________________
૩૮
આગમ કથાનુયોગ-૨
સુકમાલ, સ્નિગ્ધ અને કોમળ હતા. તેમજ સુંદર આવર્તયુક્ત હતા. વિશાળ વક્ષ:સ્થળ પર શ્રીવત્સનું સુંદર ચિન્હ અંકિત હતું.
દેશ અને ક્ષેત્રને અનુરૂપ તે ભરત રાજાનું સુગઠિત, સુંદર શરીર હતું. બાળસૂર્યના કિરણોથી વિકસિત કમળના મધ્યભાગ સમાન તેનો વર્ણ હતો. તેનો પૃષ્ઠોત–ગુદાભાગ ઘોડાના પૃષ્ઠાંત સમાન પ્રશસ્ત અને નિરૂપલેપ હતો. તેના શરીરમાંથી પઘ, ઉત્પલ, ચમેલી, માલતી, જૂહી, ચંપક, કેસર, કસ્તુરી, સદશ સુગંધ આવતી હતી. તે છત્રીશથી પણ અધિક એવા પ્રશસ્ત અને રાજાને ઉચિત એવા લક્ષણોથી યુક્ત હતો. અવિચ્છિન્ન પ્રભૂત્વ અને એક છત્ર રાજ્યનો સ્વામી હતો. તેનો માતૃવંશ તથા પિતૃવંશ નિર્મલ હતો. પોતાના વિશુદ્ધ કુળરૂપી આકાશમાં તે પૂર્ણિમાના ચંદ્ર સમાન હતો. તે ચંદ્ર સમાન સૌમ્ય અને મન તથા આંખોને આનંદદાયી હતો. સમુદ્ર સમાન નિશ્ચલ, ગંભીર અને સુસ્થિર હતો. કુબેરની માફક ભોગોપભોગમાં દ્રવ્યનો સમુચિત, પ્રચુર વ્યય કરતો હતો. યુદ્ધમાં સદૈવ અપરાજિત, પરમ વિક્રમશાળી હતો. સૌંદર્યવાનું, નરાધિપ હતો. તેના શત્રુનાશ પામ્યા હતા. આ રીતે તે સુખપૂર્વક ભરતક્ષેત્રના રાજ્યનો ઉપભોગ કરતો હતો.
| (ચક્રીની ઋદ્ધિ) – ચક્રવર્તીની ઋદ્ધિ તીર્થકર કરતા હીન અને વાસુદેવ કરતા બમણી હોય છે. કેમકે તીર્થકર અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ રૂપ પૂજાને યોગ્ય હોય છે. ચક્રવર્તી ચૌદ રત્ન અને છ–ખંડ પૃથ્વીના અને ૩૨,૦૦૦ રાજાના અધિપતિ હોય છે. વાસુદેવ સાત રત્નો, ૧૬,૦૦૦ રાજાના અને અર્ધ ભારતના અધિપતિ હોય છે. તે રીતે ભારતની ઋદ્ધિ પણ ચૌદરત્ન, નવનિધિ, ૩૨,૦૦૦ રાજા અને છ ખંડ પૃથ્વીનું સ્વામિત્વ હતું (જેનું વર્ણન ભરતની દિગ્વીજય યાત્રામાં વિસ્તારથી કરેલ છે.)
| (ચક્રીના બળ-રૂપ) :- તે ચક્રવર્તી કૂવાના કાંઠે બેઠા હોય, ડાબા હાથમાં સાંકળ પકડી હોય (બાંધી હોય), ૩૨,૦૦૦ રાજા એક સાથે તે સાંકળને પોતાના સર્વ બળ વડે – હાથી, ઘોડા, રથ, પાયદળ યુક્ત સર્વ શક્તિ વડે ખેંચે, તે વખતે ચક્રવર્તી જમણા હાથે ભોજન કરતા હોય તો પણ તે રાજાઓ તે સાંકળ વડે ચક્રવર્તીનો હાથ પણ ન હલાવી શકે તેવું તે ચક્રવર્તીનું બળ હોય છે. જો કે તીર્થકરનું બળ અપરિમિત હોય છે, તેથી તીર્થકરની તુલનાએ તો ચક્રવર્તીનું બળ હીન જ સમજવું. તેનું રૂપ વ્યંતર કરતા અનંતગુણ હીન અને વાસુદેવ કરતા અનંતગુણ અધિક હતું.
(દંડનીતિ) – રાજા ભરતના રાજ્યમાં ચાર પ્રકારની દંડનીતિ હતી. પરિભાષણ, મંડલબંધ, ચારક અને છવિચ્છેદ.
૦ દંડનીતિ – અપરાધીના અનુશાસન માટેની નીતિ તે દંડનીતિ.
-- પરિભાષણ દંડનીતિ – અપરાધીને ઠપકો આપવો. નીતિનો ભંગ કરનારને ક્રોધ, આવેશપૂર્વક ઉપાલંભ આપવો તે.
– મંગલબંધ દંડનીતિ – નીતિભંગ કરનાર અપરાધીને ક્ષેત્રમર્યાદા બહાર ન જવાની આજ્ઞા આપવી તે.
- ચારક દંડનીતિ–નીતિનો ભંગ કરનારને કેદમાં નાંખવો અને બંધનમાં બાંધવો તે. -- છવિચ્છેદ દંડનીતિ – અપરાધી વ્યક્તિના હાથ, પગ, નાસિકા આદિનો છેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org