્રમાણે છે :- “વિજ્ઞાનયન દ્વૈતમ્યો મૂતેભ્યઃ સમુત્યાય તાન્ચેવાનુ વિનશ્યતિ, ન પ્રેત્યસંજ્ઞાતિ'' જ્યારે “સ થૈ ગયમાત્મા જ્ઞાનમય'' વગેરે. આ વેદવાક્યોથી તારા ચિત્તમાં વિપર્યાસ થયેલો છે. કેમકે તું અહીં એવો અર્થ કરે છે કે, “વિજ્ઞાનોનો સમુદાય જ આ ભૂતોમાંથી ઉત્પન્ન થઈને પાછો ભૂતોમાં જ નાશ પામે છે. તેથી પરલોકની સંજ્ઞા નથી. અર્થાત્ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એ પાંચ ભૂતો શરીરરૂપે પરિણમ્યા હોય, ત્યારે શરીરરૂપે પરિણમેલા આ પાંચ ભૂતોમાંથી ‘આ ઘડો છે, આ ઘર છે, આ મનુષ્ય છે'' ઇત્યાદિ વિવિધ પ્રકારનો જ્ઞાનનો સમુદાય જ ઉત્પન્ન થાય છે. પણ આત્માને માનવાવાળો જ્ઞાનનો આધાર જે આત્મા નામનો પદાર્થ માને છે, તે આત્મા નામનો પદાર્થ નથી. કેમકે પાંચ ભૂતોમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેથી જ્ઞાનનો આધાર પાંચ ભૂતો માનવા.
1101
જે રીતે મદિરાના અંગોમાંથી મદશક્તિ ઉત્પન્ન થાય છે, તેમ શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોમાંથી જ્ઞાનશક્તિ ઉત્પન્ન થાય છે. આવી રીતે શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોમાંથી વિજ્ઞાનનો સમુદાય ઉત્પન્ન થઈને, પછી જ્યારે શરીરરૂપે પરિણમેલા તે પાંચ ભૂતોનો વિનાશ થાય છે ત્યારે તે વિજ્ઞાનનો સમુદાય પણ જળમાં પરપોટાની પેઠે તે ભૂતોમાં જ લય પામે છે. આવી રીતે આત્મા નામનો પદાર્થ નથી, તેથી પ્રત્યસંજ્ઞા એટલે પરલોકની સંજ્ઞા નથી. અર્થાત્ મરીને પુનર્જન્મ નથી. કેમકે જ્યારે આત્મા નથી તો પછી પરલોક કોનો ? માટે અહીંથી મરીને કોઈ પરલોકમાં જતું નથી અને પરલોકથી અહીં કોઈ આવતું નથી.
હે ઇન્દ્રભૂતિ ! વળી તું માને છે કે, ઉપર પ્રમાણે વેદવાક્યનો અર્થ યુક્તિથી પણ ઠીક લાગે છે. કેમકે પ્રત્યક્ષ પ્રમાણથી તો આત્મા જણાતો નથી. એટલે આત્મા જોવામાં આવતો નથી, તેમ સ્પર્શાદિ અનુભવથી પણ જણાતો નથી. તો આત્મા (જીવ) છે તેની શી સાબિતી ? જો આત્મા હોય તો જેમ ઘડો–વસ્ત્ર આદિ પદાર્થો જણાય છે તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org