SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રવર્તી – ભરત કથા ૩૭ તે તીર્થકર ભગવંત વજસેનનું સમવસરણ રચાયું ત્યારે ભારતના જીવ એવા બાહુએ બીજા ચારે ભાઈઓ સહિત દીક્ષા ગ્રહણ કરી, બામુનિ અગિયાર અંગો ભણ્યા. તે વખતે બાહુમુનિ સાધુઓની વૈયાવચ્ચમાં રત હતા. જ્યારે સુબાહુમુનિ મુનિઓની વિશ્રામણા કરતા હતા. પીઠ અને મહાપીઠ બંને ભાઈઓ સ્વાધ્યાયમાં રત રહેતા હતા. બાહુ મુનિને સાધુની ભક્તિથી ચક્રવર્તીનું ભોગકર્મ ઉપાર્જિત કર્યું. તે વખતે સુબાહુ મુનિએ સાધુની વિશ્રામણાથી અત્યંત બાહુબળ (યોગ્ય નામકર્મ) ઉપાર્જન કર્યું અને પીઠ મહાપીઠને ઇર્ષ્યાને કારણે સ્ત્રીવેદનો કર્મબંધ થયો. ત્યાંથી પાંચ મુનિ આયુષ્ય પૂર્ણ કરીને - સર્વાર્થસિદ્ધ વિમાને દેવપણે ઉત્પન્ન થયા. ૦ ભરત-(ચક્રવર્તી)નો ભવ : વિનિતાનગરીમાં ભઋષભદેવના પ્રથમ પુત્રરૂપે ભરતનો જન્મ થયો તે આ પ્રમાણે - ભાષભદેવને બે પત્નીઓ હતી. એક સુમંગલા, જે ઋષભના યુગલિની હતા. બીજી સુનંદા હતી. બાહ અને પીઠ અનુત્તર વિમાનથી દેવાયું પૂરું કરીને યુગલરૂપે સુમંગલાની કુક્ષીમાં આવ્યા. સુમંગલાએ તેને જન્મ આપ્યો પછી તેનું નામ ભરત અને બ્રાહ્મી પાડવામાં આવ્યું. સુબાહુ અને મહાપીઠ પણ અનુત્તર વિમાનેથી ચ્યવ્યા, તે સુનંદાની કક્ષામાં ઉત્પન્ન થયા તેનું નામ બાહુબલિ અને સુંદરી રખાયું. સુમંગલાએ બીજા ઓગણપચાસ પુત્ર યુગલોને જન્મ આપ્યો. એ રીતે ભરત આદિ સો ભાઈ અને બે બહેનો થયા. ભઋષભે જ્યારે દીક્ષા લીધી ત્યારે પોતાના સો પુત્રોનો સો રાજ્ય ઉપર અભિષેક કર્યો. તેમાં મોટા પુત્ર ભરતને વિનીતાનગરીનું મુખ્ય રાજ્ય આપ્યું. બાહુબલિને બહલી દેશમાં તક્ષશિલા નગરીનું રાજ્ય આપ્યું અને બાકીના અઠાણું પુત્રોને જુદા જુદા દેશ વહેંચી આપ્યા. તે વખતે વિનીતા નગરીમાં તે મહાહિમવંત, મહામલય, મેરૂ પર્વત સમાન અચલ એવો પ્રભાવશાળી ભરત રાજા થયો. ૦ રાજા ભરતનું વર્ણન : (જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ – સૂત્ર-૫૫) ત્યાં વિનીતાનગરીમાં અસંખ્યવર્ષોનો સમય વીત્યા પછી યશસ્વી, ઉત્તમ અને અભિજાત્ય કુળવાળો, સત્વ, વીર્ય, પરાક્રમ ગુણ યુક્ત, પ્રશંસનીય વર્ણ, સ્વર, સુદઢ, બલિષ્ઠ શરીર, સંહનનવાળો, સૂક્ષ્મબુદ્ધિ, ધારણાશક્તિ તથા મેધાવાળો, દર્શનીય શરીર સંસ્થાન, ઉત્તમ શીલવાનું અને પ્રકૃતિવાળો, પ્રભાસમાનું મનોહર ગૌરવ, કાંતિ ગતિવાળો, અનેક પ્રકારે પ્રભાવશાળી વચનો બોલનાર, તેજ, આયુ, બળ, વીર્ય યુક્ત, નિગડ નિચિત લોઢાની સાંકળ સમાન સુદઢ, વજsષભનારાચ સંતનન યુક્ત શરીર ધારણ કરવાવાળો એવો ભરત રાજા થયો. તેની હથેળી અને પગના તળીયા મીનયુગલ આદિ ૧૦૦૮ ઉત્તમ પ્રકારના સામુદ્રિક લક્ષણોથી યુક્ત હતા. જેવા કે, મીનયુગલ, યુગ, ભંગાર, વર્ધમાનક, ભદ્રાસન, શંખ, છત્ર, ચામર, પતાકા, ચક્ર, બંગલ, મુસલ, રથ, સ્વસ્તિક, અંકુશ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ, યૂપ, સમુદ્ર, પૃથ્વી, ઇન્દ્રધ્વજ, પા, હાથી, સિંહ, દંડ, કાચબો, ગિરિવર, શ્રેષ્ઠ અશ્વ, મુગટ, કુંડલ, નંદાવર્ત, ધનુષ્ય, ભાલો, ગાગર, ભવન, વિમાન આદિ. આ ચિન્હો પરસ્પર એકબીજાથી પૃથક–પૃથક, સ્પષ્ટરૂપે અંકિત, પ્રશસ્ત હોય છે. તથા તેમના વક્ષ:સ્થળના વાળ ઉર્ધ્વ મુખ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy