________________
૩૬
આગમ કથાનુયોગ-૨
૧૨. આવ.સ્. ૧–પૃ. ૨૦૮, ૨૧૫, ૨૩૯;
૧૩. ઉત્ત. ૩૪૯ + . ૧૪. તિલ્યો. ર૯૪, ૫૫૮, ૫૬૫, ૧૧૨૪, ૧૧૨૫; ૧૫. ઉપર - ૧૭, ૧૮; (૧) ભરત ચક્રવતી કથાનક :
૦ આગમ સંદર્ભ:– સમગ્ર કથાનકનો મુખ્ય સ્ત્રોત– (૧) જંબૂ ૫૫ થી ૧૨૬;
(૨) આવ. પૂ.૧–પૃ. ૪૪, ૧૩૨, ૧૩૩, ૧૮૦ થી ૨૨૮; - સંબંધિત માહિતીનો સ્ત્રોતઠા. ૪૭૩, ૫૭૦, ૬૫૭, ૭૦૭, ૮૧૫ થી ૮૨૯, ૯૦૫ થી ૯૦૭; સમ. ૩૧, ૧૨૬, ૧૫૦, ૧૫૬, ૧૯૨, ૧૬૩, ૧૭૫, ૧૮૭, ૨૦૮, ૩૧૩, ૩૧૫, ૩૧૭, ૩૨૦; નિસી.ભા. ૨૪૯૮; બુદ.ભા. ૪ર૧૮, ૬૩૮૩; વવ.ભા. ૨૪૦૪ની વૃ. આવ.નિ ૭૧ થી ૭૫, ૧૬૯, ૧૭૨ થી ૧૭૯, ૧૯૬, ૩૪૨ થી ૩૪૮, ૩૬૧, ૩૬૨, ૩૬૬
થી ૩૭૫, ૩૯૧ થી ૩૯૯, ૪૦૧, ૪૧૬, ૪૩૫, ૪૩૬, ૫૭૦; આવ.ભા. ૩, ૪, ૩૨, ૩૩, ૩૬ થી ૪૫;
પિંડ.નિ. ૬૧૭, દસ.નિ. ૦૪-વૃ.
ઉત. પ૯૭, ૧૧૨૭ + 9. ઉત્ત. ૫૯૩ + ભાવવૃ. તિત્વો ૨૮૩, ૨૮૪, ૨૯૪, ૩૦૧, ૫૫૯;
કલ્પસૂત્ર-૨૧રની વૃ. ૦ ભરતચક્રી–સામાન્ય પરિચય :
જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ભરત નામે પ્રથમ ચક્રવર્તી થયા. તેમનો જન્મ વિનિતાનગરીમાં ભoષભદેવની પત્ની સુમંગલાની કુક્ષિમાં થયો. તેઓ કાશ્યપ ગોત્રના હતા, તેમનો વર્ણ નિર્મલ સુવર્ણની પ્રભા જેવો હતો, ઊંચાઈ ૫૦૦ ધનુષની હતી. તેઓ છ ખંડ રૂ૫ ભરતના, ચૌદ રત્ન અને નવ નિધિના સ્વામી હતા. સુભદ્રા નામે તેની મુખ્ય રાણી (સ્ત્રીરત્ન) હતા. ચોર્યાશી લાખ પૂર્વનું પૂર્ણ આયુ ભોગવ્યું. જેમાં ૮૩ લાખ પૂર્વ ગૃહવાસમાં રહ્યા. જેમાં ૭૭ લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહ્યા. પછી ચક્રવર્તી રાજા થયા. અંતે કેવળજ્ઞાન પામી શ્રમણપણે વિચરી અને આયુ પૂર્ણ થતા મોક્ષે પધાર્યા. ૦ ભરત ચક્રવર્તી–પૂર્વભવ વર્ણન :
ભઋષભદેવ જ્યારે તેના નવમાં ભવમાં વૈદ્યપુત્ર હતા. ત્યારે તેની સાથેના કાળમાં જ ઉત્પન્ન થયેલા બીજા ચાર જીવો હતા. ૧. રાજપુત્ર, ૨. શ્રેષ્ઠી પુત્ર. ૩. અમાત્ય પુત્ર અને ૪. સાર્થવાહ પુત્ર. આ બધાં મિત્રોને પરસ્પર અતીવ સ્નેહ હતો. તેઓ સાથે જ મોટા થયા. એક વખત તેઓએ એક કૃમિકૃષ્ઠની ભયંકર વ્યાધિથી પીડાતા મુનિની ચિકિત્સા કરી, મુનિને નિરોગી બનાવેલા (વિશેષ કથા ભઋષભ કથાનુસાર જાણવી).
તે સર્વેને સંવેગ ઉત્પન્ન થતા, કોઈ સ્થવીર ભગવંત પાસે દીક્ષા લીધી. તપસાધના કરી, આયુ પૂર્ણ કરીને પાંચે અગ્રુત કલ્પ ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને આ જ જંબૂતીપમાં પૂર્વવિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં મનુષ્યરૂપે જન્મ્યા તે વખતે ઋષભદેવનો જીવ વજનાભ ચક્રવર્તીપણે ઉત્પન્ન થયો અને બીજા ચાર મિત્રો વજનાભના નાના ભાઈઓ રૂપે જન્મ્યા. જેમાં ભરતચક્રીનો જીવ જે પૂર્વે રાજપુત્ર હતો તે આ જન્મમાં બાહુ નામે જમ્યો અને અન્ય ત્રણ મિત્રો સુબાહુ, પીઠ અને મહાપીઠના નામે જખ્યા. તેઓ માંડલીક રાજા થયા. તેમના પિતા વજસેને દીક્ષા લઈને કેવળજ્ઞાન પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org